
બંગાળના ભાગ્યમાં આજથી એક નવો અધ્યાય જોડાઈ ગયો છે. આજથી બંગાળ ભયમુક્ત થયું છે. બાંગ્લામાં પરિવર્તન થયું છે. આ જીતની સાથોસાથ વંદેમાતરમના 150 વર્ષની સાથે બંગાળના લોકોને સાદર નમન કર્યાં છે.
બંગાળમાં નવો સૂર્યોદય થયો, લોકોએ અહંકારી, હિસાની, ડરની રાજનીતિને ઉખાડી ફેકી : PM મોદી
વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, ભલે આજે 4 મેની સાંજ ભલે ઢળતી હોય પરંતુ બંગાળ માટે એક નવો સૂર્યોદય થયો છે. એક એવી સવાર, જેની પ્રતિક્ષા પેઢીઓએ કર્યો છે. ભાજપે જેટલી બેઠકો જીતી છે એ અહંકાર છે. હિસાની, ડરની રાજનીતિને ઉખાડી ફેકી છે. બંગાળની એક એવી યાત્રા શરૂ થઈ રહી છે. જ્યા વિકાસ અતૂટ વિશ્વાસ કદમથી કદમ મિલાવીને ચાલશે. બંગાળના ઉત્તમ ભવિષ્ય માટે ભાજપ દિવસ-રાત એક કરી દેશે. રોજગારી મળશે. પલાયન રોકાશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલી જ કેબિનેટની બેઠકમાં આયુષ્યમાન ભારતની યોજનાને લાગુ કરાશે. તેને રોકનારા સામે કડક કાર્યવાહી કરાશે. ભયમુક્ત વાતાવરણ બનાવીને બતાવશે આ મોદીની ગેરંટી છે.
પીએમ મોદીએ કહ્યું, “આજે, હું દરેક બંગાળીને ખાતરી આપું છું કે ભાજપ બંગાળના સારા ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડશે નહીં. બંગાળમાં મહિલાઓ હવે સુરક્ષિત વાતાવરણનો આનંદ માણશે, યુવાનોને રોજગાર મળશે, અને ઘુસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
બંગાળની જીત સાથે ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ જ કમળ, બંગાળમાં ભાજપની જીત બાદ બોલ્યા, PM મોદી
Published On - 7:55 pm, Mon, 4 May 26