ગાંધી માર્ગે નહી પ્રશાંત કિશોર માર્ગે ચાલશે કોંગ્રેસ ! સોનિયા ગાંધીએ બનાવી નવી સમિતિ

કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર રીતે જાહેરાત પણ કરી છે કે તે ચિંતન શિબિરનું આયોજન કરશે. રાજસ્થાનના ઉદયપુરમાં 13 મેથી 15 મે દરમિયાન યોજાનાર આ સત્રમાં દેશભરમાંથી 400 કોંગ્રેસી નેતાઓ હાજરી આપી શકે છે.

ગાંધી માર્ગે નહી પ્રશાંત કિશોર માર્ગે ચાલશે કોંગ્રેસ ! સોનિયા ગાંધીએ બનાવી નવી સમિતિ
Prashant Kishor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 6:56 AM

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) કોંગ્રેસમાં જોડાવા અંગે અટકળો ચાલુ છે. આ દરમિયાન વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) કોંગ્રેસને ફરીથી જીવંત બનાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. એવા અહેવાલ સામે આવી રહ્યાં છે કે પ્રશાંત કિશોર દ્વારા કરવામાં આવેલી રજૂઆતના થોડા દિવસો બાદ સોમવારે, પાર્ટીએ અન્ય વધુ એક આંતરિક જૂથ, એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ 2024ની રચના કરી છે, જે કોંગ્રેસ (Congress) પાર્ટીની સામેના રાજકીય પડકારો પર કામ કરશે. જો કે આમાં કોણ કોણ સામેલ હશે તે હજુ સ્પષ્ટ થયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે જ જનપથ પર પાર્ટી નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સોનિયા ગાંધી, પ્રશાંત કિશોરના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે રચવામાં આવેલા 8 સભ્યોના જૂથને મળ્યા છે. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સોનિયા ગાંધીએ રચેલી સમિતિ, પ્રશાંત કિશોર દ્વારા કરવામાં આવેલા મોટાભાગના સૂચનો સાથે સંમત છે. પાર્ટીએ સત્તાવાર રીતે જાહેરાત પણ કરી છે કે તે ચિંતન શિબિરનું આયોજન કરશે. રાજસ્થાનના ઉદયપુરમાં 13 મેથી 15 મે દરમિયાન યોજાનાર આ સત્રમાં દેશભરમાંથી 400 કોંગ્રેસી નેતાઓ હાજરી આપી શકે છે.

આ અહેવાલ અનુસાર, કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું, ‘ખેડૂતો અને ખેત મજૂરો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓના કલ્યાણ અને મહિલા સામાજિક ન્યાય અને યુવા અને સશક્તિકરણ સાથે સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ સાથે સંગઠનની પુનઃરચના અને વધુ મજબુત કરવા ઉપર પણ વાતચીત કરવામાં આવશે. ચિંતન શિબિરમાં 2024ની ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મીડિયા અહેવાલો અનુસાર, પાર્ટીએ સત્રમાં પસાર થવાના ડ્રાફ્ટ ઠરાવો તૈયાર કરવા માટે પહેલેથી જ છ સમિતિઓની રચના કરી છે. રાજકીય પ્રસ્તાવ તૈયાર કરવા માટેની સમિતિનું નેતૃત્વ મલ્લિકાર્જુન ખડગે કરશે. જ્યારે આર્થિક સ્થિતિ માટે પ્રસ્તાવ સમિતિના અધ્યક્ષ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ હશે. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા, જે G-23 જૂથનો ભાગ છે, તેઓ ખેડૂતો અને કૃષિ પરની સમિતિનું નેતૃત્વ કરશે.

સામાજિક ન્યાયનું નેતૃત્વ સલમાન ખુર્શીદ કરશે અને મુકુલ વાસનિક સંસ્થાને લગતી બાબતો પર સમિતિનું નેતૃત્વ કરશે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા યુવા અને સશક્તિકરણ પર રચાયેલી સમિતિનું કામ જોશે.

કિશોરની રજૂઆત પર વિચાર કરનાર જૂથમાં પી ચિદમ્બરમ, અંબિકા સોની, પ્રિયંકા ગાંધી વાડ્રા, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, મુકુલ વાસનિક, કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે કોંગ્રેસની આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસ પહેલા જ IPac એ 2023ની ચૂંટણી માટે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ સાથે જોડાણ કર્યુ છે. અહેવાલ મુજબ, સૂત્રોનું કહેવું છે કે ઘણા નેતાઓ નારાજ છે કે IPac એવા સમયે વિપક્ષી TRS સાથે આવ્યું છે જ્યારે કિશોરની કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે.

આ પણ વાંચોઃ

કોંગ્રેસ ભવિષ્યના પડકારોનો સામનો કરવા લીધા પગલાં, બનાવાશે વિશેષ અધિકાર એક્શન ગ્રુપ 2024 – પ્રશાંત કિશોર પર મૌન

આ પણ વાંચોઃ

The Kashmir Files : વિવેક અગ્નિહોત્રીએ શરદ પવારને ‘સૌથી ભ્રષ્ટ રાજકારણી’ ગણાવ્યા

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">