ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કમાન્ડર્સને કોઈ પણ ઘટના માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. તેમને તેજપુર સ્થિત ચોથી કોર્પ્સની પોતાની યાત્રા દરમિયાન આ વાત કહી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સેનાથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે આર્મી ચીફે કમાન્ડર્સને ફ્રન્ટ પર કોઈ પણ ઘટના માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. સાથે જ સેના પ્રમુખે સૈન્ય ઓપરેશનની તૈયારીઓની પણ મુલાકાત લીધી.
તમને જણાવી દઈએ કે સેના પ્રમુખ બે દિવસના પ્રવાસ પર છે. તેમને LAC પર ભારતીય અને ચીની સૈનિકોની તૈનાતી અને બિલ્ડ અપ વિશે બ્રીફ કરવામાં આવ્યું. ચીની સેનાએ 4થી 5 જોઈન્ટ આર્મ્ડ બ્રિગેડસને તૈનાત કરેલા છે. જે યુદ્ધ માટે સેના દ્વારા સ્થાપિત કરનારા ગ્રુપ્સની જેમ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:27 am, Sat, 8 August 20