ભારતમાં પગ મૂકતાં જ અંજુની મુશ્કેલી વધી, અંજુના ગામના લોકોએ લીધો મોટો નિર્ણય

6 મહિના પહેલા પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત ફરી છે. હજુ સુધી એવી કોઈ માહિતી મળી નથી કે અંજુ કાયમ માટે ભારત આવી છે કે પાકિસ્તાન પાછી જશે. આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા નસરુલ્લાએ કહ્યું હતું કે અંજુ ભારત જઈ રહી છે અને તેને ડ્રોપ કરવા તે પોતે વાઘા બોર્ડર જશે.

ભારતમાં પગ મૂકતાં જ અંજુની મુશ્કેલી વધી, અંજુના ગામના લોકોએ લીધો મોટો નિર્ણય
Follow Us:
| Updated on: Nov 30, 2023 | 7:06 AM

રાજસ્થાનના અલવરથી ભાગીને પાકિસ્તાન પહોંચેલી અંજુ આખરે 6 મહિના પછી ભારત પરત આવી છે. પાકિસ્તાનમાં પોતાના પ્રેમી નસરુલ્લા સાથે નિકાહ કરીને ફાતિમા બનેલી અંજુ બુધવારે સાંજે વાઘા બોર્ડર થઈને ભારત પહોંચી હતી. અંજુ જ્યારે ભારત પહોંચી છે ત્યારે તેના ઘરમાં ન તો ખુશીનો માહોલ છે અને ન તો મીડિયા સાથે વાત કરવા માટે કોઈ તૈયાર છે.

ગામનો કોઈ સભ્ય ભૂલી શક્યો નથી

અંજુનું ગામ (ગ્વાલિયરના ટેકનપુરમાં આવેલું બૌના ગામ) કે વીર સિંહ ગુર્જરે કહ્યું કે અમને હમણાં જ ટીવી પરથી માહિતી મળી છે કે અંજુ પાકિસ્તાનથી ભારત પાછી આવી છે. અંજુએ પોતાના પરિવારને છોડીને પાકિસ્તાનમાં નસરુલ્લા સાથે જે રીતે જુઠ્ઠાણાનો સહારો લઈને નિકાહ કર્યા તે ગામનો કોઈ સભ્ય ભૂલી શક્યો નથી.

મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો

આ છ મહિનામાં અંજુના પરિવારના સભ્યો સાથે શું થયું છે તે ફક્ત અમે જ જાણીએ છીએ. ગામમાં હવે અંજુ માટે કોઈ જગ્યા નથી. અમે કોઈપણ ભોગે અંજુને ગામમાં પગ મુકવા દઈશું નહીં. જ્યારે અંજુના પિતા ગયા પ્રસાદ થોમસને તેના ભારત આવવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અંજુએ અરવિંદ સાથે લગ્ન કર્યા છે અને તેને બે બાળકો છે

લગભગ છ મહિના પહેલા ભારતથી ભાગીને પાકિસ્તાન પહોંચેલી અંજુએ જણાવ્યું હતું કે તે ત્યાં માત્ર ફરવા ગઈ હતી. પરંતુ થોડા જ દિવસોમાં તેના પ્રેમી નસરુલ્લા સાથેની તેની તસવીરો વાયરલ થઈ ગઈ. અંજુએ ભારત છોડ્યું ત્યારે તેના લગ્ન થઈ ગયા હતા. ભારતમાં, અંજુએ અરવિંદ સાથે લગ્ન કર્યા છે અને તેને બે બાળકો છે.

ગામના લોકો અંજુ પ્રત્યે ગુસ્સે

ભારત પહોંચ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ અંજુની પૂછપરછ કરી હતી. સમાચાર છે કે અંજુની પૂછપરછ પૂરી થયા બાદ તેને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવશે, જ્યાંથી તેને દિલ્હીની ફ્લાઈટમાં બેસાડવામાં આવશે. ગામના લોકો અંજુ પ્રત્યે એટલા ગુસ્સે છે કે તેઓએ અંજુને ગામમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

શું અંજુ પાકિસ્તાન પાછી જશે?

હજુ સુધી એવી કોઈ માહિતી મળી નથી કે અંજુ કાયમ માટે ભારત આવી છે કે પાકિસ્તાન પાછી જશે. આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા નસરુલ્લાએ કહ્યું હતું કે અંજુ ભારત જઈ રહી છે અને તેને ડ્રોપ કરવા તે પોતે વાઘા બોર્ડર જશે. તેણે કહ્યું કે અંજુ ભારતમાં તેના બાળકોને મળવા જઈ રહી છે.

જો બાળકો અંજુ સાથે પાકિસ્તાન આવવા માંગતા હોય તો તેઓ આવી શકે છે. નસરુલ્લાએ જણાવ્યું હતું કે અંજુ લાંબા સમયથી તેના બાળકોને યાદ કરી રહી હતી, ત્યારબાદ તેણે ભારત જવાનું નક્કી કર્યું છે.

રાજસ્થાનની રહેવાસી છે અંજુ

જૂન મહિનામાં પાકિસ્તાનથી ભાગીને ભારતમાં આવેલી સીમા હૈદરની ચર્ચા ચાલી રહી હતી, તે સમયે અંજુ રાજસ્થાનના ભિવડીથી પાકિસ્તાન જવાની યોજના બનાવી રહી હતી. જ્યારે અંજુ પાકિસ્તાનમાં હોવાના સમાચાર આવ્યા ત્યારે કહેવામાં આવ્યું હતું કે તે ચાર-પાંચ દિવસ પછી પરત ફરશે. અંજુના પરત ફરવાના સમાચાર આવ્યા તે પહેલા જ તેણે પાકિસ્તાનના નસરુલ્લા સાથે નિકાહ કરી લીધા હતા.

અંજુ અને નસરુલ્લાના નિકાહ પહેલાનો વીડિયો પણ સામે આવ્યો હતો. નસરુલ્લાએ કહ્યું કે અમારા નિકાહ કરવાનો કોઈ ઈરાદો નહોતો. અંજુ માત્ર મને અને મારા પરિવારને મળવા આવી હતી, પરંતુ સંજોગો એવા બન્યા કે અમારે નિકાહ કરવા પડ્યા.

આ પણ વાંચો: પાકિસ્તાન : ઈમરાન ખાન પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં, જાણો કોણ બનશે PTIના નવા બોસ

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">