અમિત શાહે NDRF/SDRFના વખાણ કરતાં કહ્યું- આપત્તિમાં તૈનાત થતાં જ અમારી અડધી ચિંતા સમાપ્ત થઈ જાય છે

|

Apr 07, 2022 | 12:31 PM

આપત્તિ પ્રતિભાવ માટે ક્ષમતા નિર્માણ પર 2022ની વાર્ષિક પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહે (amit shah) કહ્યું કે, હું રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળને અભિનંદન આપવા માંગુ છું. જ્યારે અમને NDRF અથવા SDRFની તૈનાતી વિશે જાણ થાય છે, ત્યારે અમારી અડધી ચિંતા દૂર થઈ જાય છે.

અમિત શાહે NDRF/SDRFના વખાણ કરતાં કહ્યું- આપત્તિમાં તૈનાત થતાં જ અમારી અડધી ચિંતા સમાપ્ત થઈ જાય છે
Amit Shah

Follow us on

આપત્તિ પ્રતિભાવ માટે ક્ષમતા નિર્માણ પર 2022ની વાર્ષિક પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહે (HM amit shah) કહ્યું કે, હું રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળને અભિનંદન આપવા માંગુ છું. જ્યારે અમને NDRF અથવા SDRFની તૈનાતી વિશે જાણ થાય છે, ત્યારે અમારી અડધી ચિંતા દૂર થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે દરેક પ્રકારની આપત્તિ પર સતત કામ કરી રહ્યા છીએ.

એનડીઆરએફના વાર્ષિક સંમેલનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, આજે ટેક્નોલોજી અને વિજ્ઞાનના કારણે આપણને માહિતી મળે છે. એવી કોઈ સ્થિતિ નથી કે અચાનક માહિતી મળી જાય. અમને સમય પહેલા સૂચનાઓ મળે છે. જે પ્રકારની આફત આવવાની છે તેના માટે લોકોને જાગૃત કરવા જેવી બાબતો પહેલા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, જ્યારે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરીએ છીએ ત્યારે આપણા દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ નવી વાત નથી. આજે ગંગાને ઉત્તરાખંડની પહાડીઓમાંથી બંગાળ સુધી પહોંચાડવામાં આવી છે, તેથી તે દર્શાવે છે કે તેને વૈજ્ઞાનિક રીતે બનાવવામાં આવી છે.

તેમણે કહ્યું કે મેં 2001માં ગુજરાતનો ભૂકંપ જોયો છે, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. 1999 માં ઓરિસ્સાનું સુપર સાયક્લોન જોયું જેમાં 10,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, 2016માં પીએમ નરેન્દ્ર મોદીએ NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) અને NDMP (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન) શરૂ કર્યા હતા. અમે તમામ પ્રકારની આફતો પર સતત કામ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સારી રીતે SDRF ની રચના કરી છે. તેમણે એનડીઆરએફ અને એસડીઆરએફની પ્રશંસા કરી અને કહ્યું કે, જ્યારે અમને કોઈપણ આપત્તિ દરમિયાન તેમની તૈનાતી વિશે ખબર પડે છે, ત્યારે અમે અમારી અડધી ચિંતાઓથી આપોઆપ મુક્ત થઈ જઈએ છીએ.

ડ્રગ્સની હેરાફેરી સામે કડક પગલાં લઈશુંઃ અમિત શાહ

અગાઉ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું હતું કે, તેમનું મંત્રાલય દેશમાં ડ્રગ્સની દાણચોરી અને સપ્લાય સામે કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. ‘ડ્રગ્સ, ચેલેન્જીસ એન્ડ રેગ્યુલેશન’ પર ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર પાંચ ઓપરેશનમાં રૂ. 12,142 કરોડની કિંમતનો 17,20,574 કિલો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો.

(ઇનપુટ ભાષા)

આ પણ વાંચો: શિક્ષણને વેગ: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ‘ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી’ને ભારત આવવા આપ્યું આમંત્રણ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: JEE Mains 2022 Exam date: JEE Main પરીક્ષાની તારીખો બદલાઈ, જાણો હવે ક્યારે થશે પરીક્ષા, જુઓ નવું શેડ્યૂલ

Next Article