Statue Of Equality: ગૃહમંત્રી અમિત શાહે ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ના દર્શન કર્યા, રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી મહોત્સવમાં લીધો ભાગ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદ પહોંચી ગયા છે. તેઓએ મુચિંતલમાં ચિન્ના જીયાર સ્વામી આશ્રમ ખાતે શ્રી રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી મહોત્સવમાં ભાગ લીધો અને 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી'ના દર્શન કર્યા.

Statue Of Equality: ગૃહમંત્રી અમિત શાહે 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી'ના દર્શન કર્યા, રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી મહોત્સવમાં લીધો ભાગ
Amit Shah - Statue Of Equality
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 6:59 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હૈદરાબાદ (Hyderabad) પહોંચી ગયા છે. તેઓ મુચિંતલમાં ચિન્ના જીયાર સ્વામી (Chinna Jeeyar Swamy) આશ્રમ ખાતે શ્રી રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી મહોત્સવમાં (Ramanujacharya Sahasrabdi Samaroham) ભાગ લીધો. તેઓએ આશ્રમમાં ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ની મુલાકાત લઈ દર્શન કર્યા. આ ઉપરાંત ગૃહમંત્રી આશ્રમમાં બનેલા 108 દિવ્યદેશમ (મંદિર)ની પણ મુલાકાત લીધી હતી.

અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અહીં 11મી સદીના વૈષ્ણવ સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં 216 ફૂટ ઊંચી ‘સ્ટેચ્યુ ઑફ ઇક્વાલિટી’ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સાથે આ પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. રામાનુજાચાર્યએ રાષ્ટ્રીયતા, જાતિ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના દરેક માનવીની ભાવના સાથે લોકોના ઉત્થાન માટે અથાક કામ કર્યું હતું.

શ્રી રામાનુજાચાર્યના સમાનતાના સંદેશની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું કે તેમની સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે સમાન ભાવના સાથે દેશના નવા ભવિષ્યનો પાયો નાંખી રહી છે.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ચિન્ના જીયાર સ્વામીના આશ્રમમાં પ્રતિમાની સ્થાપના

વડાપ્રધાને ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામીના આશ્રમની પણ મુલાકાત લીધી હતી. આ આશ્રમમાં શ્રી રામાનુજાચાર્યની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. વડાપ્રધાને આશ્રમ પરિસરમાં સ્થિત યજ્ઞશાળામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના પણ કરી હતી. તેમણે પરિસરમાં બનેલા 108 દિવ્યદેશમની પણ પરિક્રમા કરી.

આ દિવ્યદેશમ ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ની આસપાસ બાંધવામાં આવ્યા છે. ‘સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી’નું ઉદ્ઘાટન એ રામાનુજાચાર્યની 1000મી જન્મજયંતિની ઉજવણીનો ભાગ હતો. કાર્યક્રમ દરમિયાન સંત રામાનુજાચાર્યની જીવન યાત્રા અને શિક્ષા પર 3D પ્રેઝન્ટેશન મેપિંગ પણ કરવામાં આવ્યું હતું.

‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ વિશે શું ખાસ છે?

‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ ‘પંચધાતુ’થી બનેલી છે જે સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસતનું મિશ્રણ છે. તે વિશ્વની સૌથી ઊંચી ધાતુની પ્રતિમાઓમાંની એક છે. તેની સ્થાપના 54-ફીટ ઊંચી પાયાની ઇમારત પર કરવામાં આવી છે, જેને ‘ભદ્ર વેદી’ નામ આપવામાં આવ્યું છે. સંકુલમાં વૈદિક ડિજિટલ લાઇબ્રેરી અને સંશોધન કેન્દ્ર, પ્રાચીન ભારતીય ગ્રંથો, થિયેટર, શૈક્ષણિક ગેલેરી છે, જે સંત રામાનુજાચાર્યના ઘણા કાર્યોની યાદ અપાવે છે. આ પ્રતિમા 120 કિલો સોનામાંથી બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : Fateh Rally: સુરક્ષામાં ક્ષતિ બાદ વડાપ્રધાન મોદીએ પંજાબ આવવાની જાહેરાત કરી, કહ્યું- હું ફરી પંજાબ આવીશ અને લોકોને મળીશ

આ પણ વાંચો : મેઘાલયમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, તમામ પાંચ ધારાસભ્યોએ પાર્ટી છોડી, MDAમાં થશે સામેલ

Latest News Updates

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
g clip-path="url(#clip0_868_265)">