ઍર ઇન્ડિયાએ પોતાના પાયલૉટોને આપ્યો એવો આદેશ કે જે તમામ વિમાન યાત્રીઓની દેશભક્તિના જુસ્સાથી ભરી દેશે
હવે ઍર ઇન્ડિયાના પાયલૉટ દરેક ઉડાનની જાહેરાત બાદ જય હિન્દ બોલશે. ઍર ઇન્ડિયાના ચાલક દળના સભ્યોને દરેક ઉડાનની જાહેરાત બાદ ભરપૂર જોશ સાથે જય હિન્દ બોલવાનો આદેશ અપાયો છે. TV9 Gujarati Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે […]
હવે ઍર ઇન્ડિયાના પાયલૉટ દરેક ઉડાનની જાહેરાત બાદ જય હિન્દ બોલશે. ઍર ઇન્ડિયાના ચાલક દળના સભ્યોને દરેક ઉડાનની જાહેરાત બાદ ભરપૂર જોશ સાથે જય હિન્દ બોલવાનો આદેશ અપાયો છે.
ઍર ઇન્ડિયા (AI)ના ઑપરેશન્સ ડાયરેક્ટર અમિતાભ સિંહે કહ્યું કે ચાલક દળના તમામ સભ્યોએ દરેક ઉડાનની જાહેરાતના અંતે થોડાક અંતરાલ બાદ અને જોશ સાથે જય હિંદ બોલવાનું રહેશે.
નોંધનીય છે કે એઆઈના પ્રમુખ અને મૅનેજિંગ ડાયરેક્ટર અશ્વની લોહાનીએ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન મે-2016માં પાયલૉટોને આવા જ નિર્દેશો આપ્યા હતાં અને કહ્યુ હતું કે વિમાનના કૅપ્ટને પ્રાયઃ યાત્રા દરમિયાન પોતાના યાત્રીઓ સાથે જોડાયેલા રહેવું જોઇએ અને જય હિંદના ઉપયોગનો જોરદાર પ્રભાવ પડશે.
હવે ઍર એન્ડિયાએ આ નિર્ણય કરી લીધો છે. આ અંગે અધિકારીઓનું કહેવું છે કે વર્તમાન આદેશ દેશના વલણ સાથે કર્મચારીઓ માટે રિમાઇંડર છે.
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી બાદ આખા દેશમાં દેશભક્તિનો જુવાળ છવાયેલો છે. એવામાં ઍર ઇન્ડિયાએ પાયલૉટોને જય હિન્દ બોલવાનો આદેશ આપી તેમની અંદર પણ દેશના દેશભક્તિથી ભરેલા વલણ સાથે જોશ ઉમેરવાનો ઉત્તમ પગલું ભર્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]