ભારતીય વાયુસેનાએ કેન્દ્ર શાસિત પ્રદેશો Jammu kashmir અને લદ્દાખમા ફસાયેલા 286 યાત્રીઓને મંગળવારે તેમના નિર્ધારીત સ્થાન સુધી પહોંચાડી દીધા છે. એક અધિકારીએ જણાવ્યું કે લદાખમા કુલ 286 યાત્રીઓ ફસાયા હતા. તેમને ભારતીય વાયુસેનાએ સી-130 એન એએન -32 ની મદદથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પહોંચાડવામા આવ્યા છે.
તેમણે કહ્યું કે 21 યાત્રીઓને લેહથી શ્રીનગર લાવવામા આવ્યા છે. જેમાં 35 ને શ્રીનગર થી કારગિલ, 19 ને કારગિલથી શ્રીનગર , 21 ને જમ્મુથી કારગિલ , 70 ને કારગિલથી જમ્મુ અને 120 લોકોને લેહથી જમ્મુ લઇ જવામા આવ્યા છે. કારગિલ કુરીયર સેવાના મુખ્ય કો- ઓર્ડીનેટર આમિર અલીએ જણાવ્યું કે શ્રી નગર કારગિલ રોડ માર્ગ બંધ હોવાના કારણે એએન- 32 કારગિલ કુરિયર સેવા અઠવાડિયામા ત્રણ વાર કારગિલથી જમ્મુ અને બે વાર કારગિલથી શ્રીનગર જાય છે.
તેમણે કહ્યું કે હાલમા હવામાન ખરાબ હોવાના લીધે સેવા રદ કરવામા આવી છે. લદાખ પ્રશાસને રક્ષા મંત્રાલય પાસે સી-17 , સી -130 અને એએન -32 વિમાનોના ઉપયોગથી મદદ કરવા અનુરોધ કર્યો હતો. અલીએ જણાવ્યું કે એએન- 32 કારગીલ કુરિયર સેવાની બુધવારે કારગિલથી શ્રીનગર અને કારગિલથી જમ્મુ ઉડાન ભરવાની યોજના છે.