AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાની બીજી લહેરમાં steroidsની હાડકાં પર કેવી અસર પડી, AIIMSએ સ્ટડી માટે ICMR પાસેથી માંગી મંજૂરી

AIIMSમાં ઓર્થોપેડિક્સના વડા અને ટ્રોમા સેન્ટરના વડા ડૉ. રાજેશ મલ્હોત્રા દ્વારા ICMRને મલ્ટિસેન્ટ્રિક અભ્યાસ માટેનો પ્રસ્તાવ સબમિટ કરવામાં આવ્યો હતો.

કોરોનાની બીજી લહેરમાં steroidsની હાડકાં પર કેવી અસર પડી, AIIMSએ સ્ટડી માટે ICMR પાસેથી માંગી મંજૂરી
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 9:13 AM
Share

AIIMS: અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન (AIIMS)એ ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં કોરોના દર્દીઓમાં એવસ્ક્યુલર નેક્રોસિસ (AVN) અથવા બોન ટિશ્યુ ડેથ (Bone tissue death)ના કેસોની તપાસ માટે મલ્ટિસેન્ટ્રિક અભ્યાસની મંજૂરીની માંગ કરવામાં આવી છે. ગયા વર્ષે કોરોનાની બીજી લહેરમાં કોરોના દર્દીઓમાં હાડકાના રોગને ધ્યાનમાં રાખીને આ માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સારવાર માટે ઉપયોગમાં લેવાતા steroidsની હાડકાં પર શું અસર થઈ તેને ધ્યાનમાં રાખીને આ માંગ કરવામાં આવી હતી.

દેશભરની હોસ્પિટલોમાં આવા કેસના અહેવાલો ચાલી રહ્યા છે, AIIMS-દિલ્હીએ પોતે 50થી વધુ દર્દીઓની સારવાર કરી છે. મુંબઈની નાણાવટી હોસ્પિટલે 10 AVN દર્દીઓ માટે હિપ રિપ્લેસમેન્ટ કર્યું હતું અને દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોની અન્ય કેટલીક હોસ્પિટલોમાં સરેરાશ 10 કેસ નોંધાયા હતા.

AIIMS ખાતે ઓર્થોપેડિક્સના વડા અને ટ્રોમા સેન્ટરના વડા ડૉ. રાજેશ મલ્હોત્રા દ્વારા ICMRને મલ્ટિસેન્ટ્રિક અભ્યાસ માટેની દરખાસ્ત સબમિટ કરવામાં આવી હતી. દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ જેવા વિસ્તારો કે જ્યાં બીજી લહેર દરમિયાન સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે, તેને આવરી લેવામાં આવે તેવી અપેક્ષા છે.

60 ટકા મહિલાઓએ સ્ટેરોઇડ્સ લીધા નથી

જો ICMR ગ્રાન્ટ માટેની અમારી દરખાસ્તને મંજૂર કરે છે તો તેઓ અભ્યાસનો ભાગ બનવા માટે પ્રોટોકોલ મુજબ સમગ્ર ભારતમાં કેન્દ્રોની ભરતી કરી શકે છે. બીજી લહેરમાં ઘણા દર્દીઓ ન્યુમોનિયાથી મૃત્યુ પામ્યા હતા, મુખ્યત્વે ડેલ્ટા વેરિઅન્ટને કારણે જેને steroidsના ભારે ડોઝની જરૂર પડે છે.

AIIMSમાં 50 AVN કેસમાંથી માત્ર 12ને તેમની કોરોના સારવાર દરમિયાન સ્ટેરોઈડ્સ મળ્યા ન હતા અને લગભગ 60 ટકા મહિલાઓ હતી. હોસ્પિટલમાં કુલ પાંચ દર્દીઓએ હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું હતું. ડોકટરોના જણાવ્યા અનુસાર AVNથી પીડિત મોટાભાગના કોરોના દર્દીઓ 35-45 વર્ષની વયના છે.

AVNએ કોઈ નવો રોગ નથી અને કોવિડ પહેલા ધૂમ્રપાન, આલ્કોહોલ અને અન્ય સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ સાથે સંકળાયેલા સ્ટેરોઈડ-ઉપયોગને કારણે કેસો જોવા મળ્યા હતા. કોવિડના દર્દીઓના કિસ્સામાં, ઓર્થોપેડિક સર્જનો નિર્દેશ કરે છે કે કેન્દ્રીય ડેટાની ગેરહાજરીમાં સમગ્ર ભારતમાં અભ્યાસ મુશ્કેલ હશે. પશ્ચિમી દેશોથી વિપરીત, જ્યાં તમામ ડેટા કેન્દ્રમાં રાખવામાં આવે છે, ભારતમાં આવો ડેટા ઉપલબ્ધ નથી.

કોવિડ-19 નામનું રિસર્ચ પેપર પ્રકાશિત કર્યું

બીજી તરફ ફોર્ટિસ હોસ્પિટલ, બેંગલુરુના ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીના ડિરેક્ટર નારાયણ હુલ્સે જણાવ્યું હતું કે કોવિડ પછીની સમસ્યાઓની સારવાર માટે દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં જાય છે, તેથી વિગતવાર અભ્યાસ માટે આવો ડેટા એકત્રિત કરવો પડકારજનક રહેશે. ગયા વર્ષે મે મહિનામાં મુંબઈની હિન્દુજા હોસ્પિટલે ત્રણ કેસ સ્ટડીઝ સાથે એવાસ્ક્યુલર નેક્રોસિસ એ લોંગ ટર્મ કોવિડ-19નો એક ભાગ નામનું સંશોધન પેપર પ્રકાશિત કર્યું હતું.

આ પણ વાંચો: યુદ્ધ થશે, રશિયાને નારાજ કરનાર યુક્રેન પર અમેરિકાએ શું કહ્યું, જેના જવાબથી ઓછી આશા બચી

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">