2024માં વડાપ્રધાન મોદી સામે લડવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે હવે મજૂર વર્ગને પણ પોતાની સાથે જોડવાની ખાસ રણનીતિ પર ભાર આપી રહ્યા છે. ભારતના રાજકારણમાં મજૂર આંદોલનોએ હંમેશા પોતાની ભૂમિકા નિભાવી છે, તેથી તમામ મુખ્ય દળોએ તેમનામાં પ્રવેશ કરવા માટે પોતપોતાના સંગઠનો બનાવ્યા. કોંગ્રેસ સાથે જોડાયેલા સંગઠન રાષ્ટ્રીય મજૂર કોંગ્રેસ બન્યું, સંઘનું ભારતીય મજૂર સંઘ અને લેફ્ટનું સીટુ દેશનું મહત્વનું મજૂર સંગઠન છે.
રાષ્ટ્રીય મજૂર કોંગ્રેસમાં લગભગ 3.5 કરોડ, ભારતીય મજૂર સંઘમાં 1 કરોડ અને સીટુમાં 62 લાખ સભ્ય હોવાનો દાવો છે. રાષ્ટ્રીય મજૂર કોંગ્રેસની સ્થાપના આઝાદી પહેલા મે 1947માં જ ગાંધી-પટેલના કહેવા પર થઈ હતી પણ છેલ્લા કેટલાક સમયમાં તેના ઘણા ગ્રુપ બની ગયા.
આ પણ વાંચો: અયોધ્યા મંદિરના મહંતે કહ્યું, કોંગ્રેસ દેશ વિરોધી, બાગેશ્વર ધામ પર આપ્યું નિવેદન
મિલ મજૂરના પુત્ર અને ટ્રેડ યૂનિયનથી રાજકારણની શરૂઆત કરનાર કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પહેલ કરી અને સંજીવ રેડ્ડી જૂથને વાસ્તવિક INTUC ગણાવ્યું. અન્ય તમામ જૂથોમાંથી એકબીજા સામેના કેસ પાછા ખેંચીને, એક કોંગ્રેસ-એક INTUC અને પછી INTUCના 33મા પૂર્ણ સત્રમાં હાજરી આપી. વાસ્તવમાં, તેના દ્વારા ખડગે મોદી સરકારની નીતિઓને મજૂર વિરોધી ગણાવીને રાજકીય હથિયાર શોધી રહ્યા છે.
ખડગેએ કહ્યું કે RSS અને ભાજપ હંમેશા મજૂર વિરોધી અને ઉદ્યોગપતિના સમર્થનમાં રહી છે. મજૂરોમાં ભાગલા પાડવા માટે અને ઉદ્યોગપતિની મદદ માટે તેમને અલગ સંગઠન બનાવ્યું. ઘણા લોકો કહે છે કે મોદીનું ચાલી રહ્યું છે. મજૂરોની આગળ કોઈનું નથી ચાલતુ, મજૂરો ભેગા થઈને ઘણા દેશોમાં સરકાર બદલી ચૂક્યા છે. પોતાની સરકાર પણ બનાવી ચૂક્યા છે. 2014 બાદ મોદી સરકારે શ્રમિક કાયદામાં મજૂર વિરોધી ફેરફાર કર્યા છે.
नेहरू जी और बाबा साहेब अम्बेडकर जी की सोच का नतीजा था कि जब दुनिया के कई लोकतांत्रिक देशों में सबको वोटिंग का अधिकार नहीं था, उस वक्त मालिक-मजदूर समेत सबको वोटिंग का अधिकार मिला।
इस अधिकार से लोग MP-MLA, PM बने, लेकिन कहते हैं- कांग्रेस ने क्या किया?
: श्री @kharge जी pic.twitter.com/HdC2bMqCtB
— Congress (@INCIndia) February 22, 2023
નરેન્દ્ર મોદી ખેડૂત વિરોધી નારા બાદ હવે કોંગ્રેસની સ્ક્રિપ્ટમાં નરેન્દ્ર મોદી મજૂર વિરોધી પણ જોડાઈ ગયું છે. તેના માટે મજૂરોની વચ્ચે INTUC મોદી સરકારની નીતિઓને પ્રચારિત-પ્રસારિત કરી તેમને મજૂર વિરોધી બતાવશે. ખાસ કરીને કોરોનાના સમયગાળા દરમિયાન મજૂરોમાં મોદી સરકારનું વલણ પણ ભીંસમાં આવશે.
નરેન્દ્ર મોદીની સામે 2014 અને 2019ની કારમી હાર બાદ 2024 પહેલા કોંગ્રેસ દરેક મોટાવર્ગને પોતાની સાથે જોડવા ઈચ્છે છે. ત્યારે ભારતીય મજૂર સંઘ પણ પોતાને મજૂર અને સરકારની વચ્ચે પુલનું કામ કરવા મજૂર વર્ગને પોતાની તરફ કરવામાં લાગ્યુ છે.
ત્યારે લેફ્ટનું સીટૂ બંગાળ, કેરળ, બિહાર અને ત્રિપુરા જેવા રાજ્યોમાં સરકારની સામે આ ભૂમિકામાં રહેશે. દત્તા સામંત, દત્તોપંત ઠેંગડી, જોર્જ ફર્નાડીઝ, મધુ લિમયે, એનએમ જોશી જેવા અલગ અલગ દળોના મજૂર યૂનિયનના નેતાઓએ દેશના રાજકારણમાં સમય-સમય પર પોતાની મોટી ભૂમિકા ભજવી છે.