AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આતંકવાદી બિટ્ટા કરાટેના ‘પાપ’નો આજે થશે હિસાબ ! 20 કાશ્મીરી પંડિતોની હત્યા કરવા બદલ 31 વર્ષ પછી શ્રીનગર કોર્ટમાં થશે સુનાવણી

સતીશ ટીક્કુના પરિવારે, કાશ્મીર ખીણના આતંકવાદી બિટ્ટા કરાટે સામે આ હિંમત બતાવી છે અને સામાજીક કાર્યકર્તા વિકાસ રાણા મારફત શ્રીનગર કોર્ટમાં અરજી દાખલ કરી છે.

આતંકવાદી બિટ્ટા કરાટેના 'પાપ'નો આજે થશે હિસાબ ! 20 કાશ્મીરી પંડિતોની હત્યા કરવા બદલ 31 વર્ષ પછી શ્રીનગર કોર્ટમાં થશે સુનાવણી
Terrorist Bitta Karate (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 1:15 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી બિટ્ટા કરાટેને (Bitta karate) લઈને આજે શ્રીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. નોંધપાત્ર રીતે, બિટ્ટા કરાટે વિરુદ્ધ નોંધાયેલા કેસોને ફરીથી ખોલવા માટે શ્રીનગરની કોર્ટમાં (Srinagar court) અરજી દાખલ કરવામાં આવી હતી. બિટ્ટા કરાટે ઉપર 31 વર્ષ બાદ આ સુનાવણી થઈ રહી છે. સતીશ ટીક્કુના (Satish Tikku) પરિવારે બિટ્ટા સામે આ હિંમત બતાવી છે અને સામાજીક કાર્યકર્તા વિકાસ રાણા મારફત શ્રીનગર કોર્ટમાં અરજી દાખલ કરી છે. જણાવી દઈએ કે 22 વર્ષીય કાશ્મીરી પંડિત સતીશ ટીક્કુની હત્યા બિટ્ટાએ કરી હતી. ટીક્કુ પરિવાર વતી એડવોકેટ ઉત્સવ બેન્સ કોર્ટમાં ટીક્કુ પરિવારનો પક્ષ રજૂ કરશે.

નોંધપાત્ર વાત એ છે કે, બિટ્ટા કરાટે નિર્દોષોની હત્યા કરવા અને આતંકવાદી ઘટનાઓમાં સામેલ થવા બદલ કાશ્મીરમાં જેલમાં કેદ હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતે કબૂલાત કરી હતી કે તેણે 20 નિર્દોષ કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી. તેણે આ ઈન્ટરવ્યુ વર્ષ 1991માં આપ્યો હતો, જેમાં તે કહેતા સ્પષ્ટ સાંભળી શકાય છે કે જો તેને તેની માતા અને ભાઈને મારી નાખવાનું કહેવામાં આવે તો, તેણે માતા અને ભાઈને પણ મારી નાખ્યા હોત.

બિટ્ટાએ 16 વર્ષ જેલમાં વિતાવ્યા હતા અને 23 ઓક્ટોબર 2006ના રોજ ટાડા કોર્ટમાંથી જામીન પર મુક્ત થયા હતા. બિટ્ટા માર્શલ આર્ટમાં પ્રશિક્ષિત છે, તેથી તેમના નામની આગળ કરાટે લગાવવામાં આવ્યું હતું. 2008ના અમરનાથ વિવાદ દરમિયાન તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેની ધરપકડ પણ પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ કરવામાં આવી છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે સંકેત આપ્યા હતા કે યાસીન મલિક અને બિટ્ટા કરાટે વિરુદ્ધ નોંધાયેલા કેસ ફરીથી ખોલવામાં આવશે.

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) રિલીઝ થઈ ત્યારથી કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની ચર્ચા સમગ્ર દેશમાં જોરશોરથી ચાલી રહી છે. ચાર દિવસ પહેલા શ્રીનગરના પ્રેસ એન્ક્લેવમાં પંડિત વેપારીઓએ આતંકવાદી બિટ્ટા કરાટેનું પૂતળું બાળ્યું હતું. પ્રદર્શનકારીઓમાંના એક સંદીપ માવાએ કાશ્મીર પંડિતોને ન્યાય મળે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.

આ પણ વાંચોઃ

કોંગોમાં વિદ્રોહીઓએ સંયુક્ત રાષ્ટ્રનુ હેલિકોપ્ટર તોડી પાડ્યુ, પાકિસ્તાન, રશિયા, સર્બિયાના 8 શાંતિ રક્ષકના મોત

આ પણ વાંચોઃ

Prashant Kishor: રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે કહ્યુ ‘આપ’ રાતોરાત રાષ્ટ્રીય પાર્ટી નહી બને, ભાજપને ટક્કર આપવા બે દાયકાની જરૂર પડશે

g clip-path="url(#clip0_868_265)">