PFIના નિશાના પર નૂપુર શર્મા! પટના આતંકવાદી મોડ્યુલના આરોપીના મોબાઈલમાં મળ્યું નૂપુરના ઘરનું સરનામું
કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓને આરોપી અતહરના મોબાઈલમાં નૂપુર શર્માના (Nupur Sharma) ઘરનું સરનામું મળી આવ્યું છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે નુપુર શર્મા PFIના નિશાના પર હોઈ શકે છે.
પટનાના ફુલવારી શરીફ ટેરર મોડ્યુલ (Phulwari Sharif Terror Module) કેસમાં મોટો ખુલાસો થયો છે. કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓને આરોપી અતહરના મોબાઈલમાં નૂપુર શર્માના (Nupur Sharma) ઘરનું સરનામું મળી આવ્યું છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે નુપુર શર્મા PFIના નિશાના પર હોઈ શકે છે. પટનાના પુલવારી શરીફમાં પોલીસના હાથે ઝડપાયેલા અતહર પરવેઝના મોબાઈલ ફોનમાંથી ભાજપના (BJP) પૂર્વ પ્રવક્તા નુપુર શર્માનો ફોન નંબર અને સરનામું મળી આવ્યું છે.
PFI શંકાસ્પદના મોબાઈલમાંથી નુપુર શર્મા વિશે માહિતી મળ્યા બાદ બિહાર પોલીસની સાથે કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. આ મામલાની તપાસ કરી રહેલી NIA-IB અને બિહાર પોલીસની ટીમને શંકા છે કે નૂપુર પણ પ્રોફેટ પરની વિવાદાસ્પદ ટિપ્પણી માટે અતહર અને તેના જૂથનું નિશાન બની શકે છે.
અતહર અને જલ્લાઉદ્દીનની 11 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી
11 જુલાઈએ પટનામાં પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા IBની ચેતવણી પર પોલીસે PFIની ઓફિસમાં આતંકવાદી તાલીમ શિબિર ચલાવી રહેલા અતહર પરવેઝ અને જલ્લાઉદ્દીનની ધરપકડ કરી હતી. આ કેસમાં પાછળથી અરમાન મલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, ધરપકડ કરાયેલા શકમંદો પાસેથી NIA, IB અને પટના પોલીસની તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા પણ તેમના નિશાના પર હતી.
શા માટે મિથિલાંચલ-સીમાંચલ પીએફઆઈની નજર હતી
આ બંનેની પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને ઘણી ચોંકાવનારી માહિતી મળી છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા બિહારના મિથિલાંચલ અને સીમાંચલ વિસ્તારો પર કેમ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું? આ સાથે જ પૂર્ણિયાને બિહારનું મુખ્યાલય બનાવવા પાછળ તેમનો શું ઈરાદો હતો તેની માહિતી પણ સામે આવી છે.
15000 થી વધુ યુવાનોને શસ્ત્રોની તાલીમ
અગાઉ અરમાન મલિકર અને અતહર પરવેઝે પૂછપરછમાં જણાવ્યું હતું કે બિહારમાં 15000થી વધુ મુસ્લિમ યુવાનોને હથિયાર વાપરવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ માટે બિહારના 12થી વધુ જિલ્લાઓમાં કેમ્પ લગાવવામાં આવ્યા હતા અને તેમને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. બંનેએ જણાવ્યું કે તેમની સંસ્થા આ માટે બેરોજગાર અને અભણ યુવાનોને ટાર્ગેટ કરતી હતી, પછી તેમનું બ્રેઈનવોશ કરતી હતી અને તેમને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. તેમને તાલીમ આપવાની જવાબદારી પીએફઆઈમાં મહત્વપૂર્ણ ગણાતા રસલાનને આપવામાં આવી હતી.