AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મસ્જિદમાં PFI સ્કૂલ ! વિદ્યાર્થીઓ સાથે પહોંચ્યા હતા આચાર્ય, આપી આ સ્પષ્ટતા

આ મામલે શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, શાળા મેનેજમેન્ટને સ્પષ્ટતા આપવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રિન્સિપાલ શનિવારે વિદ્યાર્થીઓને મસ્જિદમાં લઈ ગયા હતા. કેશવ સ્મૃતિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં તમામ વિદ્યાર્થીઓ 11મા ધોરણમાં અભ્યાસ કરે છે.

મસ્જિદમાં PFI સ્કૂલ ! વિદ્યાર્થીઓ સાથે પહોંચ્યા હતા આચાર્ય, આપી આ સ્પષ્ટતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 10:13 AM
Share

ગોવાની એક ખાનગી શાળાના પ્રિન્સિપાલ પર શાળાના વિદ્યાર્થીઓને મસ્જિદમાં લઈ જવાનો અને ત્યાં કથિત ધાર્મિક પ્રવૃત્તિઓ કરાવવાનો આરોપ છે. જ્યારે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો તો સ્કૂલ મેનેજમેન્ટે પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દીધા. તે જ સમયે, રાજ્યના શિક્ષણ વિભાગે પણ શાળા મેનેજમેન્ટ પાસેથી સ્પષ્ટતા માંગી છે. સાથે જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ આચાર્ય સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો: Sanatan Dharma : જીભ ખેચી લઈશું, આંખો કાઢી નાખીશું, સનાતન ધર્મ વિરુદ્ધના નિવેદન પર ગુસ્સે થયા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, જુઓ Video

સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકર્તાઓએ શાળાના આચાર્ય વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એક ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, VHP કાર્યકર્તાઓનો આરોપ છે કે પ્રતિબંધિત સંગઠન PFI દ્વારા મસ્જિદમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં આચાર્ય વિદ્યાર્થીઓને પોતાની સાથે લઈ ગયો હતો.

સ્કૂલ મેનેજમેન્ટ પાસે સ્પષ્ટતાની માંગ

આ મામલે શિક્ષણ નિયામક શૈલેષ ઝીંગડેએ જણાવ્યું કે, સ્કૂલ મેનેજમેન્ટને સ્પષ્ટતા આપવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રિન્સિપાલ શનિવારે વિદ્યાર્થીઓને મસ્જિદમાં લઈ ગયા હતા. કેશવ સ્મૃતિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં તમામ વિદ્યાર્થીઓ 11મા ધોરણમાં અભ્યાસ કરે છે.

શાળાના આચાર્યએ આ ખુલાસો કર્યો હતો

તે જ સમયે, શાળાના આચાર્ય શંકર ગાંવકરે પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સ્ટુડન્ટ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO)ને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે ડાબોલિમમાં એક મસ્જિદની મુલાકાત લેવાનું આમંત્રણ મળ્યું હતું. આ પછી 21 વિદ્યાર્થીઓને મસ્જિદ લઈ જવામાં આવ્યા હતા. કોઈ વિદ્યાર્થીને હિજાબ પહેરવાની ફરજ પાડવામાં આવી ન હતી, કેટલાક લોકો આવું કહી રહ્યા છે, પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે.

શંકર ગાંવકરે કહ્યું કે આ પહેલી ઘટના નથી, અગાઉ પણ વિદ્યાર્થીઓને મંદિરો, મસ્જિદો અને ચર્ચની મુલાકાત લેવા લઈ જવામાં આવ્યા હતા. શાળામાં તમામ ધર્મના બાળકો અભ્યાસ માટે આવે છે. તે જ સમયે, જમાત-એ-ઇસ્લામી હિંદના પ્રદેશ પ્રમુખ આસિફ હુસૈને પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે મસ્જિદ-એ-નૂર ખાતે વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ઘણીવાર પોતાની સ્વતંત્ર ઇચ્છાથી અહીં આવતા હતા.

VHP કાર્યકરોનો આક્ષેપ

તે દરમિયાન, આ મામલે, VHP, દક્ષિણ ગોવાના સંયુક્ત સચિવ સંજુ કોરગાઓકરે જણાવ્યું હતું કે વર્કશોપ નાના બાળકોનું બ્રેઈનવોશ કરીને તેમનું ધર્માંતરણ કરવાના પ્રયાસનો એક ભાગ હતો. પ્રિન્સિપાલે આ અંગે વિદ્યાર્થીઓના વાલીઓને પણ જાણ કરી ન હતી. બે વિદ્યાર્થીઓએ મસ્જિદ જવાની ના પાડી દીધી હતી, પરંતુ તેમને બળજબરીથી લઈ જવામાં આવ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">