Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keralaમાં 94 ટકા પોઝિટીવ સેમ્પલમાં Omicron Variant મળ્યા, સ્વાસ્થ્ય મંત્રીના નિવેદનથી લોકોનું ટેન્શન વધ્યું

કેરળ (Kerala)ના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે, રાજ્યના ચાર ટકાથી ઓછા કોવિડ દર્દી (Covid patient)ઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. જેમને દાખલ કરવામાં આવ્યા હતા, તેમાંથી એક ટકાથી ઓછા લોકોને ઓક્સિજનની જરૂર પડી છે.

Keralaમાં 94 ટકા પોઝિટીવ સેમ્પલમાં Omicron Variant મળ્યા, સ્વાસ્થ્ય મંત્રીના નિવેદનથી લોકોનું ટેન્શન વધ્યું
Corona Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 1:24 PM

કેરળ (Kerala)માં કોરોના રોગચાળો (Covid Pandemic) વધી રહ્યો છે અને રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના નિવેદનથી લોકોનું ટેન્શન વધી ગયું છે. તેમણે કહ્યું કે, કોવિડ પોઝિટિવ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ (Genome Sequencing) સતત કરવામાં આવી રહી છે અને અમને જાણવા મળ્યું કે અત્યાર સુધી પરીક્ષણ કરાયેલા સેમ્પલમાંથી લગભગ 94 ટકા ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) છે અને 6 ટકા ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) છે. તેમણે એમ પણ કહ્યું કે ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના 51,739 કેસ નોંધાયા છે, જ્યાં વિદેશથી આવેલા 80 ટકા પ્રવાસીઓમાં ઓમિક્રોનથી સંક્રમિત છે અને 20 ટકામાં ડેલ્ટા વેરિઅન્ટ મળ્યા છે.

તેમણે કહ્યું કે રાજ્યના ચાર ટકાથી ઓછા કોવિડ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. જેઓને દાખલ કરવામાં આવ્યા હતા, તેમાંથી એક ટકાથી ઓછા લોકોને ઓક્સિજનની જરૂર પડી હતી. કોવિડ પોઝિટીવ (Covid positive) દર્દીઓમાંથી, 3.6 ટકા દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને તેમાંથી 0.7 ટકાને ઓક્સિજન બેડની જરૂર છે અને 0.6 ટકાને ICUની જરૂર છે.

દેશ વિશે વાત કરતાં નેશનલ સેન્ટર ઑફ ડિસીઝ કંટ્રોલ (NCDC)એ કહ્યું છે કે, જાન્યુઆરીમાં જીનોમ સિક્વન્સિંગ કરાવનારા કોવિડ-પોઝિટીવ સેમ્પલમાંથી 75 ટકા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જણાયું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, ડેલ્ટા વેરિઅન્ટ હજુ પણ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વધુ છે.

આજનું રાશિફળ તારીખ : 26-04-2025
IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત

છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 51,739 નવા કેસ નોંધાયા છે. તેમજ 42,653 દર્દીઓ સાજા થયા છે અને 11 દર્દીઓના મોત થયા છે. સક્રિય કેસોની સંખ્યા 3,09,489 છે અને મૃતકોની સંખ્યા 52,434 છે. વીણા જ્યોર્જે મીડિયાને કહ્યું કે આવતા અઠવાડિયામાં કેસ વધુ વધી શકે છે અને આ લગભગ ત્રણ અઠવાડિયા સુધી ચાલી શકે છે. આ પછી જ લોકોને રાહત મળવાની આશા છે.

માત્ર 10-12માં ધોરણનો અભ્યાસ જ ઑફલાઈન

રાજ્યના શિક્ષણ પ્રધાન વી. શિવંકુટ્ટીએ જણાવ્યું કે, કોરોનાને કારણે માત્ર ધોરણ 10થી 12માં જ ઑફલાઈન વર્ગો હશે, જ્યારે અન્ય તમામ વર્ગો ઑનલાઈન હશે. તેમણે એમ પણ કહ્યું કે શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફે દરરોજ શાળામાં આવવું જોઈએ. રાજ્યના સ્થાનિક સ્વરાજ્ય મંત્રી એમ.વી. ગોવિંદને સ્થાનિક સંસ્થાઓના અધિકારીઓને કોવિડ અસરગ્રસ્તોને તમામ સહાય પૂરી પાડવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: વેક્સિન લીધા પછી પણ કોરોના પોઝિટિવ થશો તો Super immunity બનશે

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">