Gorkha Regiment: જાણો સેનામાં કેટલા સામેલ થયા નવા ગોરખા જવાન ? જાણો દુનિયાની સૌથી બહાદુર રેજિમેન્ટ વિશે

|

Aug 21, 2021 | 7:55 AM

ગોરખા સમુદાયના લોકો હિમાલયની ટેકરીઓમાં રહે છે, ખાસ કરીને નેપાળમાં અને તેની આસપાસ. ગોરખા રેજિમેન્ટની રચનાની વાત ખૂબ જ રસપ્રદ છે

Gorkha Regiment: જાણો સેનામાં કેટલા સામેલ થયા નવા ગોરખા જવાન ? જાણો દુનિયાની સૌથી બહાદુર રેજિમેન્ટ વિશે
ગુરખા રેજિમેન્ટને સામાન્ય રીતે પર્વતીય વિસ્તારોમાં લડવામાં નિષ્ણાત માનવામાં આવે છે

Follow us on

Gorkha Regiment: ફિલ્ડ માર્શલ સેમ માણેકશાએ કહ્યું હતું કે જો કોઈ કહે કે તે મૃત્યુથી ડરતો નથી, તો કાં તો તે ગુરખા છે અથવા તે જૂઠું બોલી રહ્યો છે. ગોરખાઓ, ભારતીય સેનાના તે બહાદુર સૈનિકો જેમની બહાદુરી વિશ્વ, પ્રથમ વિશ્વયુદ્ધથી સ્વીકારી રહ્યું છે. શુક્રવારે ભારતીય સેનાને આવા 64 નવા ગોરખા સૈનિકો મળ્યા છે જે હવે દેશના સંરક્ષણમાં તૈનાત થશે. 42 અઠવાડિયાની સખત તાલીમ બાદ 64 ગોરખા જવાન ભારતીય સેનાનો ભાગ બન્યા છે.

ભેટ કરી ખુકરી
ઉત્તર પ્રદેશના વારાણસી કેન્ટ સ્થિત 39 ગોરખા ટ્રેનિંગ સેન્ટર (GTC) માં કસમ પરેડ બાદ 64 ગોરખા સૈનિકોને ભારતીય સેનાનો ભાગ બનાવવામાં આવ્યા હતા. કમાન્ડિંગ ઓફિસર બ્રિગેડિયર હુકુમ સિંહ બેન્સલા (સેના મેડલ) એ ટ્રેનીંગ સેન્ટરમાં કોવિડ પ્રોટોકોલને અનુસરીને આયોજિત પરેડની સલામી લીધી હતી.

પાસિંગ આઉટ પરેડ બાદ, દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શપથ લેનારા ગોરખા જવાનોને નેપાળી સંસ્કૃતિ અનુસાર તેમની પરંપરાગત સાધન ખુકરી ભેટ આવી હતી. GTC માં, આ ગોરખ સૈનિકોને માનસિક રીતે એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે તેઓ યુદ્ધ દરમિયાન સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

1915 માં કરવામાં આવી હતી રચના
આ સૈનિકોને દેશની સુરક્ષામાં દૂરસ્થ અને સક્રિય વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભરતીઓને કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. નેપાળ અને ભારત વચ્ચે થયેલી સંધિ મુજબ ભારતીય સેનામાં એક અલગ ગોરખા રેજિમેન્ટ છે, જેમાં 40 હજારથી વધુ નેપાળી નાગરિકો કામ કરી રહ્યા છે.

નેપાળી યુવાનોની ભરતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન વર્ષ 1816 માં શરૂ થઇ હતી. 24 એપ્રિલ 1915 ના રોજ ગોરખા રેજિમેન્ટની રચના કરવામાં આવી હતી. આ રેજિમેન્ટનો ઇતિહાસ ગૌરવપૂર્ણ છે અને તેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સૌથી બહાદુર રેજિમેન્ટમાંની એક માનવામાં આવે છે.

ગુરખા રેજિમેન્ટ કેવી રીતે આવી અસ્તિત્વમાં?
ગોરખા સમુદાયના લોકો હિમાલયની ટેકરીઓમાં રહે છે, ખાસ કરીને નેપાળમાં અને તેની આસપાસ. પરંતુ તેઓ સામાન્ય રીતે નેપાળી ગણાય છે. આ લોકોને ખૂબ જ બહાદુર માનવામાં આવે છે. ગોરખા રેજિમેન્ટની રચનાની વાત ખૂબ જ રસપ્રદ છે.

વર્ષ 1815 માં, જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપની નેપાળી રાજાશાહી સાથે લડતી હતી, ત્યારે નેપાળનો પરાજય થયો હતો. પણ નેપાળના ગોરખા સૈનિકોએ બહાદુરીથી લડ્યા હતા. એવું કહેવાય છે કે સર ડેવિડ ઓક્ટેર્લોની અંગ્રેજો સાથેની લડાઈ દરમિયાન ગુરખાઓની બહાદુરીથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે ગુરખાઓ માટે એક અલગ રેજિમેન્ટ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

અફઘાન યુદ્ધમાં પણ સહનશક્તિ બતાવી
બ્રિટિશરો સાથેના યુદ્ધ પછી, રેજિમેન્ટની સ્થાપના 24 એપ્રિલ 1815 ના રોજ થઈ હતી. બાદમાં, જ્યારે 1816 માં બ્રિટિશરો અને નેપાળના રાજાશાહી વચ્ચે સુગૌલી સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, ત્યારે નક્કી કરવામાં આવ્યું કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ગોરખા રેજિમેન્ટની રચના કરવામાં આવશે, જેમાં ગુરખા સૈનિકો હશે.

ત્યારથી, ગુરખાઓ ભારતીય સેનાનો આવશ્યક ભાગ રહ્યા છે. તેની બહાદુરીની વાર્તાઓ સતત કહેવામાં આવે છે અને સાંભળવામાં આવે છે. ગોરખા રેજિમેન્ટે શરૂઆતથી જ તેની બહાદુરી લહેરાવી અને અંગ્રેજોની મહત્વની લડાઈમાં તેમને વિજય અપાવ્યો. આમાં, ગુરખાઓ શીખ યુદ્ધ, એંગ્લો-શીખ યુદ્ધ અને અફઘાન યુદ્ધો સાથે 1857ના ભારતીય સ્વતંત્રતાના યુદ્ધને દબાવવામાં પણ સામેલ હતા.

ક્યાં ક્યાં છે રેજિમેન્ટ
આ રેજિમેન્ટનો અમુક ભાગ પાછળથી બ્રિટિશ આર્મીમાં પણ જોડાયો. અત્યારે પણ ગુરખા રેજિમેન્ટ બ્રિટિશ સેનાનો મહત્વનો ભાગ છે. ભારતમાં ઘણા શહેરોમાં ગોરખા રેજિમેન્ટના કેન્દ્રો છે. આમાં, હિમાચલ પ્રદેશમાં વારાણસી, લખનૌ, સુબાતુ, શિલોંગના તાલીમ કેન્દ્રો પ્રખ્યાત છે.

ગુરખા રેજિમેન્ટને સામાન્ય રીતે પર્વતીય વિસ્તારોમાં લડવામાં નિષ્ણાત માનવામાં આવે છે. ગોરખાપુર ગોરખા રેજિમેન્ટ માટે એક મોટું ભરતી કેન્દ્ર છે. પરંતુ ભારત, નેપાળ અને બ્રિટન સિવાય બ્રુનેઈ અને સિંગાપોરમાં એક અથવા બીજા સ્વરૂપમાં ગુરખા રેજિમેન્ટ છે.

આ પણ વાંચો: Gujarat : કોરોનાનો કેર ઘટયો, પાછલા 24 કલાકમાં 2.75 લાખ લોકોનું રસીકરણ કરાયું

આ પણ વાંચો:  Turmeric Farming : હળદરની ખેતીથી ખેડૂતોને અઢળક કમાણી, 2 લાખના રોકાણ સામે 14 લાખની આવક

 

 

 

Published On - 7:52 am, Sat, 21 August 21

Next Article