AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુ-કાશ્મીર પર તૂટી પડયો આફતોનો પહાડ, વાદળ ફાટ્યા બાદ 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

અમરનાથ (Amarnath) ગુફા પાસે વાદળ ફાટવાના કારણે 15 લોકોના મોત થયા છે. તે જ સમયે, હવે અહીં ભૂકંપ(Earthquake)ના આંચકા પણ અનુભવાયા છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં સાંજે લગભગ 5.21 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

જમ્મુ-કાશ્મીર પર તૂટી પડયો આફતોનો પહાડ, વાદળ ફાટ્યા બાદ 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
4.5 magnitude earthquake shakes Jammu and Kashmir
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 6:48 AM
Share

જમ્મુ-કાશ્મીર પર આફતોનો પહાડ તૂટી પડ્યો છે. અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવા(Cloudburst in Jammu Kashmir)ના કારણે પહેલા 15 લોકોના મોત થયા હતા. તે જ સમયે, હવે અહીં ભૂકંપના આંચકા(Earthquake in Jammu and Kashmir) પણ અનુભવાયા છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં સાંજે લગભગ 5.21 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી.ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા અહીં અમરનાથ(Amarnath Cave) ગુફા પાસે વાદળ ફાટવાના કારણે 13 લોકોના મોત થયા છે જ્યારે 40થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સાથે જ ઘણા ભક્તો પણ લાપતા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. એનડીઆરએફ, એસડીઆરએફ સહિત 6 ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે. આ સિવાય સેનાની ટીમો પણ સ્થળ પર તૈનાત છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર બે વધારાની મેડિકલ ટીમો પણ મોકલવામાં આવી છે. 

સાંજે 5.30 કલાકે વાદળ ફાટ્યું

અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી 25 ટેન્ટ અને ત્રણ સામુદાયિક રસોડા નષ્ટ થઈ ગયા. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ભારે વરસાદ વચ્ચે સાંજે 5.30 વાગ્યે વાદળ ફાટ્યું. તેમણે કહ્યું કે ગુફાની બહાર બેઝ કેમ્પમાં અચાનક પાણી આવવાને કારણે 25 તંબુ અને ત્રણ સામુદાયિક રસોડા નષ્ટ થઈ ગયા, જ્યાં શ્રદ્ધાળુઓને ભોજન પીરસવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ, સેના અને NDRF, SDRFના જવાનો બચાવ કાર્યમાં લાગેલા છે. 

પીએમ મોદી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, ‘શ્રી અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનાથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. મનોજ સિન્હાજી સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી.” વડા પ્રધાને કહ્યું, ‘બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. 

અમિત શાહે કહ્યું, “મેં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે વાત કરી છે અને બાબા અમરનાથજીની ગુફા પાસે વાદળ ફાટવાથી અચાનક આવેલા પૂરના સંબંધમાં પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી છે. NDRF, CRPF, BSF અને સ્થાનિક પ્રશાસન બચાવ કાર્યમાં લાગેલા છે. લોકોનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા છે. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ સંબંધિત વિભાગોને યાત્રાળુઓને જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">