ઉત્તરકાશીમાં હિમ સ્ખલનથી 10ના મોત, હજુ પણ ફસાયેલા છે 21 ટ્રેકર્સ, સેના દ્વારા બચાવ કામગીરી યથાવત
ટ્રેનર અને ટ્રેઇની સહિત કુલ 175 લોકો ટ્રેનિંગમાં હતા, જેમાંથી 29 લોકો હિમ સ્ખલનને કારણે ફસાઈ ગયા છે. 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 21 લોકો હજુ પણ ફસાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો બીજીબાજૂ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, અત્યાર સુધીમાં 10 લોકોના હિમ સ્ખલનને કારણે મોત થયા છે.
ઉત્તરકાશી (Uttarkashi) સ્થિત નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 28 તાલીમાર્થીઓ હિમ સ્ખલનમાં ફસાઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડોકરાણી બમાક ગ્લેશિયરમાં 22 સપ્ટેમ્બરથી ટ્રેનિંગ ચાલી રહી હતી. આ દરમિયાન પર્વતારોહકો હિમપ્રપાતને કારણે ગ્લેશિયરની વચ્ચે એક મોટી શીલા વચ્ચે ફસાઈ ગયા હતા. તેમના બચાવ માટે સેનાને બોલાવવામાં આવી છે. હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ટ્રેનર અને ટ્રેઇની સહિત કુલ 175 લોકો ટ્રેનિંગમાં હતા, જેમાંથી 29 લોકો હિમ સ્ખલનને કારણે ફસાઈ ગયા છે. 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 21 લોકો હજુ પણ ફસાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો બીજીબાજૂ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, અત્યાર સુધીમાં 10 લોકોના હિમ સ્ખલનને કારણે મોત થયા છે.
ઉત્તરાખંડમાં હવામાન ઝડપથી બદલાયું છે. પહાડો પર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. ઉત્તરકાશી સ્થિત નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના તાલીમાર્થીઓ દ્રૌપદીના દાંડામાં હિમસ્ખલન થતાં બરફમાં ફસાઈ ગયા છે. આ દુર્ઘટના બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી છે અને બચાવ કામગીરી માટે સેનાની મદદ માંગી હતી.
આ પછી સેનાએ બચાવ અભિયાન શરૂ કર્યું છે. આ અકસ્માતમાં કેટલાક પર્વતારોહકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. તેમના નિધન પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતે શોક વ્યક્ત કર્યો છે. રાજનાથ સિંહે ટ્વિટર પર કહ્યું કે, “ઉત્તરકાશીમાં નેહરુ પર્વતારોહણ સંસ્થા દ્વારા કરવામાં આવેલા પર્વતારોહણ અભિયાનમાં ભૂસ્ખલનને કારણે જાનહાનિ અને સંપત્તિના નુકસાનથી ખૂબ જ દુઃખી છું. તેમના પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.
Deeply anguished by the loss of precious lives due to landslide which has struck the mountaineering expedition carried out by the Nehru Mountaineering Institute in Uttarkashi. My condolences to the bereaved families who have lost their loved ones. Okay 1/2
— Rajnath Singh (@rajnathsingh) October 4, 2022
તેમના આગામી ટ્વીટમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ‘મેં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી અને સ્થિતિ વિશે જાણ્યું. ફસાયેલા પર્વતારોહકોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. મેં એરફોર્સને બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો છે. દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના.
મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું, “દ્રૌપદીના દાંડા-2 પર્વત શિખર પર હિમપ્રપાતમાં ફસાયેલા તાલીમાર્થીઓને બચાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર, NDRF, SDRF, આર્મી અને ITBP સાથે NIMની ટીમ દ્વારા સઘન બચાવ કરવામાં આવ્યો. રાહત. અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
द्रौपदी का डांडा-2 पर्वत चोटी में हिमस्खलन में फंसे प्रशिक्षार्थियों को जल्द से जल्द सकुशल बाहर निकालने के लिए NIM की टीम के साथ जिला प्रशासन, NDRF, SDRF, सेना और ITBP के जवानों द्वारा तेजी से राहत एवं बचाव कार्य चलाया जा रहा है।
— Pushkar Singh Dhami (@pushkardhami) October 4, 2022