Gujarati NewsNational23 Years of Kargil War When Pakistani Soldiers Infiltrated Indian Territory
કારગિલ યુદ્ધના 23 વર્ષ : જ્યારે પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરી અને દેશના વીર જવાનોએ જડબાતોડ આપ્યો હતો જવાબ
પાકિસ્તાની સેનાના સેંકડો સૈનિકો અને જેહાદીઓ જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના કારગિલ જિલ્લાના પર્વતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી. જેમાં વર્ષ 1999માં ભારતે, પાકિસ્તાનને એવો જવાબ આપ્યો કે ત્યારબાદ પાકિસ્તાને સપનામાં આ પગલાનો વિચાર કર્યો નહીં.
'Operation Vijay' memorial, Tololing hills
Image Credit source: iStock
Follow us on
આજથી ઠીક 23 વર્ષ પહેલાં, પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ નિયંત્રણ રેખા (LOC)પર ભારતીય ક્ષેત્રમાં મોટા પાયે ઘૂસણખોરી શરૂ કરી હતી. પાકિસ્તાની સેનાના સેંકડો સૈનિકો અને જેહાદીઓ જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir)ના કારગિલ જિલ્લા સિઓનીના પર્વતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી. ભારત વિરુદ્ધ નાકામ લશ્કરી યોજના પાકિસ્તાની સેનાના તત્કાલીન વડા જનરલ પરવેઝ મુશર્રફ અને અન્ય ત્રણ જનરલો – મોહમ્મદ અઝીઝ, જાવેદ હસન અને મહમૂદ અહેમદ દ્વારા કરવામાં આવી હતી.
3 મે, 1999: કારગિલના પહાડી વિસ્તારમાં કેટલાક સશસ્ત્ર પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓને સ્થાનિક ભરવાડોએ જોયા. તેણે સેનાના અધિકારીઓને જાણ કરી.
5 મે 1999: ભારતીય સેનાના જવાનોને વિસ્તારમાં ઘૂસણખોરીના અહેવાલોના જવાબમાં મોકલવામાં આવ્યા. પાકિસ્તાની સૈનિકો દ્વારા ઓછામાં ઓછા પાંચ ભારતીય સેનાના જવાનો શહીદ થયા.
9 મે, 1999: પાકિસ્તાની સેનાએ કારગીલમાં ભારતીય સેનાના દારૂગોળાના ડેપોને નિશાન બનાવીને ભારે ગોળીબાર કર્યો.
10 મે, 1999: પાકિસ્તાની સેનાના જવાનોએ નિયંત્રણ રેખા પાર કરીને દ્રાસ અને કાકસર સેક્ટર સહિત જમ્મુ અને કાશ્મીરના અન્ય ભાગોમાં ઘૂસણખોરી કરી.
મધ્ય મે: ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ શરૂ કર્યું, ઘૂસણખોરીના પ્રયાસોને રોકવા માટે કાશ્મીર ખીણમાંથી કારગિલ જિલ્લામાં વધુ સૈનિકો મોકલ્યા. દરમિયાન, પાકિસ્તાની સેનાએ હુમલામાં સામેલ હોવાનો ઇનકાર કર્યો છે.
26 મે, 1999: ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલા શરૂ કર્યા, ઘણા પાકિસ્તાની ઘૂસણખોરોને ખતમ કર્યા.
1 જૂન 1999: પાકિસ્તાને વધુ હુમલા કર્યા અને નેશનલ હાઈવે 1 ને નિશાન બનાવ્યું. ફ્રાન્સ અને અમેરિકાએ ભારત વિરુદ્ધ સૈન્ય અભિયાન માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું.
5 જૂન, 1999: ભારતે પાકિસ્તાની સૈન્યની સંડોવણીને છતી કરતા દસ્તાવેજો જાહેર કર્યા.
9 જૂન, 1999: ભારતીય સેનાના જવાનોએ જમ્મુ અને કાશ્મીરના બટાલિક સેક્ટરમાં બે મુખ્ય સ્થાનો પર કબજો કર્યો.
13 જૂન, 1999: ભારતીય સશસ્ત્ર દળોએ તોલોલિંગ શિખર પર ફરીથી કબજો કર્યો ત્યારે પાકિસ્તાનને મોટો આંચકો લાગ્યો. તત્કાલીન ભારતીય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી કારગીલની મુલાકાતે ગયા.
20 જૂન, 1999: ભારતીય સેનાએ ટાઈગર હિલ નજીક મહત્વપૂર્ણ સ્થાનો પર કબજો કર્યો.
4 જુલાઈ 1999: ભારતીય સેનાએ ટાઈગર હિલ પર કબજો કર્યો.
5 જુલાઈ 1999: પાકિસ્તાનના વડા પ્રધાને આંતરરાષ્ટ્રીય દબાણને પગલે કારગિલમાંથી પાકિસ્તાની દળોને પાછા ખેંચવાની જાહેરાત કરી.
12 જુલાઈ 1999: પાકિસ્તાની સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પડી.
14 જુલાઈ 1999: ભારતીય વડાપ્રધાને સેનાના ‘ઓપરેશન વિજય’ને સફળ જાહેર કર્યું.
જુલાઈ 26, 1999: ભારત વિજયી બન્યું કારણ કે સેનાએ કબજો કરાયેલી તમામ જગ્યાઓ જીતી લીધી. કારગિલ યુદ્ધ, જે 2 મહિના અને ત્રણ અઠવાડિયાથી વધુ ચાલ્યુ, આખરે અંત આવ્યો. આપણી માતૃભૂમિને બચાવવા માટે 500 થી વધુ ભારતીય સૈનિકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. યુદ્ધ દરમિયાન 3,000 થી વધુ પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ માર્યા ગયા હતા.
‘ઓપરેશન વિજય’ની સફળતા બાદ આ દિવસને ‘વિજય દિવસ’ નામ આપવામાં આવ્યું. દુનિયાના ઈતિહાસમાં ‘કારગિલ યુદ્ધ’ સૌથી ઊંચાઈ પર થનારી યુદ્ધની ઘટનાઓમાંથી એક છે.