ઉત્તરપ્રદેશના કન્નૌજમાં ભીષણ બસ દુર્ઘટના ઘટી છે. ટ્રક સાથે ટક્કર બાદ ડબલ ડેકર બસમાં ભીષણ આગ લાગી અને આ આગમાં 20 લોકોનાં મોત નિપજયાં છે. જયારે 21 લોકો ઘાયલ થયા છે. ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની શકયતા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ બસ દુર્ઘટના જીટી રોડ હાઇવે પર ઘટી છે. મહત્વનું છે કે બસ કન્નૌજથી ગુરસહાયગંજથી જયપુર જઈ રહી હતી. ઘટના રાત્રે 9.30 કલાકે ઘટી હતી. દુર્ઘટના બાદ અચાનક જ બસમાં આગ લાગી ગઈ હતી અને મળતા અહેવાલો મુજબ બસમાં આગ લાગ્યા બાદ મુસાફરો બહાર નિકળવામાં અસમર્થ હતા.
દુર્ઘટના બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યકત કર્યું હતું. તો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તરત જ ઘટના અંગે જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘાયલોને તુરંત જ સંભવિત સહાય આપવામાં આવી રહી છે. સાથે જ સીએમ યોગીએ મૃતકોના પરિજનોને રૂ.2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. સીએમ યોગીએ કન્નૌજના જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક જરૂરી સહાય આપવાના નિર્દેશ કર્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો