AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એરફોર્સ કોન્ક્લેવ: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું – માનવતા અને લોકશાહીની ગરિમા માટે લડવામાં આવ્યું હતું 1971 નું યુદ્ધ

વાયુસેના પ્રમુખ વિવેક રામ ચૌધરીએ કહ્યું કે 1971 નું યુદ્ધ ઇતિહાસમાં સૌથી ટૂંકી લશ્કરી લડાઈ હતી, જેમાં ભારતે સૌથી ઝડપી જીત મેળવી હતી. આ યુદ્ધમાં 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું હતું.

એરફોર્સ કોન્ક્લેવ:  સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું - માનવતા અને લોકશાહીની ગરિમા માટે લડવામાં આવ્યું હતું 1971 નું યુદ્ધ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 10:42 PM
Share

રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે બેંગલુરુમાં સુવર્ણ વિજય વર્ષ નિમિત્તે ભારતીય વાયુસેના દ્વારા આયોજિત કોન્ક્લેવમાં જણાવ્યું હતું કે 1971 નું યુદ્ધ ઇતિહાસની કેટલીક લડાઇઓમાંથી એક છે જે પ્રદેશ પર કબજો મેળવવા અથવા તાકાત મેળવવા માટે લડાઇ ન હતી. પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ લોકશાહી અને માનવતાની ગરિમાનું રક્ષણ કરવાનો હતો.

વાયુસેના પ્રમુખ વિવેક રામ ચૌધરીએ કહ્યું કે 1971 નું યુદ્ધ ઇતિહાસમાં સૌથી ટૂંકી લશ્કરી લડાઈ હતી, જેમાં ભારતે સૌથી ઝડપી જીત મેળવી હતી. આ યુદ્ધમાં 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ બાદ કોઈ પણ સેના દ્વારા કરવામાં આવેલું આ સૌથી મોટું આત્મ સમર્પણ છે. વાયુસેના પ્રમુખે કહ્યું કે ભારતીય દળોએ પશ્ચિમ અને પૂર્વીય મોરચે ઉત્તમ લડત આપી. હવા, જમીન અને સમુદ્રમાં શાનદાર કુશળતા બતાવી. ભારતીય દળોએ આ વિસ્તારમાં પાક સેના પર પ્રભુત્વ જમાવ્યું હતું.

સીડીએસ બિપિન રાવતે 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધને ઐતિહાસિક ઘટના ગણાવી હતી. જેણે દક્ષિણ એશિયન ઉપખંડની ભૂગોળ બદલી નાખી. 14 દિવસમાં, આ યુદ્ધ સફળતા પૂર્વક સમાપ્ત થયું અને બાંગ્લાદેશનો ઉદય થયો.

સરકાર હથિયારો અને સાધનોની નિકાસ માટે તૈયાર કરવામાં આવી રહેલી માર્ગદર્શિકાને આખરી ઓપ આપી રહી છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદીય સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર હાલમાં મૈત્રીપૂર્ણ દેશોમાં નવીનીકૃત હથિયારો અને સાધનોની નિકાસ માટેની માર્ગદર્શિકાને આખરી ઓપ આપી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંરક્ષણ બાબતો પર સંસદીય સલાહકાર સમિતિની બેઠક દરમિયાન મંત્રીએ બેંગલુરુમાં કહ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળોના જૂના હથિયારો અને સાધનોને પહેલા સંરક્ષણ ઉદ્યોગ દ્વારા નવીનીકરણ કરવામાં આવશે અને પછી તેની મૈત્રીપૂર્ણ દેશોમાં નિકાસ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે સિંહે તેમના ભાષણ દરમિયાન સમિતિને કહ્યું હતું કે જૂની સંરક્ષણ વસ્તુઓને નવીનીકરણ કરીને નિકાસ માટે “અમલીકરણ માર્ગદર્શિકા”ને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સિંહે સમિતિને જણાવ્યું કે સરકારે 2024-25 સુધીમાં એરોસ્પેસ અને સંરક્ષણ સામાન અને સેવાઓમાં 35,000 કરોડ રૂપિયા (5 બીલીયન અમેરીકી ડોલર) ની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ પણ વાંચો :  High Return Stock : 17 રૂપિયા 40 પૈસાનો આ સ્ટોક 2500 રૂપિયાને પાર પહોંચ્યો, 1 લાખનું રોકાણ 1.48 કરોડ થયું, શું છે આ શેર તમારી પાસે છે?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">