એરફોર્સ કોન્ક્લેવ: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું – માનવતા અને લોકશાહીની ગરિમા માટે લડવામાં આવ્યું હતું 1971 નું યુદ્ધ

વાયુસેના પ્રમુખ વિવેક રામ ચૌધરીએ કહ્યું કે 1971 નું યુદ્ધ ઇતિહાસમાં સૌથી ટૂંકી લશ્કરી લડાઈ હતી, જેમાં ભારતે સૌથી ઝડપી જીત મેળવી હતી. આ યુદ્ધમાં 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું હતું.

એરફોર્સ કોન્ક્લેવ:  સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું - માનવતા અને લોકશાહીની ગરિમા માટે લડવામાં આવ્યું હતું 1971 નું યુદ્ધ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 10:42 PM

રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે બેંગલુરુમાં સુવર્ણ વિજય વર્ષ નિમિત્તે ભારતીય વાયુસેના દ્વારા આયોજિત કોન્ક્લેવમાં જણાવ્યું હતું કે 1971 નું યુદ્ધ ઇતિહાસની કેટલીક લડાઇઓમાંથી એક છે જે પ્રદેશ પર કબજો મેળવવા અથવા તાકાત મેળવવા માટે લડાઇ ન હતી. પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ લોકશાહી અને માનવતાની ગરિમાનું રક્ષણ કરવાનો હતો.

વાયુસેના પ્રમુખ વિવેક રામ ચૌધરીએ કહ્યું કે 1971 નું યુદ્ધ ઇતિહાસમાં સૌથી ટૂંકી લશ્કરી લડાઈ હતી, જેમાં ભારતે સૌથી ઝડપી જીત મેળવી હતી. આ યુદ્ધમાં 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ બાદ કોઈ પણ સેના દ્વારા કરવામાં આવેલું આ સૌથી મોટું આત્મ સમર્પણ છે. વાયુસેના પ્રમુખે કહ્યું કે ભારતીય દળોએ પશ્ચિમ અને પૂર્વીય મોરચે ઉત્તમ લડત આપી. હવા, જમીન અને સમુદ્રમાં શાનદાર કુશળતા બતાવી. ભારતીય દળોએ આ વિસ્તારમાં પાક સેના પર પ્રભુત્વ જમાવ્યું હતું.

સીડીએસ બિપિન રાવતે 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધને ઐતિહાસિક ઘટના ગણાવી હતી. જેણે દક્ષિણ એશિયન ઉપખંડની ભૂગોળ બદલી નાખી. 14 દિવસમાં, આ યુદ્ધ સફળતા પૂર્વક સમાપ્ત થયું અને બાંગ્લાદેશનો ઉદય થયો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સરકાર હથિયારો અને સાધનોની નિકાસ માટે તૈયાર કરવામાં આવી રહેલી માર્ગદર્શિકાને આખરી ઓપ આપી રહી છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદીય સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર હાલમાં મૈત્રીપૂર્ણ દેશોમાં નવીનીકૃત હથિયારો અને સાધનોની નિકાસ માટેની માર્ગદર્શિકાને આખરી ઓપ આપી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંરક્ષણ બાબતો પર સંસદીય સલાહકાર સમિતિની બેઠક દરમિયાન મંત્રીએ બેંગલુરુમાં કહ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળોના જૂના હથિયારો અને સાધનોને પહેલા સંરક્ષણ ઉદ્યોગ દ્વારા નવીનીકરણ કરવામાં આવશે અને પછી તેની મૈત્રીપૂર્ણ દેશોમાં નિકાસ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે સિંહે તેમના ભાષણ દરમિયાન સમિતિને કહ્યું હતું કે જૂની સંરક્ષણ વસ્તુઓને નવીનીકરણ કરીને નિકાસ માટે “અમલીકરણ માર્ગદર્શિકા”ને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સિંહે સમિતિને જણાવ્યું કે સરકારે 2024-25 સુધીમાં એરોસ્પેસ અને સંરક્ષણ સામાન અને સેવાઓમાં 35,000 કરોડ રૂપિયા (5 બીલીયન અમેરીકી ડોલર) ની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ પણ વાંચો :  High Return Stock : 17 રૂપિયા 40 પૈસાનો આ સ્ટોક 2500 રૂપિયાને પાર પહોંચ્યો, 1 લાખનું રોકાણ 1.48 કરોડ થયું, શું છે આ શેર તમારી પાસે છે?

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">