AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 જાહેર સભા-10 હજાર કિલોમીટરનો પ્રવાસ, 90 કલાક વ્યસ્ત રહેશે પીએમ મોદી, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

PM નરેન્દ્ર મોદીએ 4 દિવસનું ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ બનાવ્યું છે. તેઓ આ ચાર દિવસમાં 10 જાહેર રેલીઓ કરવાના છે અને 10,800 કિલોમીટરથી વધુની યાત્રા કરશે. તેઓ જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં જાહેર રેલીઓ યોજવાના છે.

10 જાહેર સભા-10 હજાર કિલોમીટરનો પ્રવાસ, 90 કલાક વ્યસ્ત રહેશે પીએમ મોદી, જાણો સંપૂર્ણ  શેડ્યૂલ
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 7:47 PM
Share

પીએમ નરેન્દ્ર મોદીએ 4 દિવસનું ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ બનાવ્યું છે. તેઓ આ ચાર દિવસમાં 10 જાહેર રેલીઓ કરવાના છે અને 10,800 કિલોમીટરથી વધુની યાત્રા કરશે. તેઓ જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં જાહેર રેલીઓ યોજવાના છે. તેઓ આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોને ગણાવશે કરશે. તે અગરતલાથી મુંબઈ અને લખનૌથી બેંગ્લોર જશે. તેમની યાત્રાઓ દેશના ખૂણેખૂણાને જોડે છે.

PM નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ દિલ્હીથી લખનૌ ગયા હતા જ્યાં તેમણે ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી તેઓ મુંબઈ ગયા જ્યાં તેમણે બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ ઉપરાંત તેમણે બે રોડ પ્રોજેક્ટ પણ ડેડિકેટ કર્યા હતા. આ પછી તે દિલ્હી પાછા ફર્યા. આ પછી તેણે એક જ દિવસમાં 2700 કિલોમીટરથી વધુનો પ્રવાસ કર્યો.

બીજા દિવસે તે ત્રિપુરા ગયા. અહીં તેમણે બે જાહેરસભાઓને સંબોધી હતી. આ બંને જાહેર સભાઓ અંબાસા અને રાધાકિશોરપુરમાં યોજાઈ હતી. આ પછી તે દિલ્હી પાછા ફર્યા. આ દરમિયાન તેણે એક જ દિવસમાં 3 હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. આ પછી, 12 ફેબ્રુઆરીએ, પીએમ મોદીએ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. અહીં તેમણે આગામી એક વર્ષ સુધી ચાલનારા કાર્યક્રમોનું ઉદ્ઘાટન કર્યું.

આ પછી પીએમ નરેન્દ્ર મોદી રવિવારે જ રાજસ્થાનના દૌસા જશે. અહીં તેઓ અનેક હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ અહીં બે જનસભાને સંબોધિત કરશે અને ત્યારબાદ તેઓ સીધા બેંગલુરુ જવા રવાના થશે. તે મોડી રાત્રે બેંગલુરુ પહોંચશે. આ કાર્યક્રમ દરમિયાન તે 1750 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. સોમવારે સવારે પીએમ મોદી બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ ફરી ત્રિપુરા તરફ વળશે અને અહીં અગરતલામાં એક જનસભાને સંબોધશે.

પીએમ મોદી ફરીથી ત્રિપુરાથી દિલ્હી જવા રવાના થશે અને ફરી લગભગ 3,350 કિમીનું અંતર કાપશે. 90 કલાકથી ઓછા સમયમાં પીએમ મોદીએ 10,800 કિલોમીટરથી વધુની યાત્રા કરી હશે અને 10 જાહેર સભાઓને સંબોધશે. આટલું જ નહીં, આ દરમિયાન તેમણે અનેક મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">