મહારાષ્ટ્રમાં આજથી 10 રૂપિયામાં મળશે ભોજન. ગરીબ પરિવારોને સસ્તામાં ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકારે 10 રૂપિયામાં એક થાળી ભોજન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે મહારાષ્ટ્રના 6 શહેરોમાં કેન્દ્રો ઉભા કરવામાં આવશે. અને મહારાષ્ટ્રના ગરીબોને 10 રૂપિયામાં એક થાળી ભોજન મળી રહેશે. શરૂઆતના તબક્કે એક દિવસમાં 500 લોકોને આ થાળીનો લાભ મળશે. ત્યારબાદ મુખ્ય સચિવની આગેવાનીમાં રચાયેલી સમિતિ લાભાર્થીઓના આવકની મર્યાદા નક્કી કરશે. જ્યારે જિલ્લા કલેક્ટરની એક સમિતિ તમામ કેન્દ્રો પર નજર રાખશે.
આ પણ વાંચોઃ બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનને કહ્યું, હું મુસ્લિમ, મારી પત્નિ હિન્દુ અને મારા બાળકો….
હવે તમને એ પણ જણાવીએ કે એક થાળીમાં કેટલું ભોજન મળશે તો, 10 રૂપિયાની આ થાળીમાં 230 ગ્રામ રોટલી. 100 ગ્રામ એટલે કે એક વાટકી ચોખા, એક વાટકી શાક અને એક વાટકી દાળ મળશે. આ સેવા મહારાષ્ટ્રના મુંબઈ સહિત ઔરંગાબાદ, અમરાવતી, ભંડારા, નાસિક અને પંઢરપુરમાં મળશે. હવે તેના ખર્ચની વાત કરીએ તો રાજ્ય સરકાર જે ભોજન 10 રૂપિયામાં આપે છે તે શહેરી વિસ્તારમાં 50 રૂપિયામાં અને ગ્રામ્ય વિસ્તારમાં 40 રૂપિયામાં મળે છે. એટલે કે પહેલા ત્રણ મહિનામાં 10 લાખ રૂપિયાનો ખર્ચ થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો