‘નામ અને નિશાન’ ગયા પછી ઉદ્ધવ ઠાકરે અકળાયા, શિવસેનાનુ ટ્વિટર અને વેબસાઇટ કરી નાખી ડિલીટ

ઉદ્ધવ ઠાકરે કેમ્પે શિવસેનાના ટ્વિટર હેન્ડલ અને શિવસેનાની વેબસાઈટ બંને ડિલીટ કરી દીધા છે. ટ્વિટર હેન્ડલ અને વેબસાઈટ બંને શિવસેનાના નામે હતા. જેનું સંચાલન ઉદ્ધવ ઠાકરે કેમ્પ દ્વારા કરવામાં આવ્યું હતું.

'નામ અને નિશાન' ગયા પછી ઉદ્ધવ ઠાકરે અકળાયા, શિવસેનાનુ ટ્વિટર અને વેબસાઇટ કરી નાખી ડિલીટ
Uddhav Thackeray, Former Chief Minister, Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 11:31 AM

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને, ચૂંટણી પંચ દ્વારા શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું છે. શિવસેનાનું નામ અને ચૂંટણી પ્રતિક એકનાથ શિંદેને ફાળવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ આક્રમક બન્યું છે. તેઓએ ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કરી છે. દરમિયાન, ઉદ્ધવ ઠાકરે કેમ્પે, શિવસેનાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ અને તેની વેબસાઇટ બંનેને ડિલીટ કરી દીધા છે. ટ્વિટર હેન્ડલ અને વેબસાઈટ બંને શિવસેનાના નામે હતા. જેનું સંચાલન ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું કે શિવસેનાના તેમના જૂથને છત્રપતિ શિવાજી મહારાજના આશીર્વાદને કારણે ધનુષ અને બાણનું પ્રતીક મળ્યું છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક શિવસેના તરીકે સ્વીકારવાના ચૂંટણી પંચના નિર્ણય પછી, તમામ પક્ષોએ તેમની આંખો ખુલ્લી રાખવાની અને સાવચેત રહેવાની જરૂર છે.

બાળ ઠાકરેએ વર્ષ 1966માં આ પાર્ટીની સ્થાપના કરી હતી

ચૂંટણી પંચે શુક્રવારે શિંદેની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને પક્ષનું ચૂંટણી પ્રતીક ધનુષ બાણ ફાળવ્યું હતું. આ નિર્ણય ઠાકરે માટે આંચકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેમના પિતા બાળ ઠાકરેએ વર્ષ 1966માં શિવસેના પાર્ટીની સ્થાપના કરી હતી. અહીં ઉત્તર ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરતા ઠાકરેએ કહ્યું, “શિવસેના સાથે જે થયું, અમારી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું, તે તમારી સાથે પણ થઈ શકે છે.” તમામ પક્ષોએ તેમની આંખો ખુલ્લી રાખવી જોઈએ અને સજાગ રહેવું જોઈએ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હું ક્યારેય મુખ્ય પ્રધાન બનવા માંગતો ન હતો – ઉદ્ધવ ઠાકરે

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાધતા ઠાકરેએ કહ્યું, “તમને મારા પિતાનો ચહેરો જોઈએ છે, પરંતુ તેમના પુત્રનો નહીં.” હું તમારી સાથે આવવા તૈયાર હતો. જ્યારે હું મારા પિતાને આપેલા વચનો પૂરા કરવા માંગતો હતો ત્યારે તમે મને છેતર્યા તો હું શું કરીશ? ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું ક્યારેય મુખ્ય પ્રધાન બનવા માંગતો ન હતો, પરંતુ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ મને મુખ્ય પ્રધાન બનવા કહ્યું કારણ કે શક્ય હતું કે સરકાર ન બને. શું ભાજપે પોતાનું વચન પૂરું કર્યું જેમાં શિવસેના અને ભાજપ અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાન બનવાના હતા?

તેમણે કહ્યું કે મારા પક્ષના કેટલાક લોકોએ બળવો કર્યો, જે લોકો જવા માગે છે તેઓ જઈ શકે છે, તેમણે બીજી પાર્ટીમાં ભળી જવું જોઈતું હતું, પરંતુ તેઓ મને ઘરની બહાર કાઢીને કબજે કરવા માગે છે. ઠાકરેએ કહ્યું કે મારા પિતાએ આ પક્ષને પાણી પીવડાવ્યું છે અને શિવસૈનિકોએ તેને સમર્થન આપ્યું છે, પરંતુ હવે તેઓ માલિક બનવા માગે છે અને અમારી સંસ્થાઓ એવી છે કે તેણે ઘરના માલિકને ઘરનો ચોર બનાવી દીધો છે; આ દેશમાં શું થઈ રહ્યું છે. તેમણે કહ્યું, પરંતુ જે પણ થઈ રહ્યું છે તે સારું છે કારણ કે લોકો ગુસ્સે છે અને અનુભવે છે કે ખોટું થયું છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">