Surat : દાદીને મળવાની ઘેલછામાં બે નાની દિકરી ટ્રેન મારફતે પહોંચી ગઈ મુંબઇ

સુરતમાં બે બહેનોને દાદીને મળવાની ઈચ્છા થઇ હતી પરંતુ ટ્રેનની ખબર ના પડતા મુંબઈ પહોંચી ગઈ હતી. પરંતુ સુરત પોલીસે (Surat police) બન્નેને શોઝીને હેમખેમ પરિવારને સુપરત કરી હતી.

Surat : દાદીને મળવાની ઘેલછામાં બે નાની દિકરી ટ્રેન મારફતે પહોંચી ગઈ મુંબઇ
સુરતની બે બહેન પહોંચી મુંબઈ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 04, 2021 | 3:13 PM

સુરતના (Surat ) પુણા વિસ્તારમાં (puna Area)  રેલવે પાટા નજીક આવેલી રાજીવ નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા બિહારી શ્રમજીવી પરિવારની (Working family) બે બહેનો રમતી વખતે ગુમ થઇ ગઇ હતી. મોડી રાત્રે પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો.

પોલીસને સોશિયલ મીડિયાના માધ્યમથી બંને બાળકીઓ મુંબઈના બાંદ્રા ખાતે હોવાની જાણકારી મળી હતી. જેને ધ્યાનમાં રાખીને પોલીસની એક ટીમ રવાના થઈ હતી. અને રાત્રે આ બાળકીઓને પરત લઇ આવીને તેના પરિવારને હેમખેમ સુપરત કરી હતી.

બાળકીઓ બિહાર ખાતે રહેતી તેમની દાદીને મળવા જવાની ઘેલછામાં અન્ય ટ્રેનમાં બેસી જતાં મુંબઇ પહોંચી ગઈ હતી. રાજીવ નગર ઝુપડપટ્ટીમાં રહેતા બિહારી પરિવારની પાંચ અને છ વર્ષની બે પિતરાઇ બહેનો બપોરે ઘરઆંગણે રમતી વેળા અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવાર દ્વારા રાત્રે 11 વાગ્યે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા 55 થી વધુનો પોલીસ કાફલો બંને બાળકોની શોધખોળ માં જોડાયો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સુરતના રેલવે સ્ટેશન પાર્કિંગ, રેલવેના પાટા, બસ સ્ટેન્ડ, અવાવરી જગ્યા ઉપરાંત કામદારોને પણ પુછપરછ હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે સીસીટીવી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવતા આખી રાત જહેમત ઉઠાવ્યા પછી બંને બાળકીઓ મુંબઈમાં રેલવે પોલીસને મળી હતી.

બંને દીકરીઓને સલામત રીતે સુરત પરત લાવવામાં આવી હતી. પુણા પોલીસની એક ટીમ મુંબઈના બાંદ્રા ખાતે પહોંચી હતી અને રાત્રે બંને બાળકીઓને પરત લઇ આવી હતી. બાળકોને પૂછતા તેઓ બિહાર ખાતે રહેતી દાદી ને મળવાની ઘેલછામાં રેલવે સ્ટેશન પહોંચી હતી. પરંતુ ટ્રેનની જાણકારી ન હોવાથી અન્ય ટ્રેનમાં બેસી ગઈ હતી. જોકે બંને દીકરીઓ માતા પિતાને મળી જતા તેમણે હાશકારો અનુભવ્યો હતો. અને પોલીસ આભાર વ્યક્ત કર્યો હતો.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">