NCP સાંસદ સુપ્રિયા સુલેએ (Supriya Sule NCP) આજે 6 જૂન, સોમવારે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના (Anil Deshmukh) પરિવાર વિરુદ્ધ 109 વખત દરોડા પાડ્યા છે. આખરે એકસો આઠ વખત તપાસ એજન્સીઓ શું કરી રહી હતી ? આટલા દરોડા પછી પણ અનિલ દેશમુખ સામે કોઈ સબળ પુરાવા મળ્યા નથી કારણ કે તેમણે કોઈ ગુનો કર્યો નથી. સુપ્રિયા સુલેએ કહ્યું કે તેમના મુદ્દાની નોંધ લેવી જોઈએ કે અનિલ દેશમુખ અને મહારાષ્ટ્રના લઘુમતી મંત્રી નવાબ મલિકને (Nawab Malik) અંતે ક્લીનચીટ મળશે. એનસીપીના આ બંને નેતાઓ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થશે.
સુપ્રિયા સુલેએ કહ્યું કે જેમની સામે ગંભીર ગુનાનો કેસ નોંધાયેલ છે, તેમને સાક્ષી બનાવીને માફ કરવામાં આવી રહ્યા છે અને જેમણે કોઈ ગુનો કર્યો નથી, તેઓ જેલની અંદર છે. એનસીપી સાંસદે એમ પણ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં આ મુદ્દો પીએમ મોદી સમક્ષ ઉઠાવશે. જે લોકો ભાજપ વિરુદ્ધ બોલે છે, તપાસ એજન્સીઓ તેમની વિરુદ્ધ છે. સાંસદે કહ્યું કે તેઓ કેન્દ્રની ભાજપ સરકારથી નારાજ નથી, પરંતુ આશ્ચર્યચકિત છે.
#WATCH Our 2 leaders (Nawab Malik & Anil Deshmukh) who didn’t do anything are stuck in jail.109 times raid on Deshmukh family should make it to Limca Book of Records…Today or tomorrow, court will give them clean chit. Whoever speaks against Centre is raided: NCP MP Supriya Sule pic.twitter.com/6wlZkrNhbp
— ANI (@ANI) June 6, 2022
આ દરમિયાન તમને જણાવી દઈએ કે 10 જૂને મહારાષ્ટ્રની રાજ્યસભાની 6 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. પરંતુ નવાબ મલિક અને અનિલ દેશમુખ જેલમાં હોવાના કારણે તેમના માટે મતદાનમાં ભાગ લેવો મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં સુપ્રિયા સુલેએ માંગ કરી છે કે તેમને મતદાનનો અધિકાર મળવો જોઈએ. રાજ્યસભાની 6 બેઠકો માટે મહારાષ્ટ્રમાંથી 7 ઉમેદવારો ઉભા છે. ભાજપે ત્રણ ઉમેદવારો ઉભા રાખ્યા છે. મહા વિકાસ અઘાડી સરકારમાં સામેલ ત્રણ પક્ષો (એનસીપી, કોંગ્રેસ, શિવસેના) એ ચાર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. એનસીપી અને કોંગ્રેસ તરફથી એક-એક અને શિવસેનાના બે ઉમેદવારો મેદાનમાં છે. આવી સ્થિતિમાં રાજ્યસભાની છઠ્ઠી સીટ માટે કટોકટીભર્યો મુકાબલો થઈ શકે છે. તેથી જ સુપ્રિયા સુલેએ નવાબ મલિક અને અનિલ દેશમુખના વોટિંગ અધિકારની માંગણી કરી છે.