Maharashtra : સત્તાનુ સુકાન બદલાતા ઉદ્ધવ જૂથના સાંસદોના પણ બદલાઈ રહ્યા છે સૂર, જાણો સાંસદોએ ઉદ્ધવને શું આપી સલાહ ?

|

Jul 04, 2022 | 9:51 AM

CM એકનાથ શિંદે આજે વિધાનસભામાં (maharashtra Assembly) બહુમતી રજૂ કરશે. અગાઉ શિંદે જૂથ અને ભાજપે મળીને વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી જીતી છે.

Maharashtra : સત્તાનુ સુકાન બદલાતા ઉદ્ધવ જૂથના સાંસદોના પણ બદલાઈ રહ્યા છે સૂર, જાણો સાંસદોએ ઉદ્ધવને શું આપી સલાહ ?
Uddhav Thackeray and CM Eknath shinde

Follow us on

મહારાષ્ટ્રમાં શિવસેનાને(Shivsena)  લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેના (Uddhav thackeray) ચાર સાંસદોએ પ્રવેશ કર્યો છે. શિવસેનાના સાંસદોએ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અભિમાન છોડીને એકનાથ શિંદે સાથે સમાધાન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે સમાધાનની સમગ્ર પ્રક્રિયાને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ(DY CM Devendra Fadanvis)  દ્વારા આગળ લઈ જઈ શકાય છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શિવસેનાના આ ચાર સાંસદો દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ દરમિયાન તેમણે શિવસેના સાથે ગઠબંધ

શિવસેનાના કમાન્ડ અને પ્રતીક પર ધમાસાણ

ઉદ્ધવ ઠાકરેની સરકારના પતન અને એકનાથ શિંદેના મુખ્યમંત્રી બન્યા પછી હવે શિવસેનાના કમાન્ડ અને પ્રતીકને લઈને લડાઈ છેડાઈ ગઈ છે. આ મામલે વિધાનમંડળ સચિવાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને ઝટકો લાગ્યો છે. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે એકનાથ શિંદે (Eknath Shinde) શિવસેનાના ધારાસભ્ય દળના નેતા તરીકે ચાલુ રહેશે. સાથે જ અજય ચૌધરીને પાર્ટીના નેતા બનાવવાના નિર્ણયને ફગાવી દેવામાં આવ્યો છે. આ સિવાય સુનીલ પ્રભુને ચીફ વ્હીપ (Chief Whip) બનાવવાના નિર્ણયને પણ માન્યતા આપવામાં આવી નથી. જેમાં પણ શિંદે જૂથના ભરત ગોગાવલેને શિવસેનાના મુખ્ય દંડક તરીકે માન્યતા આપવામાં આવી છે. જો કે હવે આ નિર્ણય પર ઉદ્ધવ ઠાકરે તરફથી જવાબ આપવામાં આવશે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

આજે થશે ફ્લોર ટેસ્ટ

મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. CM એકનાથ શિંદે આજે વિધાનસભામાં (maharashtra Assembly) બહુમતી રજૂ કરશે. અગાઉ શિંદે જૂથ અને ભાજપે મળીને વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી જીતી છે.તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ (bhagatsingh Koshyari) બે દિવસ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો આદેશ આપ્યો હતો. જેમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી 3 જુલાઇએ અને ફ્લોર ટેસ્ટ 4 જુલાઇએ યોજાવાની હતી. બીજી તરફ રવિવારે ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરને નવા સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં તેમને 164 વોટ મળ્યા, જ્યારે MVA ઉમેદવાર રાજન સાલ્વીને માત્ર 107 વોટ મળ્યા.

Published On - 7:25 am, Mon, 4 July 22

Next Article