‘ધાર્મિક લાગણીઓનું અપમાન કરવું યોગ્ય નથી, પરંતુ બદલામાં ધમકી આપવી યોગ્ય છે?’  અલ કાયદાના પત્ર પર ભડક્યા શિવસેના સાંસદ

અલકાયદાની ધમકી બાદ શિવસેના (Shiv Sena) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ખાડી દેશોને સંદેશ આપ્યો છે કે, કે તેઓએ આ ધમકીનો એ જ મજબૂત સ્વરમાં વિરોધ કરવો જોઈએ જે રીતે પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી ભાજપના નેતાની ટીપ્પણીનો વિરોધ કરી રહ્યા છો.

'ધાર્મિક લાગણીઓનું અપમાન કરવું યોગ્ય નથી, પરંતુ બદલામાં ધમકી આપવી યોગ્ય છે?'  અલ કાયદાના પત્ર પર ભડક્યા શિવસેના સાંસદ
Shiv Sena MP Priyanka Chaturvedi (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 8:04 PM

ધાર્મિક લાગણીઓનું સન્માન થવું જોઈએ એ એક વાત છે. પરંતુ આ મુદ્દે ધમકીઓ આપવી એ બીજી બાબત છે. કોઈ પણ ધર્મ એટલો નાજુક નથી હોતો કે અમુક લોકોની વાતોથી તેની શ્રદ્ધા નબળી પડી જાય. અલ-કાયદા (Al-Qaeda) જેવા ઈસ્લામિક આતંકવાદી સંગઠન દ્વારા આપવામાં આવતી ધમકીઓનો પણ ગલ્ફ દેશોએ મજબૂત સ્વરમાં વિરોધ કરવો જોઈએ. આ શબ્દોમાં શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ (Priyanka Chaturvedi Shiv Sena) મધ્ય પૂર્વના દેશો પર આકરા પ્રહારો કર્યા છે. ખાડીના ઘણા દેશો ભારતીય રાજદૂતોને બોલાવીને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પરના વિવાદાસ્પદ નિવેદન અંગે પોતાની નારાજગી જાહેર કરી રહ્યા છે અને નિવેદનબાજી કરી રહ્યા છે.

ભારતીય ઉપખંડમાં કાર્યરત આતંકવાદી સંગઠન અલ કાયદા (AQIS)એ એક ધમકી પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં પયગંબર મોહમ્મદના સન્માન માટે લડાઈ લડવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે આ પત્રમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મુંબઈ અને દિલ્હીમાં આત્મઘાતી હુમલાની ધમકી પણ આપવામાં આવી છે. આ પત્રને લઈને શિવસેનાના સાંસદે મધ્ય પૂર્વના દેશોને સલાહ આપી છે કે તેઓ અલકાયદાના ખતરાનો એ જ મજબૂત સ્વરમાં વિરોધ કરે જે રીતે તેઓ પયગંબર મોહમ્મદ પર ભાજપના સાંસદની ટિપ્પણીનો વિરોધ કરી રહ્યા છે.

અલ કાયદાની ધમકી, ભગવા આતંકની છેલ્લી ગણતરી શરૂ થઈ છે

અલકાયદાના પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભગવા આતંકને ખતમ કરવાનો સમય આવી ગયો છે. હવે તેનો અંત દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં નક્કી થવો જોઈએ. નુપુર શર્માના નિવેદન અંગે કહેવામાં આવ્યું છે કે તેણે એક ભારતીય ચેનલમાં આપેલા નિવેદનથી પયગંબર અને તેમની પત્નીનું અપમાન કર્યું છે. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે તેનાથી સમગ્ર વિશ્વના મુસ્લિમોના હૃદયમાં ઊંડા ઘા થયા છે. હવે મુસ્લિમોના દિલમાં બદલાની ભાવના ઉકળી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પોતાના શરીર સાથે બારૂદ બાંધી લઈશું, પયગંબરની શાનમાં બેઅદબી કરનારાઓને ઉડાડી દઈશું

અલ-કાયદાએ ધમકી આપતાં કહ્યું છે કે, અમે તે લોકોને મારી નાખીશું જેમણે અમારા પયગંબરની શાનમાં બેઅદબી કરી છે. અમે અમારા શરીર અને અમારા બાળકોના શરીર પર બારૂદ બાંધીશું અને જેમણે આવું કરવાની હિંમત બતાવી છે તેમને ઉડાવી દઈશું. તેમની ઉપર કોઈ દયા દાખવવામાં નહીં આવે. શાંતિ અને સલામતીની કોઈ ઢાલ તેમને બચાવી શકશે નહીં. થોડા શબ્દોમાં તેની ટીકા કરવાથી કે અફસોસ વ્યક્ત કરવાથી આ મામલો થાળે નહીં પડે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">