અનિલ દેશમુખ સાથે અન્યાય થઈ રહ્યો છે
પવારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, “તમે અનિલ દેશમુખને(Anil Deshmukh) જેલમાં પુરાવ્યો છે અને પરમબીર સિંહ ફરાર છે.” તમે જે કંઈ કર્યું છે તેનો હિસાબ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે,શરદ પવારે પહેલીવાર અનિલ દેશમુખનું ખુલ્લેઆમ સમર્થન કરતા કહ્યું કે, અનિલ દેશમુખ સાથે જે થઈ રહ્યુ છે તે ઘોર અન્યાય છે.
તમને જણાવી દઈએ કે, પૂર્વ મંત્રી અનિલ દેશમુખ હાલમાં મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) ફસાયેલા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલ અનિલ દેશમુખને લઈને શરદ પવારે ભાજપ પર પ્રહારો કર્યા છે.
મહારાષ્ટ્રમાં થયેલી હિંસા દુર્ભાગ્યપૂર્ણ
સાથે જ અમરાવતી (Amaravati) અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિંસાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા પવારે કહ્યું કે, સરકારે યોગ્ય નીતિ બનાવવી જોઈએ, જેથી આવી ઘટનાઓમાં જે વેપારીઓ અને દુકાનદારોને નુકસાન થાય છે તેમને વળતર મળી શકે. વધુમાં તેમણે કહ્યું કે નિર્દોષ દુકાનદારો અને વેપારીઓ હિંસાનો ભોગ બને છે અને તેમનો કોઈ દોષ ન હોવા છતાં તેઓને નુકસાન થઈ રહ્યુ છે.
લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે અમે અનેક પક્ષોનો ટેકો લઈશુંઃ પવાર
શરદ પવારને ભાજપ વિરોધી ગઠબંધનની સંભવિત રચના વિશે પુછ્યુ કે શું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તે મોરચાનું નેતૃત્વ કરી શકે છે ? આ પ્રશ્ન પર પવારે (Sharad Pawar) જણાવ્યુ કે, સંસદ સત્ર દરમિયાન આ મુદા પર ચર્ચા કરવામાં આવશે. વધુમાં પવારે કહ્યું કે, ” ગઠબંધનનો નેતા કોણ હશે તે મુદ્દો નથી, અમે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અનેક પક્ષોનો સહારો લઈશું.”
શરદ પવાર વિપક્ષી મોરચાનું નેતૃત્વ કરવાનું વિચારી રહ્યા છે ?
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂન મહિનામાં શરદ પવારે SP, RJD, AAP, RLD અને ડાબેરીઓ સહિત 8 પાર્ટીઓની બેઠક બોલાવી હતી. તેના કારણે એવી અટકળો વહેતી થઈ હતી કે, શરદ પવાર વિપક્ષી મોરચાના નેતૃત્વ પર વિચાર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, શરદ પવારની પાર્ટી NCP મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ગઠબંધનનો ભાગ છે. મહારાષ્ટ્ર આઘાડીને એકસાથે લાવીને તેમને ગઠબંધનના આર્કિટેક્ટ માનવામાં આવે છે.
આ પણ વાંચો: ‘સ્કીન ટૂ સ્કીન ટચ’ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, શું છે સમગ્ર મામલો, વાંચો અહીં