Maharashtra : “ભાજપે દરેક હિસાબની કિંમત ચૂકવવી પડશે” , અનિલ દેશમુખની ધરપકડને લઈને પવારે ભાજપને આડે હાથ લીધી

|

Nov 18, 2021 | 12:19 PM

NCPના વડા શરદ પવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, અનિલ દેશમુખ પર આરોપો લગાવ્યા બાદ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ગુમ થઈ ગયા

Maharashtra : ભાજપે દરેક હિસાબની કિંમત ચૂકવવી પડશે , અનિલ દેશમુખની ધરપકડને લઈને પવારે ભાજપને આડે હાથ લીધી
Sharad pawar (File Photo)

Follow us on

Maharashtra : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCPના વડા શરદ પવારે ફરી એકવાર ED, CBIને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે NCP હોય, કોંગ્રેસ હોય કે શિવસેના(Shivsena) અમારા તમામ સહયોગી પક્ષોને ઘણી સરકારી એજન્સીઓ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે.

અનિલ દેશમુખ સાથે અન્યાય થઈ રહ્યો છે

પવારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, “તમે અનિલ દેશમુખને(Anil Deshmukh)  જેલમાં પુરાવ્યો છે અને પરમબીર સિંહ ફરાર છે.” તમે જે કંઈ કર્યું છે તેનો હિસાબ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે,શરદ પવારે પહેલીવાર અનિલ દેશમુખનું ખુલ્લેઆમ સમર્થન કરતા કહ્યું કે, અનિલ દેશમુખ સાથે જે થઈ રહ્યુ છે તે ઘોર અન્યાય છે.

તમને જણાવી દઈએ કે, પૂર્વ મંત્રી અનિલ દેશમુખ હાલમાં મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) ફસાયેલા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલ અનિલ દેશમુખને લઈને શરદ પવારે ભાજપ પર પ્રહારો કર્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મહારાષ્ટ્રમાં થયેલી હિંસા દુર્ભાગ્યપૂર્ણ

સાથે જ અમરાવતી (Amaravati) અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિંસાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા પવારે કહ્યું કે, સરકારે યોગ્ય નીતિ બનાવવી જોઈએ, જેથી આવી ઘટનાઓમાં જે વેપારીઓ અને દુકાનદારોને નુકસાન થાય છે તેમને વળતર મળી શકે. વધુમાં તેમણે કહ્યું કે નિર્દોષ દુકાનદારો અને વેપારીઓ હિંસાનો ભોગ બને છે અને તેમનો કોઈ દોષ ન હોવા છતાં તેઓને નુકસાન થઈ રહ્યુ છે.

લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે અમે અનેક પક્ષોનો ટેકો લઈશુંઃ પવાર

શરદ પવારને ભાજપ વિરોધી ગઠબંધનની સંભવિત રચના વિશે પુછ્યુ કે શું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તે મોરચાનું નેતૃત્વ કરી શકે છે ? આ પ્રશ્ન પર પવારે (Sharad Pawar) જણાવ્યુ કે, સંસદ સત્ર દરમિયાન આ મુદા પર ચર્ચા કરવામાં આવશે. વધુમાં પવારે કહ્યું કે, ” ગઠબંધનનો નેતા કોણ હશે તે મુદ્દો નથી, અમે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અનેક પક્ષોનો સહારો લઈશું.”

શરદ પવાર વિપક્ષી મોરચાનું નેતૃત્વ કરવાનું વિચારી રહ્યા છે ?

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂન મહિનામાં શરદ પવારે SP, RJD, AAP, RLD અને ડાબેરીઓ સહિત 8 પાર્ટીઓની બેઠક બોલાવી હતી. તેના કારણે એવી અટકળો વહેતી થઈ હતી કે, શરદ પવાર વિપક્ષી મોરચાના નેતૃત્વ પર વિચાર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, શરદ પવારની પાર્ટી NCP મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ગઠબંધનનો ભાગ છે. મહારાષ્ટ્ર આઘાડીને એકસાથે લાવીને તેમને ગઠબંધનના આર્કિટેક્ટ માનવામાં આવે છે.

 

આ પણ વાંચો: Maharashtra: અભિનેત્રી કંગના પર ઉદ્ધવના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘નચનિયા’ની ટિપ્પણી જવાબ આપવા લાયક નથી

આ પણ વાંચો: ‘સ્કીન ટૂ સ્કીન ટચ’ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, શું છે સમગ્ર મામલો, વાંચો અહીં

Next Article