શરદ પવારે CDS બિપિન રાવતના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો, પોતાની સાથે પણ આવી જ ઘટના બની હોવાનું જણાવ્યું

જ્યારે ચીન ચાલાકીથી કોઈ ષડયંત્ર રચતુ હતું તો તેમને જોઈને  ડરતું હતું. પાક નાપાક ઈરાદાઓ સાથે બહાર આવતું હતું, ત્યારે તેમને વિચારીને  છૂપાઈ જતું હતું. તેવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ  હવે આપણી  વચ્ચે નથી.

શરદ પવારે CDS બિપિન રાવતના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો, પોતાની સાથે પણ આવી જ ઘટના બની હોવાનું જણાવ્યું
Sharad Pawar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 11:50 PM

દેશની ત્રણેય સેનાઓના વડા, જેમના પર દેશને ગર્વ  હતું  તેઓ આજથી હંમેશા યાદ કરવામાં આવશે. કારણ કે હવે તેઓ યાદોમાં જ રહી ગયા છે. જ્યારે ચીન ચાલાકીથી કોઈ ષડયંત્ર રચતુ હતું તો તેમને જોઈને  ડરતું હતું. પાક નાપાક ઈરાદાઓ સાથે બહાર આવતું હતું, ત્યારે તેમને વિચારીને  છૂપાઈ જતું હતું. તેવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ  હવે  આપણી  વચ્ચે નથી. જનરલ બિપિન રાવતનું  (CDS General Bipin Rawat) આજે બપોરે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે.

CDS બિપિન રાવત ભારતીય વાયુસેનાના અત્યાધુનિક અને હાઇ-એન્ડ હેલિકોપ્ટર Mi 17 5Vમાં સવાર હતા. પરંતુ અકસ્માત થવાનું લખાયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમના  મૃત્યુના દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. ભારતીય વાયુસેનાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

આ દુર્ઘટનામાં CDS બિપિન રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મોત થયા હતા. માર્યા ગયેલાઓમાં જનરલ બિપિન રાવતના પત્ની મધુલિકા રાવત પણ સામેલ છે. ગુરુવારે તમામ 13 લોકોના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે. CDS બિપિન રાવતના અંતિમ સંસ્કાર શુક્રવારે કરવામાં આવશે. આ અકસ્માતમાં એકમાત્ર કેપ્ટન વરુણ સિંહનો બચાવ  થયો છે.  તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. એરફોર્સ દ્વારા અકસ્માતના  તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મૃત્યુના આ શોકમાં આખો દેશ સામેલ

આ ભયાનક દુર્ઘટનાને લઈને દેશભરમાં શોકની લહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનો મહારાષ્ટ્ર પ્રવાસ અધવચ્ચે જ રદ કર્યો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજભવનના દરબાર હોલનું ઉદ્ઘાટન મોકૂફ રાખ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દુઃખ વ્યક્ત કર્યું છે. એનસીપી ચીફ શરદ પવારે પણ દુખ વ્યક્ત કર્યું છે. શરદ પવારે ટ્વિટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.

શરદ પવારે પોતાના જીવન સાથે જોડાયેલી ઘટના શેર કરી

આ સિવાય શરદ પવારે તેમના જીવન સાથે જોડાયેલી આવી જ એક ઘટનાની સ્ટોરી શેર કરી છે. “મારો અંગત અનુભવ છે. હું મુખ્યમંત્રી હતો. એક દિવસ હું હેલિકોપ્ટરથી પૂણેથી મુંબઈ જઈ રહ્યો હતો. પુણે-મુંબઈ વચ્ચે ખંડાલા-લોનાવાલાનો વિસ્તાર છે. ત્યાં એક ઊંડી ખીણ છે. અમે એ જ ખીણમાંથી પસાર થઈ રહ્યા હતા. વાદળો ગાઢ હતા. જોરદાર પવન ફૂંકાય રહ્યો હતો.

આગળ કશું દેખાતું ન હતું. ચારે બાજુ જંગલો હતા. અમારો પાયલોટ પણ નર્વસ હતો. હેલિકોપ્ટર ક્યાંય જઈ શક્તું ન હતું કારણ કે આગળ કંઈ દેખાતું ન હતું. ત્યારે મને એક વાત યાદ આવી કે આપણે અહીં ડુંગરાળ વિસ્તારમાં ક્યાંક અટવાઈ જઈએ તો એ પછી અંત છે. પણ મને મહારાષ્ટ્રનું ભૌગોલિક જ્ઞાન છે.

એટલી જાણકારી હતી કે, કલસુબાઈ શિખર મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર છે. તેની ઊંચાઈ પાંચ હજાર ફૂટ છે. મેં પાઈલટને કહ્યું કે તમે હેલિકોપ્ટરને સાત હજાર ફૂટની ઊંચાઈએ લઈ જાઓ. અમે સાત હજાર ફૂટની ઊંચાઈએ જઈને એ ઘનઘોર વાદળોમાંથી બહાર નીકળી શક્યા. શરદ પવારે મીડિયાને એ અકસ્માતનો અવિસ્મરણીય કિસ્સો સંભળાવ્યો.

Rawat roars every where !

ખેર, એક વાત મને પણ યાદ આવે છે. સારું, હું પણ એક વસ્તુ ચૂકી ગયો. સિંહ જ્યાં જાય છે ત્યાં ગર્જના કરે છે. ધરતીમાં હોય કે આકાશમાં…તેના જુસ્સામાં રહે છે… So, I am not going to say rest in peace…will say, ભારત ના સિંહ, roar even there…

આ પણ વાંચો :  આવનારા સમયમાં મોંઘવારી વધુ વકરશે ! દેશના સામાન્ય માણસે જરૂર જાણવી જોઈએ RBI ગવર્નરની આ 5 મોટી વાતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">