AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સમીર વાનખેડેને આંશિક રાહત, ધરપકડ પહેલા ત્રણ દિવસ અગાઉ વાનખેડેને નોટિસ આપવામાં આવશે

બોમ્બે હાઈકોર્ટ દ્વારા આજે સમીર વાનખેડેની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સમીર વાનખેડેને આંશિક રાહત મળી છે.

સમીર વાનખેડેને આંશિક રાહત, ધરપકડ પહેલા ત્રણ દિવસ અગાઉ વાનખેડેને નોટિસ આપવામાં આવશે
Sameer Wankhede (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 3:57 PM
Share

Sameer Wankhede Case : સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટ દ્વારા આંશિક રાહત મળી છે. મહારાષ્ટ્ર સરકારના વકીલે કોર્ટમાં ખાતરી આપી હતી કે, ધરપકડ પહેલા 3 દિવસ અગાઉ સમીર વાનખેડેને (Sameer Wankhede) નોટિસ આપવામાં આવશે.ન્યાયમૂર્તિ નીતિન જામદાર અને એસવી કોટવાલની ખંડપીઠે પોલીસ દ્વારા આપવામાં આવેલી ખાતરીને આધારે બોમ્બે હાઈકોર્ટ અરજીનો નિકાલ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, હાલ સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા છે.

સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટ રાહત આપી

આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા સમીર વાનખેડે પર લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આ માટે NCB  (Narcotics Control Bureau) અને મુંબઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે વિવાદોમાં ફસાયેલા સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટ આંશિક રાહત આપી છે.વાનખેડેની અરજી પર સુનાવણી કરતા કોર્ટ મહારાષ્ટ્ર સરકારને ધરપકડ પહેલા સમીરને ત્રણ દિવસ અગાઉ નોટિસ આપવા જણાવવામાં આવ્યુ છે.

પ્રભાકરના નિવેદન બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી

સાઈલના સોગંદનામાના આધારે  મુંબઈ પોલીસે(Mumbai police)  NCB અધિકારી સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, ડેપ્યુટી કમિશનરે સાઈલનું નિવેદન નોંધીને તપાસ તેજ કરી છે.

પોલીસ હવે પ્રભાકરના સાઈલના (Prabhakar Sail) ફોન રેકોર્ડના આધારે તેની ગતિવિધિઓની તપાસ કરશે. સાઇલે પોતાના નિવેદનમાં હાજી અલી પાસેથી પૈસા ભરેલી બે બેગ લાવ્યો હોવાનો દાવો કર્યો છે. આથી પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે. આ તમામ હકીકતો તપાસ્યા બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ પછી સમીર વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: ન્યાય માટે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર મેદાને, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી ન્યાયની માગ કરી

આ પણ વાંચો: સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા, જાણો કઈ ફરિયાદના આધારે વાનખેડે પર સકંજો કસાઈ શકે ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">