ભારતને 2047 સુધી ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનો PFIનો ઈરાદો, મહારાષ્ટ્રના ATS ચીફે કર્યો દાવો

|

Sep 29, 2022 | 8:43 PM

મહારાષ્ટ્ર ATS ચીફ વિનીત અગ્રવાલ દાવો કરે છે કે PFI પોતાને એક સામાજિક સંસ્થા તરીકે રજૂ કરે છે, પરંતુ આ સત્ય નથી. આ વાતનો ખુલાસો મહારાષ્ટ્ર એટીએસ ચીફ દ્વારા આજે (29 સપ્ટેમ્બર, ગુરુવાર) સમાચાર એજન્સી ANIને આપવામાં આવેલા તેમના નિવેદનમાં કરવામાં આવ્યો હતો.

ભારતને 2047 સુધી ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનો PFIનો ઈરાદો, મહારાષ્ટ્રના ATS ચીફે કર્યો દાવો
Vineet Agarwal, Maharashtra ATS chief
Image Credit source: ANI

Follow us on

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો (Popular Front Of India) ઉદ્દેશ્ય વર્ષ 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનો હતો. આ હેતુ માટે PFIની શાખાઓનું નેટવર્ક સમગ્ર દેશમાં નાખવામાં આવી રહ્યું છે. દરેક જગ્યાએ લોકોને પ્રવચનો આપીને તેમના મનમાં આ વિચાર ભરાઈ રહ્યો હતો અને તેઓને પોતપોતાના ઘરની છતમાં સ્વરક્ષણ માટે ઈંટો, પથ્થરો અને તીક્ષ્ણ હથિયારો રાખવાની સલાહ આપવામાં આવી રહી હતી. આ દાવો મહારાષ્ટ્ર એન્ટી ટેરર ​​સ્ક્વોડના ચીફ દ્વારા કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ATS ચીફ વિનીત અગ્રવાલ દાવો કરે છે કે PFI પોતાને એક સામાજિક સંસ્થા તરીકે રજૂ કરે છે, પરંતુ આ સત્ય નથી.

આ વાતનો ખુલાસો મહારાષ્ટ્ર એટીએસ ચીફ દ્વારા આજે (29 સપ્ટેમ્બર, ગુરુવાર) સમાચાર એજન્સી ANIને આપવામાં આવેલા તેમના નિવેદનમાં કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, ‘PFI પોતાને સામાજિક પ્રગતિ, અધિકારો અને ન્યાય અને શારીરિક કસરત જેવા કાર્યો માટે મદદ કરતી સંસ્થા તરીકે વર્ણવે છે. પરંતુ ભીડ એકઠી કર્યા પછી, લોકોને તેમના વાસ્તવિક હેતુ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ માટે તેમને પ્રવચનો આપવામાં આવે છે અને સ્વ-બચાવ માટે તેમના ઘરની છત પર ઇંટો અને પથ્થરો અને તીક્ષ્ણ હથિયારો રાખવાની સલાહ આપવામાં આવે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભારતને મુસ્લિમ દેશ બનાવવો હતો

વિનીત અગ્રવાલે વધુમાં કહ્યું ‘અમે ડેટા અને પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. PFIની યોજના 2047 સુધીમાં દેશને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની હતી. તેઓ નફરત ફેલાવવા લોકોને ગેરમાર્ગે દોરતા હતા. તેમના ઉદ્દેશ્યમાં ટાર્ગેટને અડચણરૂપ બનતા ઓળખવા અને હત્યાને અંજામ આપવા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. અમે ટૂંક સમયમાં તેનું એકાઉન્ટ ફ્રીઝ કરવા જઈ રહ્યા છીએ.

PFIની ઓળખ નાબૂદ કરવામાં આવી છે, આ નામથી કોઈ કામ કરી શકશે નહીં

મહારાષ્ટ્ર એટીએસના વડાએ પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો તે પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) સહિત અન્ય એજન્સીઓ સાથે મળીને પાડવામાં આવેલા દરોડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિનીત અગ્રવાલે કહ્યું કે હવે PFIનું સંપૂર્ણપણે વિસર્જન થઈ ગયું છે. તેઓને કોઈપણ પ્લેટફોર્મ પર આવીને આ નામ પર ફરીથી જૂથ બનાવવાનો અથવા પ્રદર્શન કરવાનો અધિકાર નથી. તેની સાથે જોડાયેલા લોકો હવે માત્ર કાનૂની અધિકારો અને આધારનો ઉપયોગ કરી શકશે.

Next Article