AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોમ્બે હાઈકોર્ટમાં નવાબ મલિક વિરુદ્ધ પિટીશન દાખલ, અરજદારે NCB નું મનોબળ તોડવાનો આરોપ લગાવ્યો

પિટીશનમાં અરજદારે દાવો કર્યો છે કે, સમીર વાનખેડેની દેખરેખ હેઠળ એનસીબી તાજેતરના સમયમાં સૌથી અસરકારક સાબિત થઈ છે. જો કે હાઈકોર્ટે હજુ સુધી આ અરજી પર સુનાવણીની તારીખ જાહેર કરી નથી.

બોમ્બે હાઈકોર્ટમાં નવાબ મલિક વિરુદ્ધ પિટીશન દાખલ, અરજદારે NCB નું મનોબળ તોડવાનો આરોપ લગાવ્યો
Bombay High Court (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 1:49 PM
Share

Bombay High Court : કૌસર અલી નામના અરજદારે બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે, જેમાં મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકને અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ટિપ્પણી ન કરવા જણાવ્યું છે.

અરજદારે નવાબ મલિક પર આરોપ લગાવ્યા

મંગળવારે પીઆઈએલ દાખલ કરનાર કૌસર અલીએ (Kausar Ali)પોતાને એક મૌલવી અને ડ્રગ્સ વ્યસનીઓના પુનર્વસન માટે કામ કરનાર વ્યક્તિ ગણાવ્યા છે. અલીએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે, તેઓ મલિકને NCB અથવા આર્યન ખાન કેસ સાથે જોડાયેલી અન્ય કોઈપણ તપાસ એજન્સી અને આવી એજન્સીઓના અધિકારીઓ વિરુદ્ધ કોઈ ટિપ્પણી ન કરવા નિર્દેશ આપે. અરજદારનું કહેવું છે કે, આવા ખોટા આરોપોથી તપાસ એજન્સીઓનું(Narcotics Control Bureau)  મનોબળ હટી જશે અને ડ્રગ્સના ઉપયોગને પ્રોત્સાહન મળશે.

મંત્રી મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે

નવાબ મલિકના (Nawab Malik) તાજેતરના કેટલાક ટ્વીટનો ઉલ્લેખ કરીને, પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, એનસીપીના મંત્રીઓ (NCP Leader) સતત ટ્વિટ કરી રહ્યા છે અને એનસીબી અને તેના અધિકારીઓ સમીર વાનખેડેનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે,વાનખેડેની દેખરેખ હેઠળની એનસીબી તાજેતરના સમયમાં સૌથી અસરકારક એજન્સી સાબિત થઈ છે.

સુનાવણીની તારીખ હજુ જાહેર કરવામાં નથી આવી

બોમ્બે હાઈકોર્ટે હજુ સુધી અરજી પર સુનાવણીની તારીખ નક્કી કરી નથી. NCBએ 3 ઓક્ટોબરે આર્યન ખાન અને તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ, ફેશન મોડલ મુનમુન ધામેચા અને કેટલાક અન્ય લોકોની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. NCBએ મુંબઈના દરિયાકાંઠે એક ક્રુઝ પર દરોડા પાડીને ડ્રગ્સ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

વાનખેડેએ નવાબ મલિકના તમામ આરોપોને નકાર્યા

NCP નેતા નવાબ મલિકે આ ક્રૂઝ ડ્રગ્સ કેસને (Cruise Drugs Case) નકલી ગણાવ્યો છે અને વાનખેડે પર ગેરકાયદેસર ફોન ટેપિંગ સહિત અનેક આરોપો લગાવ્યા છે. જો કે વાનખેડેએ મલિકના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે. બીજી તરફ નવાબ મલિકે ટ્વિટર પર સમીર વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને જણાવ્યુ છે કે, જો આ પુરાવા નકલી સાબિત થશે,તો હું પદ પરથી રાજીનામુ આપી દઈશ.

આ પણ વાંચો: વિવાદોમાં સમીર વાનખેડે ! NCP નેતા નવાબ મલિકે સમીર વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો: આર્યનના કારણે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નહિ, આ રિપોર્ટમાં થયો ખુલાસો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">