મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Parambir Singh) ક્યાં ગુમ થયા છે? તેનો જવાબ ન તો પોલીસ પાસે છે કે ન રાજ્ય સરકાર પાસે છે. થાણે કોર્ટ અને મુંબઈના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તેમની સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે. વારંવારના સમન્સ પાઠવવા છતાં તે પૂછપરછ અને તપાસ માટે હાજર થયા ન હતા. જેના કારણે પરમબીર સિંહ ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આવા સમયે કોંગ્રેસના નેતા સંજય નિરુપમે ટ્વીટ કરીને હલચલ મચાવી દીધી છે. સંજય નિરુપમે દાવો કર્યો છે કે પરમબીર સિંહ બેલ્જિયમમાં છે.
પરમબીર સિંહે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને 100 કરોડની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યા બાદ તે પોતે પણ રિકવરી અને અન્ય ઘણા કેસમાં ફસાઈ ગયા હતા. આ પછી તેમણે તપાસ અને પૂછપરછમાં આવવાનું બંધ કરી દીધું. સંજય નિરુપમે ટ્વીટ કરીને તેમના ઠેકાણાનો પત્તો લગાવવાનો દાવો કર્યો છે.
સંજય નિરુપમે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, આ છે મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશ્નર. મંત્રી પર હપ્તા વસુલીનો આરોપ લગાવ્યો હતો. તે પોતે પાંચ કેસમાં વોન્ટેડ છે. પોલીસે જણાવ્યુ છે કે તે ફરાર છે. બહાર આવ્યું છે, તે બેલ્જિયમમાં છે. બેલ્જિયમ કેવી રીતે ગયા? તેને કોણે સેફ પેસેજ આપ્યો? શું આપણે અંડર કવર મોકલીને આને લાવી શકીએ નહીં?
ये हैं मुंबई पुलिस के पूर्व पुलिस कमिश्नर।
मंत्री पर हफ्ता वसूली का आरोप लगाया था।
खुद पाँच मामलों में वांटेड हैं।पुलिस ने कहा है कि ये फरार हैं।
पता चला है,ये बेल्जियम में है।
बेल्जियम गया कैसे?
इसे किसने सेफ पैसेज दिया?
क्या हम अंडरकवर भेजकर इसे ला नहीं सकते ?#ParambirSingh pic.twitter.com/NwYMh6vV74— Sanjay Nirupam (@sanjaynirupam) October 30, 2021
મુંબઈ સહિત થાણેમાં પણ પરમબીર સિંહ વિરુદ્ધ વસૂલાતના ઘણા કેસ નોંધાયેલા છે. આ કારણે તેમની સામે લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ તેમનો ક્યાંય પત્તો લાગ્યો નથી. તેથી થાણે કોર્ટ બાદ હવે મુંબઈની કિલ્લા કોર્ટે પણ તેમની સામે બિનજામીનપાત્ર અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે.
પરમબીર સિંહ પર ગંભીર આરોપો છે. તે આરોપોની તપાસ દરમિયાન તેમને વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા હતા. પરંતુ તે પૂછપરછ માટે હાજર થયા ન હતા. તેઓ ક્યાં છે તે રાજ્ય સરકારને ખબર નથી. તેથી, રાજ્ય સરકારે 20 ઓક્ટોબરે હાઈકોર્ટને સ્પષ્ટ કર્યું છે કે તે વચન આપી શકે નહીં કે પરમબીર સામે કડક પગલાં લેવામાં આવશે નહીં.
એટ્રોસિટી કેસમાં બે વખત સમન્સ મોકલવામાં આવ્યા ત્યારે પરમબીર સિંહે તેના જવાબો આપ્યા હતા. પરમબીર સિંહના વકીલ મહેશ જેઠમલાણીએ કોર્ટને આ વાત કહી. પરંતુ અગાઉ રાજ્ય સરકારે કોર્ટને વચન આપ્યું હતું કે પરમબીર સિંહની ધરપકડ કરવામાં આવશે નહીં. પરંતુ ત્યારપછીની સુનાવણીમાં રાજ્ય સરકારે કોર્ટમાંથી સ્પષ્ટતા કરી હતી કે પરમબીર ક્યાં છે તે જાણી શકાયું નથી. તેઓ કોઈપણ સમન્સનો જવાબ આપી રહ્યા નથી, તેથી હવે રાજ્ય સરકાર પણ તેમને ધરપકડથી બચાવવા અને તેમની સામે કડક પગલાં નહીં લેવાનું વચન આપી શકે નહીં.
આ પણ વાંચો : ડ્રગ્સ કેસમાં આર્યન બાદ અરબાઝ મર્ચન્ટ અને મુનમુનને જેલમાંથી મળી મુક્તિ, અરબાઝના પિતાએ કહ્યુ….