Mumbai : પરમબીર સિંહ ખંડણી કેસમાં તપાસ તેજ, D કંપનીના છોટા શકીલ સાથે કનેક્શન હોવાની આશંકા

પરમબીર સિંહ (Parambir Sinh) ખંડણી કેસમાં તપાસકર્તાઓને શંકા છે કે, સિંહે તપાસ ટાળવા માટે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા છે. તેથી તપાસ એજન્સી ટૂંક સમયમાં તબીબી દસ્તાવેજોને લઈને ચંદીગઢના ડોકટરો અને સંસ્થાઓની તપાસ કરી શકે છે.

Mumbai : પરમબીર સિંહ ખંડણી કેસમાં તપાસ તેજ,  D કંપનીના છોટા શકીલ સાથે કનેક્શન હોવાની આશંકા
Parambir Singh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 4:26 PM

Mumbai : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર (Former Police Commissioner) પરમબીર સિંહ ખંડણી કેસમાં તપાસ તેજ થયાના અહેવાલો મળી રહ્યા છે. તેની સામે લુક આઉટ સર્કયુલર જાહેર થયા બાદ તે છેલ્લા ચાર મહિનાથી રજા પર છે. ઉપરાંત તેનો મોબાઈલ નંબર પણ છેલ્લા કેટલાક દિવસોથી બંધ છે. સૂત્રો અનુસાર પરમબીર સિંહ ખરાબ સ્વાસ્થ્યની આડમાં તપાસ અને પૂછપરછ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી હવે થાણે પોલીસ તેના સ્વાસ્થ્યને લગતા તમામ તબીબી દસ્તાવેજોની ચકાસણી કરે તેવી શક્યતા છે.

તપાસકર્તાઓને શંકા છે કે સિંહે મહારાષ્ટ્રમાં તપાસ ટાળવા માટે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા છે. તેથી એજન્સી ટૂંક સમયમાં સિંહને પ્રમાણપત્રો (Certificate) આપનાર ચંદીગઢના ડોકટરો અને સંસ્થાઓની આ મામલે તપાસ કરી શકે છે. ઉપરાંત તપાસમાં જાણવા મળ્યું છે કે, સિંહ તેમના ચંદીગઢ નિવાસ સ્થાન પર હાજર નથી.

શું પરમબીર સિંહ ફરાર છે?

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

SIT ટીમને શંકા છે કે પરમબીર સિંહ ફરાર છે. આ મામલે એજન્સી કેટલાક રાજકારણીઓની (Politician) પણ તપાસ કરી શકે છે, જેમને સિંહને ચંડીગઢથી જવામાં મદદ કરી હોવાની શંકા છે. હાલ, પરમબીર સિંહ પૂછપરછને ટાળી રહ્યા હોવાની શંકા છે. ત્યારે શું પરમબીર સિંહ ખરેખર સ્વાસ્થ્યની આડમાં ફરાર થઈ ગયો છે, જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

છોટા શકીલનું પરમબીર સિંહ સાથે કનેક્શન 

પરમબીર સામે ખંડણી કેસની તપાસમાં ઘણી મહત્વની માહિતી સામે આવી છે. જેમાં આરોપ છે કે પરમબીર અને તેના સાથીઓ પૈસાની માંગણી કરતા હતા અને જો તે ન મળે તો તેઓ વેપારીઓને ખોટા કેસમાં ફસાવતા હતા. હવે આ રેકેટમાં ગેંગસ્ટર છોટા શકીલનું નામ પણ બહાર આવી રહ્યું છે.

હાલ, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) ગેંગસ્ટર છોટા શકીલના નાના ભાઈ અનવર સામે પણ કેસ નોંધ્યો છે. અનવર અને અન્ય બે વ્યક્તિ સામે ખંડણી સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, એક ઓડિયો સામે આવ્યા બાદ પોલીસે અનવર સામે કેસ દાખલ કર્યો છે.

ઓડિયોમાં છોટા શકીલનો અવાજ હશે તો પરમબીરનું D કનેક્શન ખુલશે

તપાસમાં જાણવા મળ્યું છે કે, પરમબીર સિંહ અને તેના સાથીએ બિલ્ડર શ્યામ સુંદર પાસે પૈસાની માંગણી કરી હતી અને તે ન મળવા પર તેની સામે બનાવટી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જો ઓડિયોમાં છોટા શકીલનો (Chhota Shakeel) અવાજ હશે તો પરમબીરનું D કનેક્શન બહાર આવશે.

આપને જણાવી દઈએ કે, શ્યામ સુંદર અગ્રવાલની ફરિયાદ અંતર્ગત મુંબઈ પોલીસે સંજય પુનમિયા અને પરમબીર સિંહ સહિત 6 પોલીસકર્મીઓ સામે કેસ દાખલ કર્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે શ્યામ સુંદર અગ્રવાલ (Shyam Sundar Agarwal) સામે મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં એક ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે અને તેના ગુનેગારો સાથે જોડાણની બાબતો સામે આવી છે.

આ પણ વાંચો:Mumbai University: મુંબઈ યુનિવર્સિટીને બોમ્બથી ઊડાવી નાંખવાની ધમકી દેનારની થઈ ઓળખ, જાણો કોણે આપી ધમકી ?

આ પણ વાંચો: Mumbai Local Train : મુંબઈગરાઓ માટે લોકલ ટ્રેન ફરી થઇ શરૂ, વેક્સીનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો જ કરી શકશે મુસાફરી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">