મહારાષ્ટ્રથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરાઈ છે. રેપિડ એક્શન ફોર્સની 4 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. અમરાવતી, નાસિક, ઔરંગાબાદ અને પૂણેમાં રેપિડ એક્શન ફોર્સની ચાર કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના અમૂક જિલ્લાઓમાં લોકડાઉનનું કડકાઈપૂર્વક પાલન કરાવવા પેરામિલિટરી ફોર્સની માગ કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અગાઉ જ કહીં ચુક્યા છે કે મહારાષ્ટ્ર પોલીસ પણ જે રીતે ફરજ બજાવતા સંક્રમણનો શિકાર થઇ રહી છે તે જોતા જરૂરિયાત જણાશે તો પેરામિલિટરી ફોર્સની કેન્દ્ર પાસે માગ કરવામાં આવશે.
ગૃહ પ્રધાન અનીલ દેશમુખના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 1061 પોલીસ અધીકારી અને પોલીસ કર્મી કોરોના વાયરસ સંક્રમિત થયા છે. દિવસ-રાત કામ કરવાથી પોલીસ ઉપર કામનો દબાણ વધતો જઈ રહ્યો છે. આ બાબત ધ્યાનમાં રાખતા કેન્દ્ર પાસેથી 20 કંપની સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સેસની (CAPF) ની માંગણી કરવામાં આવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:44 pm, Fri, 15 May 20