નારાયણ રાણેને ભાજપનું ખુલ્લું સમર્થન, ન તો અમે ડરીશું અને ન તો અમે દબાશુ – જેપી નડ્ડાએ આપ્યુ નિવેદન

નાસિક પોલીસ કમિશનર દીપક પાંડ્યેએ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડનો આદેશ આપ્યો હતો. તેમણે નારાયણ રાણેની ધરપકડ કરવા માટે રત્નાગીરી પોલીસને આગ્રહ કર્યો હતો.

નારાયણ રાણેને ભાજપનું ખુલ્લું સમર્થન, ન તો અમે ડરીશું અને ન તો અમે દબાશુ - જેપી નડ્ડાએ આપ્યુ નિવેદન
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા. (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 7:47 PM

ભાજપ (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (J. P. Nadda)  કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની (Union Minister Narayan Rane) ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કર્યું કે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) દ્વારા નારાયણ રાણેની ધરપકડ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન છે. આવી કાર્યવાહીથી અમે ન તો ડરીશું અને ન તો દબાશું. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ લોકો જન-આશિર્વાદ યાત્રામાં ભાજપને મળી રહેલા અપાર સમર્થનથી પરેશાન છે. અમે લોકતાંત્રિક રીતે લડતા રહીશું, યાત્રા ચાલુ રહેશે.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મંગળવારે એટલે કે આજે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલા જ જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. રત્નાગીરી કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વાંધાજનક નિવેદન આપ્યું હતું. સીએમ ઉદ્ધવ ઠાકરેના સ્વતંત્રતા દિવસના ભાષણનો ઉલ્લેખ કરતા રાણેએ તેમની જન આશિર્વાદ યાત્રા દરમિયાન કહ્યું હતું કે ‘દેશની આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા છે તે પણ મુખ્યમંત્રીને યાદ નથી. તેમને ખબર નહોતી કે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તે પાછળ ફરીને પૂછી રહ્યા હતા. જો હું ત્યાં હાજર હોત, તો મેં તેને તેમના કાન નીચે થપ્પડ મારી હોત’.

નાસિક પોલીસ કમિશનરે ધરપકડનો આદેશ આપ્યો હતો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

નાશિક પોલીસ કમિશનર દીપક પાંડ્યે તેની ધરપકડનો આદેશ આપ્યો હતો. તેમણે નારાયણ રાણેની ધરપકડ કરવા માટે રત્નાગીરી પોલીસને  આગ્રહ કર્યો હતો. રત્નાગિરી પોલીસ અધિક્ષક દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ  દરમિયાન પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો હતો. સંગમેશ્વરમાં નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ ભાજપના નેતા પ્રસાદ લાડે કહ્યું કે નારાયણ રાણેની ધરપકડ અત્યાર સુધી બતાવવામાં આવી નથી. તેમને ધક્કા મુક્કી કરીને લઈ જવામાં આવ્યા છે.

તેના પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આવી  કાર્યવાહીથી વિપક્ષ તેમને ડરાવી શક્શે નહીં. ભાજપની જન-આશીર્વાદ યાત્રા ચાલુ રહેશે. તેમનું કહેવું છે કે વિપક્ષ આ યાત્રાથી નારાજ છે કારણ કે ભાજપને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. રાણેની ધરપકડ બાદ ભાજપે વિપક્ષને ઘેરવાનું  શરૂ કર્યું. ઘણા નેતાઓએ આ ઘટના વિરુદ્ધ નિવેદનો પણ આપ્યા હતા.

રાણેના સહાયક પ્રમોદ જાઠારે પણ કરી હતી નિંદા

રાણેના સહાયક પ્રમોદ જાઠારે કહ્યું હતું કે પોલીસ પાસે ધરપકડનું વોરંટ પણ ન હતું અને તે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવા પહોંચી હતી. તેમણે કહ્યું કે એસપી વારંવાર કહી રહ્યા હતા કે તેમને પાંચ મિનિટમાં તેમની ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું છે. તેમના પર ઘણું દબાણ છે. જાઠારે કહ્યું કે નારાયણ રાણે કેન્દ્રીય મંત્રી છે. આવી સ્થિતિમાં ધરપકડ સંદર્ભે પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.

પોલીસ દ્વારા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ બાદ આગામી જન આશીર્વાદ યાત્રાનું નેતૃત્વ રાજ્ય વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દારેકર કરશે. પ્રવીણ દારેકર રત્નાગિરી જવા રવાના થયા છે. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ કહ્યું કે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી (MVA) એ એક નિંદનીય પગલું ભર્યું છે. આ એક ગંભીર બાબત છે.

આ પણ વાંચો : Maharashtra: અહીં કોઈ તાલિબાન રાજ નથી, ભાજપ કાર્યાલયો પર હુમલા સહન કરવામાં નહીં આવે- ફડણવીસની મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને ચેતવણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">