AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નારાયણ રાણેને ભાજપનું ખુલ્લું સમર્થન, ન તો અમે ડરીશું અને ન તો અમે દબાશુ – જેપી નડ્ડાએ આપ્યુ નિવેદન

નાસિક પોલીસ કમિશનર દીપક પાંડ્યેએ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડનો આદેશ આપ્યો હતો. તેમણે નારાયણ રાણેની ધરપકડ કરવા માટે રત્નાગીરી પોલીસને આગ્રહ કર્યો હતો.

નારાયણ રાણેને ભાજપનું ખુલ્લું સમર્થન, ન તો અમે ડરીશું અને ન તો અમે દબાશુ - જેપી નડ્ડાએ આપ્યુ નિવેદન
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા. (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 7:47 PM
Share

ભાજપ (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (J. P. Nadda)  કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની (Union Minister Narayan Rane) ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કર્યું કે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) દ્વારા નારાયણ રાણેની ધરપકડ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન છે. આવી કાર્યવાહીથી અમે ન તો ડરીશું અને ન તો દબાશું. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ લોકો જન-આશિર્વાદ યાત્રામાં ભાજપને મળી રહેલા અપાર સમર્થનથી પરેશાન છે. અમે લોકતાંત્રિક રીતે લડતા રહીશું, યાત્રા ચાલુ રહેશે.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મંગળવારે એટલે કે આજે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલા જ જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. રત્નાગીરી કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વાંધાજનક નિવેદન આપ્યું હતું. સીએમ ઉદ્ધવ ઠાકરેના સ્વતંત્રતા દિવસના ભાષણનો ઉલ્લેખ કરતા રાણેએ તેમની જન આશિર્વાદ યાત્રા દરમિયાન કહ્યું હતું કે ‘દેશની આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા છે તે પણ મુખ્યમંત્રીને યાદ નથી. તેમને ખબર નહોતી કે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તે પાછળ ફરીને પૂછી રહ્યા હતા. જો હું ત્યાં હાજર હોત, તો મેં તેને તેમના કાન નીચે થપ્પડ મારી હોત’.

નાસિક પોલીસ કમિશનરે ધરપકડનો આદેશ આપ્યો હતો

નાશિક પોલીસ કમિશનર દીપક પાંડ્યે તેની ધરપકડનો આદેશ આપ્યો હતો. તેમણે નારાયણ રાણેની ધરપકડ કરવા માટે રત્નાગીરી પોલીસને  આગ્રહ કર્યો હતો. રત્નાગિરી પોલીસ અધિક્ષક દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ  દરમિયાન પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો હતો. સંગમેશ્વરમાં નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ ભાજપના નેતા પ્રસાદ લાડે કહ્યું કે નારાયણ રાણેની ધરપકડ અત્યાર સુધી બતાવવામાં આવી નથી. તેમને ધક્કા મુક્કી કરીને લઈ જવામાં આવ્યા છે.

તેના પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આવી  કાર્યવાહીથી વિપક્ષ તેમને ડરાવી શક્શે નહીં. ભાજપની જન-આશીર્વાદ યાત્રા ચાલુ રહેશે. તેમનું કહેવું છે કે વિપક્ષ આ યાત્રાથી નારાજ છે કારણ કે ભાજપને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. રાણેની ધરપકડ બાદ ભાજપે વિપક્ષને ઘેરવાનું  શરૂ કર્યું. ઘણા નેતાઓએ આ ઘટના વિરુદ્ધ નિવેદનો પણ આપ્યા હતા.

રાણેના સહાયક પ્રમોદ જાઠારે પણ કરી હતી નિંદા

રાણેના સહાયક પ્રમોદ જાઠારે કહ્યું હતું કે પોલીસ પાસે ધરપકડનું વોરંટ પણ ન હતું અને તે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવા પહોંચી હતી. તેમણે કહ્યું કે એસપી વારંવાર કહી રહ્યા હતા કે તેમને પાંચ મિનિટમાં તેમની ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું છે. તેમના પર ઘણું દબાણ છે. જાઠારે કહ્યું કે નારાયણ રાણે કેન્દ્રીય મંત્રી છે. આવી સ્થિતિમાં ધરપકડ સંદર્ભે પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.

પોલીસ દ્વારા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ બાદ આગામી જન આશીર્વાદ યાત્રાનું નેતૃત્વ રાજ્ય વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દારેકર કરશે. પ્રવીણ દારેકર રત્નાગિરી જવા રવાના થયા છે. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડેએ કહ્યું કે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી (MVA) એ એક નિંદનીય પગલું ભર્યું છે. આ એક ગંભીર બાબત છે.

આ પણ વાંચો : Maharashtra: અહીં કોઈ તાલિબાન રાજ નથી, ભાજપ કાર્યાલયો પર હુમલા સહન કરવામાં નહીં આવે- ફડણવીસની મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને ચેતવણી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">