AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCP New Office : અજીત પવારની નવી ઓફિસનું ઉદ્ઘાટન સમર્થકોએ તાળા તોડીને કરવું પડ્યું, જાણો શું હતું કારણ

NCP New Office: આ ચોંકાવનારી ઘટના એવા સમયે બની છે જ્યારે કાકા-ભત્રીજા એટલે કે શરદ પવાર અને અજિત પવાર અસલી NCPને લઈને વાદ-વિવાદ ચાલી રહ્યા છે. બંને છાવણીઓ પાતાને અસલી એનસીપી ગણાવી રહી છે.

NCP New Office : અજીત પવારની નવી ઓફિસનું ઉદ્ઘાટન સમર્થકોએ તાળા તોડીને કરવું પડ્યું, જાણો શું હતું કારણ
NCP
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 6:23 PM
Share

મહારાષ્ટ્ર(Maharashtra)માં સત્તાની ચાવી મેળવવાનો પ્રયાસ કરી રહેલું અજિત પવારનું જૂથ મંગળવારે સવારે ચાવીના જુડાને કારણે ખળભળાટ મચી ગયો હતો. કાકા શરદ પવારને છોડીને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન બનેલા અજિત પવારે રાજ્ય સચિવાલયની નજીક પાર્ટીનું નવું કાર્યાલય ‘રાષ્ટ્રવાદી ભવન’ બનાવ્યું છે. મંગળવારે સવારે જ્યારે અજિત પવારના સમર્થકો ઉદ્ઘાટનની તૈયારીઓ માટે આ ઓફિસ પહોંચ્યા તો તેઓએ ત્યાં દરવાજા પર તાળું લટકેલું જોયું.

આ પણ વાંચો : Maharashtra: મુંબઈ-આગ્રા હાઈવે પર ભયાનક અકસ્માત, હોટલમાં ઘૂસી ગયું કન્ટેનર, 12 લોકોના મોત અને 10 થી વધુ ઘાયલ

તાળું જોઈને કામદારો બહાર બેસી ગયા. થોડા સમય પછી, ઘણા લોકોને ચાવી માટે બોલાવવામાં આવ્યા. જોકે ચાવી મળી ન હતી. ત્યારબાદ યુવા કાર્યકરોએ પથ્થર વડે તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કોઈક રીતે બહારના દરવાજાનું તાળું તોડીને કાર્યકરો અંદર ઘૂસ્યા હતા, પરંતુ અંદરના રૂમના તાળાં કાર્યકરોની મુશ્કેલી વધારે વધારી.

માહિતી અનુસાર, અજિત પવારે જે બંગલો તેમની નવી પાર્ટી ઓફિસ તરીકે પસંદ કર્યો છે તે અગાઉ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેને ફાળવવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેના નજીકના દાનવેને હવે નવો બંગલો ફાળવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Maharashtra: અજિત પવારના બળવા પર શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- સમય આવશે ત્યારે બધા મારી સાથે હશે

દાનવેના PA તાળા મારીને ચાલ્યા ગયા

મીડિયા રિપોર્ટ્સમાં NCP નેતા અપ્પા સાવંતના હવાલાથી કહેવામાં આવ્યું છે કે દાનવેના અંગત સહાયક આ બંગલામાં રહેતા હતા. સાવંતનું કહેવું છે કે અમે બંગલાની અંદર તમામ તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ દાનવેના અંગત મદદનીશ રૂમને તાળું મારીને ચાલ્યા ગયા હતા. સાવંતે કહ્યું કે તેમણે દાનવેના અંગત સહાયકને ફોન કર્યો હતો અને તેમણે જવાબ આપ્યો હતો કે તેઓ મંત્રાલય જઈ રહ્યા છે અને તેમને ચાવીઓ સોંપી દેશે. જો કે એનસીપીના નેતાઓ પણ આ ઘટનાક્રમને ષડયંત્ર ગણાવી રહ્યા છે.

આ આશ્ચર્યજનક ઘટના એવા સમયે બની છે જ્યારે કાકા-ભત્રીજા એટલે કે શરદ પવાર અને અજિત પવાર અસલી એનસીપીને લઈને ઝઘડામાં છે. બંને જે પક્ષને સમર્થન આપે છે તેને અસલી એનસીપી ગણાવી રહી છે. જોકે તેમના સમર્થનમાં કેટલા ધારાસભ્યો સામેલ છે તે અંગે કોઈ જણાવી રહ્યું નથી. અજિત પવારે તેમના 8 અન્ય સમર્થિત ધારાસભ્યો સાથે મંત્રી તરીકે શપથ લીધા છે. બીજી તરફ શરદ પવારે આ કાર્યક્રમમાં ભાગ લેનારા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">