EDની કસ્ટડીમાં ગયા બાદ નવાબ મલિકનું રિએક્શન આવ્યું સામે, કહ્યું ‘અમારો જમાનો આવશે’

કસ્ટડીમાં મોકલ્યા બાદ નવાબ મલિકે એક શાયરી ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું, "થોડા સમય માટેની શાંતિ છે, પછી શોર થશે... તમારો તો માત્ર સમય જ છે અમારો તો જમાનો આવશે !!"

EDની કસ્ટડીમાં ગયા બાદ નવાબ મલિકનું રિએક્શન આવ્યું સામે, કહ્યું 'અમારો જમાનો આવશે'
NCP leader Nawab Malik.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 11:54 PM

મહારાષ્ટ્ર (Maharashtra)  સરકારમાં લઘુમતી કલ્યાણ મંત્રી નવાબ મલિકની (Nawab Malik) બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મોડી સાંજે કોર્ટે તેમને 3 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઈડીએ 14 દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે તેમને આઠ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. કસ્ટડીમાં મોકલ્યા બાદ નવાબ મલિકે એક શાયરી ટ્વિટ કરી હતી. તેમણે લખ્યું, “થોડા સમય માટેની શાંતિ છે, પછી શોર થશે… તમારો તો માત્ર સમય જ છે અમારો તો જમાનો આવશે !!”

મહારાષ્ટ્રના મંત્રી અને NCPના પ્રવક્તા નવાબ મલિકને 3 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભાગેડુ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં બુધવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. નવાબ મલિકને બુધવારે સવારે દક્ષિણ મુંબઈમાં EDની ઓફિસમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 62 વર્ષીય NCP નેતાને પ્રક્રિયા મુજબ તબીબી તપાસ માટે બપોરે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમ, તેના સાગરિતો અને મુંબઈ અંડરવર્લ્ડની ગતિવિધિઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં બુધવારે બપોરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને મુંબઈની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીંથી તેમને 3 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ નવાબ મલિકની દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ સાથેની ડીલ ઈડીના તપાસના દાયરા હેઠળ હતી. EDએ નવાબ મલિકને પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ જાહેર કર્યું હતું. એજન્સી દાઉદ ઈબ્રાહિમ, તેના ભાઈ અનીસ, ઈકબાલ, સાથી છોટા શકીલ અને અન્યો સામે નોંધાયેલા કેસની તપાસ કરી રહી હતી. ગયા અઠવાડિયે EDએ અંડરવર્લ્ડ અને દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા તત્વો માટે મુંબઈભરમાં અલગ-અલગ સ્થળોએ સર્ચ શરૂ કર્યું હતું. ઈડીના દરોડા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તાજેતરમાં દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ નોંધાયેલા કેસના સંદર્ભમાં પાડવામાં આવ્યા હતા. ઈડીના અધિકારીઓ મલિક અને તેમના નજીકના લોકોની કેટલીક અન્ય બિઝનેસ ડીલની પણ તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :  Nawab Malik Arrested: નવાબ મલિકની ધરપકડ બાદ કોર્ટમાં સુનાવણી ચાલુ, EDએ 14 દિવસની કસ્ટડી માંગી

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">