AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EDની કસ્ટડીમાં ગયા બાદ નવાબ મલિકનું રિએક્શન આવ્યું સામે, કહ્યું ‘અમારો જમાનો આવશે’

કસ્ટડીમાં મોકલ્યા બાદ નવાબ મલિકે એક શાયરી ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું, "થોડા સમય માટેની શાંતિ છે, પછી શોર થશે... તમારો તો માત્ર સમય જ છે અમારો તો જમાનો આવશે !!"

EDની કસ્ટડીમાં ગયા બાદ નવાબ મલિકનું રિએક્શન આવ્યું સામે, કહ્યું 'અમારો જમાનો આવશે'
NCP leader Nawab Malik.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 11:54 PM
Share

મહારાષ્ટ્ર (Maharashtra)  સરકારમાં લઘુમતી કલ્યાણ મંત્રી નવાબ મલિકની (Nawab Malik) બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મોડી સાંજે કોર્ટે તેમને 3 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઈડીએ 14 દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે તેમને આઠ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. કસ્ટડીમાં મોકલ્યા બાદ નવાબ મલિકે એક શાયરી ટ્વિટ કરી હતી. તેમણે લખ્યું, “થોડા સમય માટેની શાંતિ છે, પછી શોર થશે… તમારો તો માત્ર સમય જ છે અમારો તો જમાનો આવશે !!”

મહારાષ્ટ્રના મંત્રી અને NCPના પ્રવક્તા નવાબ મલિકને 3 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભાગેડુ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં બુધવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. નવાબ મલિકને બુધવારે સવારે દક્ષિણ મુંબઈમાં EDની ઓફિસમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 62 વર્ષીય NCP નેતાને પ્રક્રિયા મુજબ તબીબી તપાસ માટે બપોરે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમ, તેના સાગરિતો અને મુંબઈ અંડરવર્લ્ડની ગતિવિધિઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં બુધવારે બપોરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને મુંબઈની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીંથી તેમને 3 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ નવાબ મલિકની દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ સાથેની ડીલ ઈડીના તપાસના દાયરા હેઠળ હતી. EDએ નવાબ મલિકને પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ જાહેર કર્યું હતું. એજન્સી દાઉદ ઈબ્રાહિમ, તેના ભાઈ અનીસ, ઈકબાલ, સાથી છોટા શકીલ અને અન્યો સામે નોંધાયેલા કેસની તપાસ કરી રહી હતી. ગયા અઠવાડિયે EDએ અંડરવર્લ્ડ અને દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા તત્વો માટે મુંબઈભરમાં અલગ-અલગ સ્થળોએ સર્ચ શરૂ કર્યું હતું. ઈડીના દરોડા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તાજેતરમાં દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ નોંધાયેલા કેસના સંદર્ભમાં પાડવામાં આવ્યા હતા. ઈડીના અધિકારીઓ મલિક અને તેમના નજીકના લોકોની કેટલીક અન્ય બિઝનેસ ડીલની પણ તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :  Nawab Malik Arrested: નવાબ મલિકની ધરપકડ બાદ કોર્ટમાં સુનાવણી ચાલુ, EDએ 14 દિવસની કસ્ટડી માંગી

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">