Narendra Giri Death મામલે રાજકારણ ગરમાયું, શિવસેનાએ સીબીઆઈ તપાસની કરી માંગ

શરદ પવારની પાર્ટી એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે યોગી આદિત્યનાથજી પણ મઠના મઠાધિપતિ છે અને તેમના શાસનમાં મહંતનું શંકાસ્પદ મૃત્યુ થાય, મને લાગે છે કે આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ કંઈ નથી.

Narendra Giri Death મામલે રાજકારણ ગરમાયું, શિવસેનાએ સીબીઆઈ તપાસની કરી માંગ
નવાબ મલિક, મહંત નરેન્દ્ર ગિરી અને સંજય રાઉત (ફાઈલ ઈમેજ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 6:05 PM

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી (Narendra Giri)ના શંકાસ્પદ મૃત્યુથી હડકંપ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે નરેન્દ્ર ગિરીને અલાહાબાદના બાંઘંબરી મઠમાં તેમના શિષ્યોને ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યા હતા અને તેમને નીચે ઉતાર્યા હતા.

દરવાજો અંદરથી બંધ હતો, તેથી શિષ્યોએ દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કરવો પડ્યો. તેમની એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. આ સ્યુસાઈડ નોટમાં મહંતે તેમના શિષ્ય આનંદ ગિરીથી પરેશાન હોવાની વાત કરી છે. બીજી તરફ આનંદ ગિરી ખુદ મહંત નરેન્દ્ર ગિરીના મોતને હત્યા ગણાવી રહ્યા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ શંકાસ્પદ મૃત્યુને લઈને મહારાષ્ટ્રની બે મુખ્ય પાર્ટીઓ શિવસેના (Shivsena) અને એનસીપી (NCP) તરફથી આકરી પ્રતિક્રિયાઓ સામે આવી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મહંત નરેન્દ્ર ગિરીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હિન્દુત્વનું ગળું દબાવવામાં આવ્યું છે. તેમણે મહંતના મોતની સીબીઆઈ તપાસની માંગ કરી છે. યોગી આદિત્યનાથ પર પ્રહાર કરતા એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે (Nawab Malik) કહ્યું કે મહંતના શાસનમાં મહંત જ સુરક્ષિત નથી.

શિવસેના સાંસદ સંજય રાઉતે સીબીઆઈ તપાસની માંગ કરી 

આ કેસમાં સંજય રાઉતે કહ્યું કે હું આટલું કહીશ, આ આત્મહત્યાનો કેસ છે પણ શંકાસ્પદ છે. તેનું મન ખૂબ જ મજબૂત હતું. જ્યારે તેમની સાથે વાત થતી હતી, ત્યારે તેમના ઈરાદા ખૂબ જ મક્કમ જણાતા હતા. આવા વ્યક્તિ, આવા આપણા માર્ગદર્શક આત્મહત્યા કેવી રીતે કરી શકે? તેમનું મૃત્યુ શંકાસ્પદ છે. આ મૃત્યુમાં એવી કેટલીક બાબતો એવું કોઈ તથ્યો છુપાવવાનો પ્રયત્ન થઈ શકે છે. અમે તેમના મોતની CBI તપાસની માંગ કરીએ છીએ.

ઉત્તર પ્રદેશમાં કોઈએ હિન્દુત્વનું ગળું દબાવ્યું: સંજય રાઉત, શિવસેના

રાઉતે આગળ કહ્યું “ઉત્તર પ્રદેશમાં કોઈએ હિન્દુત્વનું ગળું દબાવ્યું છે. અમે (મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારે) જે રીતે પાલઘરમાં તપાસ કરી હતી, તેવી જ રીતે આ કેસમાં (સંતનું મૃત્યુ) સીબીઆઈ તપાસ થવી જોઈએ. ” રાઉત બે દિવસની દિલ્હીની મુલાકાતે છે. અહીં તેઓ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે એપ્રિલ 2020માં મહારાષ્ટ્રના પાલઘરમાં ટોળા દ્વારા બે સાધુઓ અને તેમના ડ્રાઈવરની કરવામાં આવેલી હત્યાનો ઉલ્લેખ કર્યો હતો.

મહંતના શાસનમાં મહંત સુરક્ષિત નથી: નવાબ મલિક એનસીપી

મહારાષ્ટ્રમાંથી શરદ પવારની પાર્ટી એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું “મહંત નરેન્દ્ર ગિરીની આત્મહત્યાને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેમના જ શિષ્યની ધરપકડ કરવામાં આવી છે.

તેમને માનનારા લોકો કહી રહ્યા છે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ. સત્ય ગમે તે હોય, તે તપાસમાં બહાર આવી શકે છે પણ એક મહંત શાસક છે અને મહંતના શાસનમાં મહંત જ સલામત નથી. યોગી આદિત્યનાથજી પણ મઠના મઠાધિપતિ છે અને તેમના શાસનમાં મહંતનું શંકાસ્પદ મૃત્યુ થાય, મને લાગે છે કે આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ કંઈ નથી.

આ પણ વાંચો :  Mumbai : આવકવેરા વિભાગની તપાસમાં ખુલાસો, અનિલ દેશમુખે 17 કરોડની આવક છુપાવી

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">