Mumbai University: બી. કોમનું પરીણામ જાહેર કરવા બાબતે મુંબઈ યુનિવર્સિટીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

|

Aug 14, 2021 | 8:34 PM

મુંબઈ યુનિવર્સિટીને સતત ત્રણ દિવસ સુધી ધમકીભર્યા મેઈલ મળ્યા બાદ પ્રશાસને પોલીસને આ સંદર્ભે જાણ કરી હતી. સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

Mumbai University: બી. કોમનું પરીણામ જાહેર કરવા બાબતે મુંબઈ યુનિવર્સિટીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Mumbai University

Follow us on

મુંબઈ યુનિવર્સિટી (Mumbai University)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ઈમેઈલ દ્વારા મોકલવામાં આવી છે. ઈમેઈલમાં કહેવામાં આવ્યું છે કે બી.કોમનું પરિણામ જલ્દી જાહેર થવું જોઈએ. નહીંતર મુંબઈ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. ધમકીભર્યા ઈમેઈલ 10થી 12 ઓગસ્ટ સુધી સતત આવતા રહ્યા.

 

ઈમેઈલમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 10, 11 અને 12 ઓગસ્ટના રોજ સતત ઈમેઈલ્સ આવ્યા છે. 12 ઓગસ્ટના રોજ આવેલા ઈમેઈલમાં બી.કોમનું પરિણામ જલ્દી જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે અને બોમ્બની તસવીર મોકલવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

મુંબઈ યુનિવર્સિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી 

સતત ત્રણ દિવસ સુધી ધમકીભર્યા મેઈલ મળ્યા બાદ મુંબઈ યુનિવર્સિટી પ્રશાસને પોલીસને આ સંદર્ભે જાણ કરી હતી. સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં સૌપ્રથમ વખત તમામ શૈક્ષણિક વિભાગો માટે કેન્દ્રીકૃત પદ્ધતિ (centralized system) દ્વારા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની શરૂઆત 12 ઓગસ્ટથી થઈ છે.

 

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસથી જ તેમનો ઉત્સાહ દર્શાવ્યો છે. ફાઈનલ મેરિટ લિસ્ટ 2સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે બહાર પડવા જઈ રહ્યું છે. આ દરમિયાન મુંબઈ યુનિવર્સિટીને મળેલા ધમકીભર્યા મેઈલથી યુનિવર્સિટીના વહીવટીતંત્રની ચિંતા વધી છે.

 

 

આ પહેલા અમિતાભ બચ્ચનના બંગલા સહિત ચાર સ્થળોને ઉડાવી દેવાની ધમકીઓ મળી ચુકી છે

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં આવી ધમકીઓની હારમાળા શરૂ થઈ છે. આ ઘટનાના એક અઠવાડીયા પહેલા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), અમિતાભ બચ્ચનના બંગલા અને અન્ય બે સ્થળો પર બોમ્બ હોવાની અફવા ફેલાવવા બદલ પોલીસે બે લોકોને પકડ્યા હતા. તેઓએ સ્વીકાર્યું કે તેમને નશો કરીને બોમ્બની અફવાઓ ફેલાવી હતી.

 

અગાઉ એક બાળકે ટીખળ માટે કોલ કરીને હોટલ તાજમાં બોમ્બની અફવા ફેલાવી હતી. આ બનાવના થોડા દિવસો પહેલા જ મંત્રાલય પર બોમ્બમારો કરવાની માહિતી પણ અફવા તરીકે સામે આવી હતી.

 

આ પણ વાંચો : Maharashtra: ડેલ્ટા પ્લસ વેરીએન્ટને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મુત્યુ, કુલ 66 કેસની પુષ્ટિ થતા આરોગ્યતંત્રની વધી ચિંતા

 

આ પણ વાંચો : Rhea Kapoor Wedding: સોનમ કપૂરની નાની બહેન રિયા આજે લગ્નના બંધનમાં બંધાશે, જાણો કોણ છે તેનો લાઈફ પાર્ટનર ?

Next Article