મુંબઈમાં દહેશત! ડી કંપનીના ગુર્ગે આસિફ દારીના દીકરાની ગોળી મારીને કરી હત્યા…
મુંબઈના ડોકયાર્ડ રોડ પર ડી-કંપની સાથે સંકળાયેલા આસિફ દાદીના પુત્ર સમીર શેખ પર ગોળીબાર થયો. અજાણ્યા હુમલાખોરોએ કરેલા હુમલામાં સમીર ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયો છે.

મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડી-કંપની સાથે સંકળાયેલા ઓપરેટિવ આસિફ દાધીના પુત્ર પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલો મુંબઈના ડોકયાર્ડ રોડ વિસ્તારમાં થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને સનસનાટીનું વાતાવરણ સર્જાયું છે.
માહિતી મુજબ, આસિફ દાધીના પુત્ર સમીર શેખ પર અજાણ્યા હુમલાખોરોએ અચાનક ફાયરિંગ કર્યું હતું. ગોળી સમીર શેખની જાંઘમાં વાગી હતી, જેના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ અંગે વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
હુમલા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ભાયખલા પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજ પણ તપાસવા શરૂ કર્યા છે જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે.
હાલ સુધી ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમીર શેખને નિશાન બનાવી હુમલો કેમ કરવામાં આવ્યો અને તેના પાછળ કોઈ જૂની દુશ્મની અથવા ગેંગ રાઇવલરી છે કે નહીં, તે દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, વિરારમાં પણ હિંસક ઘટનાનો બનાવ સામે આવ્યો છે. અહીં એક RTI કાર્યકર્તા આત્મારામ પાટિલની ધોળા દિવસે પથ્થરમારો કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ પણ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે બંને મામલામાં અલગ અલગ તપાસ શરૂ કરી છે.
RBI એ સર્વોદય સહકારી બેંકનું લાયસન્સ રદ કરી નાખ્યું, લિક્વિડેટર નિમાશે
