AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Case: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મુંબઈ કોર્ટનો આદેશ, NCBને ચાર્જશીટ દાખલ કરવા માટે 60 દિવસનો સમય

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીએ કોર્ટ પાસે 90 દિવસનો સમય માંગ્યો હતો, જેમાં કોર્ટે માત્ર 60 દિવસનો સમય આપ્યો છે. આર્યન ખાનની 3 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલા જહાજમાં થઈ રહેલી પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

Aryan Khan Case: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મુંબઈ કોર્ટનો આદેશ, NCBને ચાર્જશીટ દાખલ કરવા માટે 60 દિવસનો સમય
Aryan Khan ( file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 4:46 PM
Share

આર્યન ખાન (Aryan Khan) ડ્રગ્સ કેસમાં (Drugs Case), મુંબઈની કોર્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) SITને ચાર્જશીટ દાખલ કરવા માટે 60 દિવસનો સમય આપ્યો છે. NCBએ મુંબઈમાં ક્રૂઝ પર પાર્ટી દરમિયાન મળેલા ડ્રગ્સના કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું છે. આ કેસમાં, અગાઉ એવી માહિતી મળી હતી કે એજન્સીને આર્યન વિરુદ્ધ કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી, પરંતુ બાદમાં NCBએ સ્પષ્ટ કર્યું કે આ કેસમાં આર્યનને હજુ સુધી ક્લીનચીટ આપવામાં આવી નથી. આર્યન આ કેસમાં જામીન પર મુક્ત છે.

આર્યન ખાન 26 દિવસ જેલમાં હતો

ડ્રગ્સ કેસમાં એનસીબીએ કોર્ટ પાસે 90 દિવસનો સમય માંગ્યો હતો, જેમાં કોર્ટે માત્ર 60 દિવસનો સમય આપ્યો છે. આર્યન ખાનની 3 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલા જહાજમાં ચાલી રહેલી પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. NCB દ્વારા તેના પર ડ્રગ્સ રાખવા, ખરીદવા અને વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટે આર્યનને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલી આપ્યો હતો. જ્યાં તેણે 26 દિવસ જેલવાસમાં ગાળ્યા હતો. બાદમાં મુંબઈ હાઈકોર્ટે તેમને કેટલીક શરતો સાથે જામીન મંજૂર કર્યા હતા.

શાહરૂખ ખાન હાલમાં તેની ફિલ્મ પઠાણમાં વ્યસ્ત છે. તે સતત તેનું શૂટિંગ કરી રહ્યો છે. શાહરૂખ ગઈ કાલે સ્પેનમાં પોતાનું શેડ્યૂલ પૂરું કરીને મુંબઈ પાછો ફર્યો હતો. આવી સ્થિતિમાં મુંબઈમાં શાહરૂખની ગેરહાજરીમાં આર્યન તેની જગ્યાએ પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં હાજરી આપી રહ્યો છે. હાલમાં જ તે પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની આઈપીએલ હરાજીમાં ખેલાડીઓ માટે બોલી લગાવતો જોવા મળ્યો હતો. તેની બોડી લેંગ્વેજ જોઈને લાગે છે કે હવે તે આ કેસ બાદ ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો છે.

આ પણ વાંચોઃ

Sharmaji Namkeen Review: શર્માજીને તેમનો ‘નમકીન’ ટચ આપવામાં સફળ રહ્યા ઋષિ કપૂર, જાણો કેવી છે અભિનેતાની છેલ્લી ફિલ્મ?

આ પણ વાંચોઃ

Mumbai : ‘ધૂમ’ ફિલ્મ ફેમ અભિનેત્રી રિમી સેન સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી, પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">