AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: શોરૂમમાં લાગી ભીષણ આગ, ઓછામાં ઓછી 40 BMW કાર થઈ બળીને ખાખ

Mumbai:આગની ઘટનામાં મોટું નુકસાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ આગમાં ઓછામાં ઓછી 40 BMW કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

Mumbai: શોરૂમમાં લાગી ભીષણ આગ, ઓછામાં ઓછી 40 BMW કાર થઈ બળીને ખાખ
Mumbai fire
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 1:27 PM
Share

મહારાષ્ટ્રમાં આગની ઘટનામાં મોટું નુકસાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ આગમાં ઓછામાં ઓછી 40 BMW કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ આગ નવી મુંબઈના તુર્ભે MIDC વિસ્તારમાં લાગી હતી. બુધવારે ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

MIDC ફાયર સર્વિસના ચીફ ફાયર ઓફિસર આર.બી. પાટીલે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે લગભગ 5.30 વાગ્યે BMW શોરૂમમાં આગ લાગી હતી. આ આગમાં ત્યાં પાર્ક કરેલી મોંઘીદાટ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે આગમાં લગભગ 40-45 BMW કાર બળી ગઈ હતી. તેમણે કહ્યું કે, આ ભીષણ આગ બપોરે 1 વાગ્યાની આસપાસ કાબૂમાં આવી હતી. આ ભયાનક આગને કાબુમાં લેવા માટે લગભગ 10 ફાયર એન્જિનોએ કલાકો સુધી મહેનત કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, જ્યાં આગ લાગી ત્યાં આ લક્ઝરી વાહનોનો શોરૂમ અને વેરહાઉસ હતું. ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે પોલીસ અને ફાયર વિભાગની ટીમો ત્યાં પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે લગભગ 6 કલાકનો લાંબો સમય લાગ્યો હતો. જેના કારણે ત્યાં પાર્ક કરાયેલા અનેક મોંઘાદાટ વાહનો નાશ પામ્યા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: NTPC Jobs: NTPCમાં નોકરી મેળવવાની તક, માસ કોમ્યુનિકેશન અને IT કરેલા માટે ભરતી

આ પણ વાંચો: Agriculture Engineeringમાં ઉત્તમ કારકિર્દી બનાવો, તમને તરત જ મળશે નોકરી, જાણો તમામ વિગતો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">