AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાવિકાસ અઘાડી સરકારે બંધ કરી હતી આ યોજનાઓ, હવે ફરીથી થઈ શરૂ

પાડલકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારના આ નિર્ણયને શેયર કર્યો અને ધનગર સમાજ વતી નવી સરકારનો આભાર માન્યો. તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આદિવાસીઓ માટે બનાવેલી તમામ યોજનાઓને ધનગર સમુદાય સુધી પણ પહોંચાડી હતી.

મહાવિકાસ અઘાડી સરકારે બંધ કરી હતી આ યોજનાઓ, હવે ફરીથી થઈ શરૂ
Devendra Fadanavis and Eknath ShindeImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 5:24 PM
Share

મહારાષ્ટ્ર સરકારના (Maharashtra Government) અન્ય પછાત વર્ગ કલ્યાણ વિભાગ દ્વારા 17 ઓગસ્ટના રોજ એક સરકારી ઠરાવ (GR) જાહેર કરવામાં આવ્યો હતો અને તમામ વિભાગોને ધનગર સમુદાયના કલ્યાણ માટેની યોજનાઓ અમલમાં મૂકવા માટે કહેવામાં આવ્યું હતું. યોજનાઓમાં નવી મુંબઈ, નાસિક, ઔરંગાબાદ, પૂણે, નાગપુર અને અમરાવતીમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા ધનગર સમુદાયના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધાનો સમાવેશ થાય છે.

અંગ્રેજી માધ્યમની શાળાઓમાં સમુદાયના વિદ્યાર્થીઓને પ્રવેશ, બેઘર લોકો માટે 10,000 મકાનોનું નિર્માણ, બજેટમાં નાણાકીય જોગવાઈ વિનાના કાર્યક્રમો માટે મૂળભૂત બજેટની જોગવાઈ, યુવાનોને લશ્કરી અને પોલીસ ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી તાલીમ, પરીક્ષામાં વિશેષ રાહત ફી, મરઘાં વ્યવસાય અને બકરી ઉછેરમાં સરકારી સહાય, પશુપાલકો માટે સતત આજીવિકા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર તેમને જૂન અને સપ્ટેમ્બર વચ્ચે માસિક ભથ્થું પૂરું પાડે છે.

પાડલકરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારના આ નિર્ણયને શેયર કર્યો અને ધનગર સમાજ વતી નવી સરકારનો આભાર માન્યો. તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આદિવાસીઓ માટે બનાવેલી તમામ યોજનાઓને ધનગર સમુદાય સુધી પણ પહોંચાડી હતી. જો કે મહા વિકાસ આઘાડી સરકારે 22 યોજનાઓ બંધ કરી દીધી. હવે નાયબ મુખ્યપ્રધાને ફરીથી યોજનાઓ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. પછાત વર્ગ માટે કરેલા કામને કોઈ છુપાવી શકે નહીં.

આ યોજનાઓ 2019માં શરૂ કરવામાં આવી હતી

આ યોજનાઓ સૌપ્રથમ 2019માં તત્કાલીન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં આ સમુદાયના વિદ્યાર્થીઓ માટે 10,000 ઘરો, આશ્રમશાળાઓ, પ્રવેશ બેઠકો, શિષ્યવૃત્તિ અને હોસ્ટેલનો સમાવેશ થાય છે. સમુદાય દ્વારા સરકાર પાસે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જોગવાઈઓ હેઠળ અનામત સહિતની માંગણી બાદ આ નિર્ણય આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">