‘મેં જીવનમાં માત્ર બે વાર ખરીદ્યા છે હાર’, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કંઈક આ રીતે કર્યા લતા દી અને અટલજીને યાદ
નીતિન ગડકરીએ આ કાર્યક્રમમાં કહ્યું કે આખો દેશ લતા મંગેશકરને પૂજે છે. સંગીત ક્ષેત્રે તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. પછી તેમણે અટલજીને યાદ કરીને કહ્યું કે તેમનું વ્યક્તિત્વ એવું હતું કે તેમના વિરોધીઓ પણ તેમને પ્રેમ કરતા હતા.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ, હાઈવે અને શિપિંગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) આજે ભારત રત્ન લતા મંગેશકર (Lata Mangshkar) અને અટલ બિહારી વાજપેયીને (Atal Bihai Vajpayee) યાદ કર્યા. તેમને યાદ કરતાં નીતિન ગડકરીએ કહ્યું, ‘મેં મારા જીવનમાં માત્ર બે વાર હાર ખરીદ્યો છે. એકવાર લતા દીદી માટે અને એકવાર અટલજી માટે. નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા પ્રખ્યાત ક્રિકેટર અને ક્રિકેટ કોચ દિલીપ વેંગસરકરને તેમના યોગદાન બદલ જીવન ગૌરવ પુરસ્કાર એનાયત કરવા સંબંધિત એક કાર્યક્રમમાં આ વાત કહી. આ એવોર્ડ CSR જર્નલ નામના ડિજિટલ અને પ્રિન્ટ પ્રકાશન માટે આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નીતિન ગડકરીએ લતાજી અને અટલજીને યાદ કર્યા હતા.
નીતિન ગડકરીએ આ કાર્યક્રમમાં કહ્યું કે આખો દેશ લતા મંગેશકરને પૂજે છે. સંગીત ક્ષેત્રે તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. પછી તેમણે અટલજીને યાદ કરીને કહ્યું કે તેમનું વ્યક્તિત્વ એવું હતું કે તેમના વિરોધીઓ પણ તેમને પ્રેમ કરતા હતા.
‘આવા હતા અટલજી અને લતા દી, આજે કંઈક આ રીતે તેમની યાદ આવી’
‘હું ક્યારેય કોઈ માટે હાર લેતો નથી, મેં ક્યારેય બેનર લગાવ્યું નથી.’ આ કહેતા નીતિન ગડકરીએ જણાવ્યું કે, તેમણે તેમના જીવનમાં આજ સુધી માત્ર લતા દીદી અને અટલજી માટે જ હાર ખરીદ્યો છે. ગડકરી તેમના બેબાક ભાષણ માટે જાણીતા છે. તેઓ ખીચોખીચ ભરેલી સભામાં લોકોને કહે છે કે તેમનું કામ ગમતું હોય તો જ મત આપો, નહીંતર મત ન આપો. તે વિપક્ષના નેતાઓ પર કે વિવાદાસ્પદ મુદ્દાઓ પર ઓછું બોલે છે, પરંતુ તેમનું કામ બોલે છે. વિપક્ષી નેતાઓ દ્વારા પણ તેમની પ્રશંસા કરવામાં આવતી હોય છે. ગડકરી અટલજીને પોતાના આદર્શ માને છે અને તેમને લતાજી માટે ખૂબ માન છે.
તમને જણાવી દઈએ કે ગઈકાલે નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર માટે 2100 કરોડના રોડ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને તેમણે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમના ટ્વિટને ટેગ કરીને, મહારાષ્ટ્રના PWD મંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે તેમનો આભાર માન્યો અને તે વાત માટે પણ આભાર માન્યો કે, નીતિન ગડકરીએ તેમના કાર્યક્ષેત્ર નાંદેડમાં એક રોડ પ્રોજેક્ટ માટે પણ ફંડ મંજૂર કર્યું હતું, જેના માટે તેઓ લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા.