AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Section 144 in Mumbai : મુંબઈમાં ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 લાગૂ, રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ

ઓમિક્રોન કેસને ધ્યાનમાં રાખીને મુંબઈમાં 11 અને 12 ડિસેમ્બરે કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન લોકો અને વાહનોની રેલી/મોરચા/સરઘસ પર પ્રતિબંધ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 17 કેસ છે.

Section 144 in Mumbai : મુંબઈમાં ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 લાગૂ, રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ
પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 9:43 AM
Share

Omicron: ઓમિક્રોન કેસને ધ્યાનમાં રાખીને મુંબઈ (Mumbai)માં 11 અને 12 ડિસેમ્બરે કલમ 144 (Section 144)લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન લોકો અને વાહનોની રેલી/સરઘસ પર પ્રતિબંધ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન ( Omicron )ના કુલ 17 કેસ છે. મુંબઈ પોલીસે (Mumbai Police) શુક્રવારે મુંબઈ કમિશનરેટ વિસ્તારમાં ક્રિમિનલ પીનલ કોડ (CRPC) ની કલમ 144 લાગુ કરી છે. જેના કારણે આગામી બે દિવસ સુધી રેલીઓ અને દેખાવો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું કે ડેપ્યુટી કમિશનર (Deputy Commissioner)ઓફ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ શનિવાર અને રવિવારે 48 કલાક માટે અમલમાં રહેશે. તેમણે કહ્યું કે કોવિડ-19 (Covid-19)ના નવા ઓમિક્રોન સ્વરૂપને કારણે માનવ જીવનને ખતરાની સાથે અમરાવતી, માલેગાંવ અને નાંદેડમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ જાહેર કરવામાં આવ્યું છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઉલ્લંઘન કરનારાઓને ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ સજા કરવામાં આવશે. તે જ સમયે, રાજ્યમાં કોરોના (Corona)ના નવા પ્રકાર ઓમિક્રોનના 7 નવા કેસ નોંધાયા છે, જેમાંથી ત્રણ કેસ મુંબઈના છે અને 4 પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 17 કેસ નોંધાયા છે. મુંબઈના ધારાવીમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટનો મામલો સામે આવ્યો છે.

તાન્ઝાનિયાથી પરત ફરેલ વ્યક્તિ ધારાવીમાં સંક્રમિત જોવા મળ્યો

મળતી માહિતી મુજબ, ધારાવીનો રહેવાસી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ વ્યક્તિમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. તેતાજેતરમાં તાન્ઝાનિયાથી પરત ફર્યો હતો. આ સાત નવા કેસ પછી, ઓમિક્રોનના દેશમાં અત્યાર સુધીમાં 32 કેસ નોંધાયા છે. જણાવી દઈએ કે, આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનની નવીનતમ સ્થિતિ પર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં દેશની નવીનતમ સ્થિતિ જણાવવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે અત્યાર સુધીમાં આ વેરિઅન્ટ કુલ 59 દેશોમાં ફેલાઈ ચૂક્યું છે.

હવે કુલ 17 દર્દીઓની પુષ્ટિ થઈ છે

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના ચેપના 695 નવા કેસ નોંધાયા છે. જેમાં ઓમિક્રોનના સાત કેસ સામેલ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં ઓમિક્રોન ચેપના કુલ કેસોની સંખ્યા હવે વધીને 17 થઈ ગઈ છે. તે જ સમયે, ગુરુવાર સાંજથી રાજ્યમાં વધુ 12 દર્દીઓના મોત થયા છે. વિભાગે કહ્યું કે રાજ્યમાં કોરોના ચેપના કેસોની સંખ્યા વધીને 66,42,372 થઈ ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા 1,41,223 થઈ ગઈ છે. તે જ સમયે, 64,90,936 લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે.

આ પણ વાંચો : Farmer Protest: દિલ્હી પોલીસે ખેડૂતોના આંદોલનને રાજધાનીની બહાર રાખવા માટે એક વર્ષમાં 7 કરોડથી વધુનો ખર્ચ કર્યો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">