AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાળામાં જ દેશવિરોધી કૃત્ય! બાળકોના હાથમાં તલવાર અને પાકિસ્તાની દેશભક્તિ ગીત ગવાયું, જુઓ મહારાષ્ટ્રની શાળાનો Video

મહારાષ્ટ્રના ઉમરાખેડમાં એક શાળામાં પ્રજાસત્તાક દિન કાર્યક્રમ દરમિયાન કથિત રીતે પાકિસ્તાની દેશભક્તિ ગીત વગાડવાને લઈને વિવાદ સર્જાયો છે. ભાજપ નેતાએ આ ઘટનાને રાષ્ટ્રવિરોધી ગણાવીને શાળા પ્રશાસન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શાળામાં જ દેશવિરોધી કૃત્ય! બાળકોના હાથમાં તલવાર અને પાકિસ્તાની દેશભક્તિ ગીત ગવાયું, જુઓ મહારાષ્ટ્રની શાળાનો Video
| Updated on: Feb 09, 2026 | 3:41 PM
Share

26 જાન્યુઆરીના રોજ આયોજિત એક શાળા કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો છે. મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના ઉમરાખેડ શહેરમાં આવેલી એક શાળામાં પાકિસ્તાની દેશભક્તિ ગીત પર કાર્યક્રમ રજૂ કરાયો હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ભાજપના એક નેતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

ઉમરાખેડ મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારની અબ્દુલ ગફુર શાહ મ્યુનિસિપલ ઉર્દૂ શાળા નંબર-2માં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે “એ મર્દ-એ-મુજાહિદ તેરી લલકાર ક્યા હૈ” નામનું ગીત ગવાયું હતું. આ ગીત પર વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય રજૂ કરાયું હોવાનું પણ કહેવામાં આવે છે. આ ગીતને લશ્કરી પ્રેરણા આપતું અને પાકિસ્તાન સાથે જોડાયેલું દેશભક્તિ ગીત માનવામાં આવે છે, જેના કારણે કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે.

ભાજપ નેતાએ કાર્યક્રમને રાષ્ટ્રવિરોધી ગણાવ્યો

આ સમગ્ર મામલે ભાજપના નેતા ગોપાલ કલાણેએ ઉમરાખેડ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમણે આ કાર્યક્રમને રાષ્ટ્રવિરોધી કૃત્ય ગણાવીને કહ્યું છે કે શાળા જેવી શૈક્ષણિક સંસ્થામાં આવા ગીતો રજૂ કરવાથી રાષ્ટ્રીય લાગણીઓને ઠેસ પહોંચે છે. ફરિયાદમાં શાળા પ્રશાસન પર ગંભીર બેદરકારી દાખવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમાં તલવારો સાથે રજૂઆત કરાઈ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાના પગલે સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભારે ચર્ચા અને પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

શાળા મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ

ભાજપ નેતા ગોપાલ કલાણેએ જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીના રોજ યોજાયેલા કાર્યક્રમમાં જે ગીત રજૂ કરાયું હતું તે એક જેહાદી ગીત છે અને તેનો ઉપયોગ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થયો હોવાનું કહેવાય છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ પ્રકારનું ગીત શાળામાં વગાડવું રાજદ્રોહ સમાન છે.

તેમણે શાળાના આચાર્ય, શિક્ષકો અને મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે ઉમરાખેડ પોલીસ સ્ટેશન તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલના મુખ્ય અધિકારી પાસે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. (નોંધ : અહીં આપવામાં આવેલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.)

સલમાન ખાન થી લઈ શિલ્પા શેટ્ટી.. RSS ના કાર્યક્રમમાં પહોંચ્યું બોલીવુડ

Follow Us
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
g clip-path="url(#clip0_868_265)">