ફરીથી મુખ્યમંત્રી બની શકે છે દેવેન્દ્ર ફડણવીસ? જાણો શું કહે છે એકનાથ શિંદેના બળવા પછીના આંકડા

|

Jun 21, 2022 | 8:37 PM

એકનાથ શિંદેએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મોકલેલા બે નવા પ્રસ્તાવોમાં પહેલી શરત એ છે કે શિવસેનાએ મહા વિકાસ આઘાડી સરકારમાંથી બહાર આવવું જોઈએ અને બીજું, મહારાષ્ટ્રમાં ફરી એકવાર શિવસેના-ભાજપની દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis BJP) સરકાર બને.

ફરીથી મુખ્યમંત્રી બની શકે છે દેવેન્દ્ર ફડણવીસ? જાણો શું કહે છે એકનાથ શિંદેના બળવા પછીના આંકડા
Devendra Fadnavis & Eknath Shinde (File Image)

Follow us on

મહારાષ્ટ્રના રાજકીય વમળ (Maharashtra political crisis) વચ્ચે શિવસેનાના દિગ્ગજ નેતા અને મહા વિકાસ આઘાડી સરકારમાં મંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde Shiv Sena) હવે શિવસેના પાર્ટીના વડા સીએમ ઉદ્ધવ ઠાકરેને બે પ્રસ્તાવ મોકલ્યા છે. શિંદેએ શિવસેના, મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર ફાટક દ્વારા મોકલવામાં આવેલા દૂતો સાથે સુરતની લે મેરીડિયન હોટેલમાં લગભગ 40 મિનિટ સુધી બેઠક અને ચર્ચા કર્યા પછી આ બે નવા પ્રસ્તાવ મોકલ્યા છે. જેમાં પહેલી શરત એ છે કે શિવસેનાએ મહા વિકાસ આઘાડી સરકારમાંથી બહાર આવવું જોઈએ અને બીજી શરત હિન્દુત્વના મુદ્દે ભાજપ સાથે સરકાર બનાવવાની છે.

આ પહેલા મંગળવારે બપોરે એકનાથ શિંદેએ તેમના નજીકના ધારાસભ્ય સંજય રાઠોડને ત્રણ પ્રસ્તાવ સાથે મુખ્યમંત્રીના વર્ષા બંગલે મોકલ્યા હતા. આમાં પહેલી શરત એ હતી કે શિવસેનાએ ભાજપ સાથે મળીને સરકાર બનાવવી જોઈએ. બીજી શરત એ હતી કે દેવેન્દ્ર ફડણવીસે સીએમ બનવું જોઈએ. ત્રીજી શરતમાં એકનાથ શિંદેએ પોતાને ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ કરી હતી. આ નવા પ્રસ્તાવમાં ત્રીજી શરત દૂર કરવામાં આવી છે. પ્રથમ બે શરતો શિંદેએ સંજય રાઠોડ દ્વારા મોકલવામાં આવેલી શરતો જેવી જ છે. એટલે કે મહારાષ્ટ્રમાં ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસની ભાજપ સરકાર છે.

નિર્ણય ગમે તે લેવામાં આવે ઉદ્વવ ઠાકરે મુખ્યમંત્રી પદ ગુમાવશે?

હવે જો શિવસેના આ પ્રસ્તાવનો સ્વીકાર કરશે તો ઉદ્ધવ ઠાકરે હવે મુખ્યમંત્રી નહીં રહે. જો શિવસેના આ પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરે તો ઠાકરે સરકાર લઘુમતીમાં આવી જશે. આવી સ્થિતિમાં ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસની સરકાર રચવા માટે આંકડાઓની રમત શું કહે છે તે જાણવું જરૂરી છે. પહેલા સમાચાર આવ્યા કે એકનાથ શિંદેના સમર્થનમાં 13 ધારાસભ્યો છે. ત્યારબાદ બપોર સુધીમાં ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કે એકનાથ શિંદેના સમર્થનમાં 35 ધારાસભ્યો છે. ત્યારબાદ 22 ધારાસભ્યોની યાદી આવી. હવે એકનાથ શિંદેના સમર્થનમાં 26 ધારાસભ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં મહા વિકાસ આઘાડીની સરકાર પડી જાય તો શું ભાજપ પાસે બહુમતી છે?

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભાજપ કેવી રીતે મેળવશે 145નો જાદુઈ આંકડો?

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145નો જાદુઈ આંકડો જરૂરી છે. પરંતુ ભાજપ પાસે માત્ર 106 ધારાસભ્યો છે. જો અપક્ષ તરફી ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો 113 સુધી પહોંચે છે. હવે જો આમાં એકનાથ શિંદેના 26 સમર્થકોને સામેલ કરવામાં આવે તો આંકડો 139 પર પહોંચે છે. રાજ ઠાકરેની પાર્ટી MNSના એક ધારાસભ્યની મદદથી આંકડો 140 સુધી પહોંચે છે. હજુ ભાજપને 5 ધારાસભ્યોની જરૂર પડશે.

બીજી ગણતરી મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને 123 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. વિધાન પરિષદમાં આ સંખ્યા વધીને 134 થઈ ગઈ. આવી સ્થિતિમાં ભાજપને વધુ 11 ધારાસભ્યોની જરૂર પડશે.

ભાજપનું ગણિત આ રીતે બેસી શકે છે

ભાજપના ધારાસભ્ય 106+ એકનાથ શિંદે સમર્થક ધારાસભ્ય 26 + અપક્ષ 13 + MNS 1 = 146

એકનાથ શિંદે આજે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે

આ દરમિયાન સૂત્રો દ્વારા માહિતી મળી છે કે એકનાથ શિંદે તેમના કેટલાક સમર્થક ધારાસભ્યો સાથે અમદાવાદ અથવા ગાંધીનગરમાં અમિત શાહ અને જેપી નડ્ડાને મળી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે સવારે જ દિલ્હી જવા રવાના થયા હતા. દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આ બેઠક થવાની શક્યતા છે. એટલા માટે ફડણવીસ પણ દિલ્હીથી ગુજરાત જવા રવાના થવાના છે.

Next Article