AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: શિવસેનાની બેઠકમાં 19માંથી માત્ર 12 જ સાંસદો જ પહોંચતા ઉદ્ધવ ઠાકરેના ટેન્શનમાં વધારો, શું શિંદે જૂથમાં જોડાઈ ગયા સાંસદો ?

શિવસેના(Shivsena)ના લોકસભાના 19માંથી માત્ર 12 સાંસદો જ બેઠકમાં પહોંચ્યા છે. જ્યારે રાજ્યસભા(Rajyasabha)ના 4માંથી 3 સાંસદો બેઠકમાં પહોંચ્યા છે. કુલ મળીને 23 સાંસદોમાંથી 15 સાંસદો બેઠકમાં પહોંચ્યા હતા. જ્યારે બાકી રહેલા સાંસદોના શિંદે જૂથમાં સામેલ થવાની આશંકા છે.

Maharashtra: શિવસેનાની બેઠકમાં 19માંથી માત્ર 12 જ સાંસદો જ પહોંચતા ઉદ્ધવ ઠાકરેના ટેન્શનમાં વધારો, શું શિંદે જૂથમાં જોડાઈ ગયા સાંસદો ?
ઉદ્ધવનું વધ્યુ ટેન્શન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 4:41 PM
Share

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ આજે ​​(11 જુલાઈ, સોમવાર) તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે શિવસેના (Shiv Sena)ના સાંસદોની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. પરંતુ આ બેઠકમાં શિવસેનાના લોકસભાના 19માંથી માત્ર 12 સાંસદો જ હાજર રહ્યા હતા અને રાજ્યસભાના 4માંથી 3 સાંસદો પહોંચ્યા હતા. એટલે કે કુલ 23 સાંસદો પૈકી 15 સાંસદો બેઠકમાં પહોંચ્યા છે. આ તરફ ભાજપના નેતા રામદાસ તડાસે દાવો કર્યો છે કે શિવસેનાના 12 સાંસદો શિંદે જૂથ (CM Eknath Shinde)ના સંપર્કમાં છે. ઉદ્ધવ ઠાકરેએ આ બેઠક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મત આપવો તેના પર ચર્ચા કરવા માટે બોલાવી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એવા પણ સમાચાર છે કે ઉદ્ધવ ઠાકરે વ્યક્તિગત રીતે દરેક સાંસદ સાથે વાત કરશે અને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરશે.

શિવસેનાના સાંસદોની બેઠકમાં સામાન્ય રીતે તમામ સાંસદો હાજર રહેતા હોય છે. પ્રથમવાર એવુ બન્યુ છે જ્યારે આટલી મોટી સંખ્યામાં સાંસદો બેઠકમાં પહોંચ્યા નથી. બે તૃતીયાંશ ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેની છાવણી છોડીને શિંદે જૂથમાં જોડાયા બાદ આ સાંસદોની ગેરહાજરી અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગેરહાજર સાંસદો પૈકીના કેટલાકે ભાજપને સમર્થન આપવાની માંગ કરી છે. આથી સહુ કોઈની નજરો આ બેઠક પર રહેલી છે.

શિવસેનાની બેઠકમાં 23માંથી 15 સાંસદો હાજર

શિવસેનાની આ બેઠકમાં લોકસભાના 19માંથી 12 સાંસદો હાજર છે. આ સાંસદોમાં ધૈર્યશીલ માને, અરવિંદ સાવંત, વિનાયક રાઉત, શ્રીરંગ બારણે, હેમંત ગોડસે, રાહુલ શેવાળે, ગજાનન કીર્તિકર, સદાશિવ લોખંડે, ઓમરાજે નિમ્બાલકર અને પ્રતાપરાવ દેશમુખનો સમાવેશ થાય છે. એ જ રીતે રાજ્યસભાના 4 સાંસદોમાંથી 3 સાંસદો હાજર છે. જેમાં સંજય રાઉત અને પ્રિયંકા ચતુર્વેદી સામેલ છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે UPAકે NDA, શિવસેના કોની સાથે?

ઉદ્ધવ ઠાકરેએ બોલાવેલી આ બેઠક ઘણી મહત્વપૂર્ણ છે. આ બેઠકમાં એ વાત પર ચર્ચા થવાની છે કે શિવસેનાએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને સમર્થન આપવું જોઈએ. શિવસેના હાલ UPAમાં છે. UPAએ યશવંત સિન્હાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે NDAએ દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કેટલાક સાંસદોની માંગ છે કે ભાજપ અને NDAના ઉમેદવારોને સમર્થન આપવું જોઈએ. શિવસેનાના સાંસદ રાહુલ શેવાલે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આ માંગ કરી છે. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">