AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારી ફરી વિવાદમાં, ચપ્પલ પહેરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ

રાજ્યપાલે શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમના ચપ્પલ ઉતાર્યા ન હતા. કોંગ્રેસે શહીદોને આ રીતે શ્રદ્ધાંજલિ આપવાને રાજ્યપાલનું અપમાન ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવતે એક વીડિયો ટ્વીટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારી ફરી વિવાદમાં, ચપ્પલ પહેરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ
Maharashtra Governor Bhagat Singh KoshyariImage Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 4:27 PM
Share

છત્રપતિ શિવાજી મહારાજ પર અપમાનજનક નિવેદનને લઈને પહેલાથી જ વિવાદોમાં ફસાયેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ફરી એકવાર વિવાદમાં છે. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલાને આજે 14 વર્ષ વીતી ગયા છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારીઓ અને જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ રાજ્યપાલે શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમના ચપ્પલ ઉતાર્યા ન હતા. કોંગ્રેસે શહીદોને આ રીતે શ્રદ્ધાંજલિ આપવાને રાજ્યપાલનું અપમાન ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવતે એક વીડિયો ટ્વીટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સચિન સાવંતે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ‘શ્રદ્ધાંજલિ આપતી વખતે ચપ્પલ અને જૂતાં ઉતારવા એ ભારતની સંસ્કૃતિ છે, તે ચોક્કસપણે મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને મહાપુરુષોનું વારંવાર અપમાન કરનારા રાજ્યપાલ શહીદોનો અનાદર કરી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીએ તેમને મહારાષ્ટ્રની સંસ્કૃતિની યાદ અપાવી હોત તો સારું થાત.

શ્રદ્ધાંજલિ આપતી વખતે રાજ્યપાલે આ વાતને ધ્યાનમાં ન રાખી

શ્રદ્ધાંજલિ આપતી વખતે માત્ર મુખ્યમંત્રીએ જ પગરખાં ઉતાર્યા ન હતા, પરંતુ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ઉતાર્યા હતા, પરંતુ રાજ્યપાલે ચપ્પલ પહેરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આમ કરીને રાજ્યમાં તેમના નામે ફરી એક વિવાદ ઊભો થયો. જ્યારે પ્રતિક્રિયા આવવા લાગી ત્યારે રાજભવન તરફથી પણ જવાબ આવ્યો. એવું કહેવામાં આવ્યું હતું કે મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓએ પણ તેમના પગરખાં ઉતાર્યા નથી.

છત્રપતિ શિવાજી મહારાજ પર આપવામાં આવેલા નિવેદન પર રાજ્યમાં શરૂ થયો સંગ્રામ

થોડા દિવસો પહેલા તેમણે ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના સમયના આદર્શ બની ગયા છે, આજના આદર્શ ગડકરી છે. આ અંગે ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બાપ તો બાપ જ હોય છે. નવું શું છે અને જૂનું શું છે? આ પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એમેઝોનથી આવેલું આ કોશ્યરી નામનું પાર્સલ, દિલ્હી પરત મોકલવામાં આવે. તેમણે કેન્દ્ર સરકારને રાજ્યપાલ પર કાર્યવાહી કરવાની માગ કરી, અન્યથા મહારાષ્ટ્ર બંધનો સંકેત આપ્યો.

દિલ્હીના પ્રવાસેથી પરત ફર્યા કોશ્યારી, પરત આવતા જ નવા વિવાદમાં ફસાયા

કોંગ્રેસ અને એનસીપી પણ તેમની સામે આક્રમક છે. ભાજપના નેતાઓએ પણ તેમને સમજી વિચારીને બોલવાની સલાહ આપી છે. તેઓ બે દિવસ પહેલા દિલ્હીના પ્રવાસે હતા. એવું માનવામાં આવતું હતું કે કેન્દ્રીય નેતૃત્વ તેમને ધ્યાનથી બોલે તે સમજાવીને દિલ્હીથી મોકલશે. હવે તેમના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, છતાં વિવાદ વધુ ગરમાયો છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">